SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/૪/૫ ૪૫ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. કોઈ એક છઠો વળી એમ કહે છે – ત્રણ દ્વીપ અને ત્રણ સમુદ્રનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. આ બધાં જ અન્યતીર્થિકો મિથ્યાવાદી છે, કેમકે અયથા તવ વસ્તુની વ્યવસ્થાપના કરે છે. તેથી કહે છે – અમે (ભગવંત પોતે કેવળજ્ઞાનનો લાભ પામેલ, પરતીર્થિક વ્યવસ્થાપિત વસ્તુ વ્યવસ્થાનો નિરાસ કરતાં એ પ્રમાણે - હવે કહેવાનાર પ્રકારથી કેવળજ્ઞાન વડે યથાવસ્થિત વસ્તુ તવ પામીને કહીએ છીએ. ભગવદ્ ! આપ કઈ રીતે આમ કહો છો ? ત્યારે કહે છે – બીજી વક્તવ્યતા છોડી અહીં ત્યાં સુધી કહે છે – બંને સૂર્યો સર્વ અત્યંતર મંડલથી નીકળતાં પ્રતિમંડલ પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૧ ભાગ પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણની વૃદ્ધિ કરતાં, અહીં ‘થા' શબ્દ ઉત્તર વિકલા અપેક્ષાથી સમુચ્ચય અર્થમાં છે અને ઘટાડતાં થતુ સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને સૂર્યો પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫ ભાગ ઘટાડતા-ઘટાડતા પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી. અહીં ‘વા' શબ્દ પૂર્વ વિકલાની અપેક્ષાથી સમુચ્ચયાર્ચે છે. બંને સૂર્યો ચાર ચરે છે, ચરતા કહ્યા છે” એમ તમારે તમારા પોતાના શિષ્યોને કહે છે. એ પ્રમાણે ભગવંતે કહેતા ગૌતમસ્વામી પોતાના શિષ્યોમાં નિઃશંકિતત્વની વ્યવસ્થાપનાર્થે ફરી પૂછે છે - તેમાં આવા પ્રકારના વસ્તુતત્ત વ્યવસ્થાના બોધમાં શો હેતુ-કઈ ઉપપતિ છે, તે કૃપા કરીને કહો – ભગવંતે કહ્યું - આ જંબૂલીપ સ્વરૂપ પ્રતિપાદક વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ સ્વયં વિચારી લેવું. આ જંબૂદ્વીપ પ્રસિદ્ધ ભરત અને ઐરવતમાં બંને પણ સૂર્યો સર્વાવ્યંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. એ પ્રમાણે ગતિ કહી છે, તેમ કહેવું. કઈ રીતે સર્વવ્યંતર મંડલમાં બંને સૂર્યો પરસ્પર આટલા પ્રમાણમાં અંતર કઈ રીતે કહ્યું છે ? તે કહે છે – આ જંબૂઢીપ એક લાખ યોજન પ્રમાણ વિકંભ છે, તેમાં કોઈ પણ સૂર્ય જંબૂદ્વીપની મધ્યે ૧૮૦ યોજન જઈને સવચિંતર મંડલમાં ચાર ચરે છે, બીજો સૂર્ય પણ ૧૮૦ યોજન જઈને [ચાર ચરે છે. એ રીતે ૧૮૦ + ૧૮૦ = ૩૬૦ થાય છે. આ પ્રમાણ જંબદ્વીપમાં વિઠંભ પરિમાણરૂપ એક બાળમાંથી બાદ કરતાં ઉક્ત ૯૯,૬૪૦નું પ્રમાણ આવે છે. ત્યારે સવવ્યંતર બંને પણ સૂર્યોના ચરણ કાળમાં પરમપકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહd દિવસ થાય છે અને સર્વ જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારપછી સર્વ અત્યંતર મંડલથી તે બંને પણ સૂર્યો નીકળતા નવા સૂર્ય સંવત્સરનો આરંભ કરતાં નવા સૂર્ય સંવત્સરના પહેલા અહોરાકમાં અત્યંતર અનંતસર્વ અતર મંડલથી અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે આ બંને પણ સૂર્યો સર્વ અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૩૫ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ પ્રમાણ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. “ચરતા એવા કહ્યા છે” તેમ કહેવું. તો આટલા પ્રમાણમાં અંતર કઈ રીતે છે ? તે કહે છે - અહીં એક પણ સૂર્ય સવવ્યંતર મંડલગત “ યોજન અને બીજા બે યોજન વિકંપીને સવચિંતર પછીના બીજા મંડલમાં ચરે છે, એ પ્રમાણે બીજો સૂર્ય પણ જાણવો. તેથી બે યોજન અને ૪૮/૬૧ ભાગ યોજનને બે વડે ગુણવામાં આવે છે. ગુણવાથી પાંચ યોજન અને એક યોજનના ૩૫ ભાણ થાય છે. આટલા અધિક પૂર્વ મંડHણત અંતર પરિમાણથી. અહીં પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વોક્ત અંતર પરિમાણ થાય છે. તે વખતે સર્વ અત્યંતરના અનંતર બીજ મંડલમાં ચાર ચરણ કાળમાં અઢાર મુહૂર્તના દિવસમાં બે-એકસઠાંશ [િ૧મુહૂર્ત ન્યૂન થાય છે અને રાત્રિના બાર મુહૂર્તમાં બે-એકસઠાંશ ભાગ અધિક થાય. ત્યારપછી, તે બીજા પણ મંડલથી નીકળતા એવા બંને સૂર્યો નવા સૂર્ય સંવત્સરના બીજા અહોરમમાં સવવ્યંતર મંડલના ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તે જ્યારે આ બે સૂર્યો સર્વાત્યંતર મંડલના ત્રીજા મંડલમાં સંક્રમીને ચારે ચરે છે, ત્યારે ત્રીજા મંડલ ચાર ચરણકાળે ૯૯,૬૫૧ યોજન અને એક યોજના (I૧ ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. એ પ્રમાણે કહેલું છે તેમ કહેવું. આ પ્રમાણ કઈ રીતે છે તે જણાવે છે – અહીં એક સૂર્ય સવસ્વિંતર બીજા મંડલમાં ગયેલ દૈ૮/૧ ભાગ અને બીજા બે યોજન વિકંપીને ચાર ચરે છે, બીજો પણ તેમજ ચરે છે, તેથી બે યોજન અને યોજનના કે૮/૧ ભાગને બે વડે ગુણતાં પાંચ યોજન અને યોજનના ૩૫/૧ ભાગ થાય છે. આટલા પૂર્વમંડલગત અંતર પરિણામથી અહીં અધિક પ્રાપ્ત થાય છે. તેથી પૂર્વોક્ત અંતર પરિમાણ થાય છે. જ્યારે સર્વાભિંતર મંડલથી ત્રીજા મંડલમાં ચાર ચરે છે, ત્યારે * મુહૂર્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને *૧ મુહર્ત અધિક બાર મુહૂર્તા શનિ થાય છે. એ પ્રમાણે ઉકત પ્રકારથી નિશ્ચિત આ ઉપાયથી પ્રતિ મંડલ એકથી એક સૂર્ય બે યોજન અને ૪૮ ભાગ વિકંપીને ચાર ચરે છે, બીજાથી બીજો સૂર્ય પણ એ રૂપથી વિક્રમણ કરતા તે જંબૂદ્વીપગત બે સૂર્યો પૂર્વથી પૂર્વ તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો એક-એક મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણની અપેક્ષાથી પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ પરસ્પર વધારતાં વધારતા નવા સૂર્ય સંવત્સરના ૧૮૩માં અહોરાત્રમાં પહેલાં છ માસના પર્યવસાનભૂત સર્વ બાહ્ય
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy