SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૬-સૂર્યપ્રાપ્તિ-ઉપાંગસૂત્ર-૫/૧ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન -મ -૨૩ ) 0 આરંભ : o આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર'નો પહેલો ભાગ સમાવિષ્ટ કરાયો છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં સૂપન્નત્તિ કહે છે, તેનું સંસ્કૃતનામ ‘સૂર્યપ્રાતિ' છે. ગુજરાતી ભાષામાં પણ તેનો વ્યવહાર ‘સૂર્યપ્રાપ્તિ’ નામથી જ પ્રસિદ્ધ છે. તેને કેટલાંક પૂર્ણ પુરુષો પાંચમાં અંગનું ઉપાંગ કહે છે. જો કે અમે પૂ.મલયગિરિજી કૃત ટીકામાં તેવો ઉલ્લેખ નથી. જે પ્રતિક્ષણ યથાસ્થિત સર્વ જગતને જોઈ રહ્યા છે, તેવા ભાસ્વત પરમાત્મા શ્રી વીર ભગવંત આપને નમસ્કાર થાઓ. ખધો જેવા તીર્થિકો જે પૂર્વે પ્રકાશતા હતા, તેના તમને છેદીને સર્વે શ્રુતકેવલિઓ વિજય પામ્યા તેિને નમસ્કાર આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મુખ્યત્વે ગણિતાનુયોગની પ્રાધાન્યતાવાળું આગમ છે. જેના અધ્યયનો “પ્રાભૃત” શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રાભૃતપ્રાકૃત' નામે દર્શાવાયેલ છે. એવા કુલ ૨૦ પ્રાભૃતો છે અને ત્રણ પ્રાભૃતમાં પેટા પ્રાકૃત-પ્રાકૃતો પણ છે. જેમાં ભાગ-૧-માં પ્રાભૃત-૧થી પ્રાકૃત-૧૦ના પ્રાભૃત-પ્રાકૃત૧૮ સુધી આ ૨૩-માં ભાગમાં છે અને પ્રાકૃત-૧૦ના પ્રાભૃતપામૃત-૧થી પ્રાભૃત-૨૦ સુધી ભાગ-૨૪માં છે, ભાગ-૨૪માં ચંદ્રપ્રજ્ઞપ્તિવિષયક નોંધ પણ છે. સૂર્યબિંબ જેમ જ્ઞાનના અંધકાર સમૂહને જિતે છે તેમ પ્રમાણ-નયના ઘણાં ભેદવાળું, શિવસુખરૂપી ફળદાતા કલ્પતરુ એવા જિનવચન જય પામે છે. આ સૂર્યપ્રજ્ઞપ્તિને ગુરના ઉપદેશ અનુસાર હું સ્વ-પરના ઉપકારને માટે કંઈક સ્પષ્ટ વિવરણ કરું છું. જો કે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રાપ્તિ બંને જુદા આગમો છે, પણ વર્તમાનકાળે બંનેનું વિષયવસ્તુ સંપૂર્ણ સમાન છે, કોઈ ભેદ નથી. કાળક્રમે ક્યારે બંને આગમો એક થઈ ગયા તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજી કૃ4 ટીકા પણ બંને આગમોની સમાન જ મળે છે. ફક્ત આરંભિક ત્રણ શ્લોક વધારે છે. પૂર્વે ભદ્રબાહુ સૂરિકૃતુ આ સૂત્રની નિયુક્તિ હતી, તે કાળના દોષથી હવે નથી, કેવળ સૂરની વ્યાખ્યા કહીશ. સૂર્ય-ચંદ્ર ગતિ, ક્ષેત્ર, મંડલ, વિભિન્ન મતો ઈત્યાદિ યુક્ત આ આગમના મૂળ સૂત્ર અને ટીકાનો અર્થ અમે કરેલ છે, તો પણ અમે ઘણાં સ્થાને અસ્પષ્ટ રહ્યા છીએ તે ભૂલનો અમે જાતે જ સ્વીકાર કરીએ છીએ. કોઈ વિશિષ્ટ સંદર્ભો અમને મળેલ નથી. કોઈ કાળે નિયુક્તિ હશે, પણ હાલ તેનો વિચ્છેદ છે. 2િ3/2] તેમાં જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે પૂજ્ય ગૌતમ સ્વામીએ ત્રણ લોકના નાથ ભગવંત શ્રીમન મહાવીરસ્વામી પાસે સૂર્યની વક્તવ્યતા પૂછી, જે રીતે ભગવંતે તેના ઉત્તરો આપ્યા, તે પ્રકારે દેખાડે છે. પહેલાં નગરી-ઉધાનના નામપૂર્વક સર્વ કથન કહેવાની ઈચ્છાવાળાએ આમ કહ્યું.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy