SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨/૧૨ તેમાં જે તે વાદી એ પ્રમાણે કહે છે – એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય અધિકૃત મંડલને કર્મકલાંથી છોડે છે. તેમાં આ વિશેષ ગુણ છે, તે જ ગુણને કહે છે - જેટલા કાળ અપાંતરાલથી એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકલાને આશ્રીને મંગલને છોડે છે. આટલો માર્ગ આગળ પણ બીજા મંડલ પર્યન પણ જાય છે. અહીં આ ભાવના છે – અધિકૃત મંડલ જો કર્મલાને છોડે છે, તેથી અપાંતરાલ ગમનકાળ અધિકૃત મંડલ જ અહોરમમાં અંતભૂત છે તથા બીજા મંડલમાં સંક્રમણ કરતો તર્ગત કાળને કંઈપણ ઘટાડ્યા વિના જેટલા કાળથી અપાંતરાલ જણાય છે, તેટલા કાળથી આગળ જાય છે. પછી શું ? તે કહે છે – આગળ જતો એવો મંડલકાળ થતો નથી, જેટલા કાળથી પ્રસિદ્ધ તે મંડલને સમાપ્ત કરે છે, તેટલા કાળથી તે મંડલ પસ્પિર્શ સમાપ્ત કર છે. પરંતુ થોડું પણ મંડલકાળ પરિહાનિ થતી નથી. તેથી કંઈપણ સર્વ જગત પ્રસિદ્ધ પ્રતિનિયત દિવસ-રાત્રિ પરિમાણ વ્યાઘાત પ્રસંગ નથી. આ તે એ પ્રમાણે કહેનારનો ગુણ છે. તેથી આ જ મત સમીચીન છે. બીજો નહીં. એ પ્રમાણે આવેદિત કરતાં જણાવે છે કે – તેમાં જે વાદી એ પ્રમાણે કહે છે કે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય અધિકૃત મંડલને કર્ણકલાને છોડે છે. આ નયથી - અભિપાયથી અમારા મતમાં પણ એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણને જાણવું જોઈએ. પણ એ પ્રમાણે બીજા નયથી નહીં. કેમકે તેમાં દોષ કહેલ છે. ૦ પ્રાભૃત-પ્રાભૃત-૨-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ -X - X - X - X - X - X - X – ૦ પ્રાભૃત-૨, પ્રાકૃતપાભૂત-૩ ૦ એ પ્રમાણે બીજા પ્રાભૃતના બીજા પ્રાભૃતપાભૂતને કહ્યું. હવે ત્રીજા પ્રાભૃતપ્રાભૃતને કહે છે. તેનો આ અધિકાર છે. “મંડલ-મંડલમાં પ્રતિમુહૂર્તમાં ગતિ કથન.” તેથી, તે વિષયક પ્રશ્ન સૂત્રને કહે છે – • સૂઝ-33 - ભગવન ! કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે ? તેમાં આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે. (૧) તેમાં એક એ પ્રમાણે કહે છે - છ-છ હજાર યોજન સૂર્ય એક-એક મહત્તશી જાય છે. () બીજી કોઈ કહે છે - તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક-એક મુહૂર્તથી જાય છે. (૩) એક કોઈ કહે છે કે - તે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ યોજના જાય છે. (૪) કોઈ એક વળી કહે છે કે – તે છ પણ, પાંચ પણ અને ચાર પણ હજાર યોજન સૂર્ય એક-એક મુહૂર્તમાં જાય છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ-છ હજાર યોજના જાય છે, તેઓ એમ કહે છે કે - જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસોમાં ૧,૦૮,ooo તાપક્ષેત્ર થાય છે. જ્યારે તે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં ક૨,ooo યોજનાનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે છેછ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે. - તેમાં જેઓ એમ કહે છે કે – તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એકએક મુહમાં જાય છે, તેઓ એમ કહે છે કે - જ્યારે સૂર્ય સવભ્યિતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે પૂર્વવત્ દિવસ-રાશિ પ્રમાણ થાય અને તેમાં તાપણમ ૯૦,૦૦૦ યોજન થાય છે. તે જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે જ રાત્રિ-દિવસ પ્રમાણ થાય, દિવસમાં ૬૦,ooo યોજના તાપક્ષેત્ર થાય છે. ત્યારે સૂર્ય એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજના જાય છે.. તેમાં જેઓ એમ કહે છે કે - જ્યારે તે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંકમીને ચર ચરે છે, ત્યારે રાઝિદિવસ પૂર્વવત થાય છે. તે દિવસમાં ૨,ooo યોજન તાપોત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સમિદિવસ પૂર્વવતુ, તે દિવસોમાં ૪૮,000 યોજન પોત્ર કહેલ છે. તે વખતે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજન જાય છે. તેમાં જેઓ એમ કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ હજાર કે પાંચ હજાર કે ચાર હજાર યોજન પણ જાય છે, તેઓ એમ કહે છે કે – તે સૂર્ય ઉગમન મુહૂર્તથી કદાચ અરમણ મુહૂર્તમાં શીઘગત થાય છે. તેથી એક મુહૂર્તમાં છ-છ હજાર યોજન થાય છે. મધ્યમ તાપક્ષેત્રને સમ ગણીને ચાલતાચાલતાં સૂર્ય મધ્યમગત થાય છે, ત્યારે એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજના જાય છે. મધ્યમ તાપત્ર સંપાત થતાં સૂર્ય મંદગતિ થાય છે. ત્યારે તે એક-એક મુહૂર્તમાં ચાર ચાર હજાર યોજન જાય છે. તેમાં શો હેતુ છે, તેમ કહો છો ? આ જંબુદ્વીપ ચાવતુ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય. તે દિવસોમાં
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy