SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/-|-/૨૨૮ થી ૨૩૪ દિશા-વિદિશામાં યાવત્ જતાં, અહીં સહચાર નામે કલ્પ છે. શેષ બ્રહ્મલોકવર્તી જાણવું. વિશેષ એ - ૬૦૦૦ વિમાનાવાસ કહેલ છે. દેવો પૂર્વવત્ અવતંસકો ઈશાનના છે તેમ જાણવા. વિશેષ અ - મધ્યમાં સહચારવતુંસક છે યાવત્ વિચરે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ સહસાર વસે છે. સનકુમાર માફક જાણવા. વિશેષ એ - ૬૦૦૦ વિમાનાવાસ, ૩૦,૦૦૦ સામાનિકો, ૧,૨૦,૦૦૦ આત્મરક્ષકો યાવત્ આધિપત્યાદિ કરતો રહે છે. ભગવન્ ! પતા-પર્યાપ્તા આનત-પ્રણત દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન્ ! આનત-પ્રાણત દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! સહસ્રાર કલ્પની ઉપર સમાન દિશા-વિદિશામાં ક્યાં વસે છે ? ગૌતમ ! મધ્યમ રૈવેયકની ઉપર યાવત્ જઈને અહીં ઉપલીજૈવેયકના ત્રણ ત્રૈવેયક વિમાન પસ્તટ છે. શેષ નીચલી ત્રૈવેયકવ કહેવું. માત્ર અહીં ૧૦૦ વિમાનાવાસ છે. બાકી બધું અહમિદ્ર પર્યન્ત પૂર્વવત્ કહેવું. [૩૩] નીચલી પ્રૈવેયકના ૧૧૧, મધ્યમના ૧૦૩, ઉપલીના ૧૦૦ અને અનુત્તરના પાંચ વિમાનો કહ્યા છે. ૧૧૩ [૩૪] ભગવન્ ! યતિ-અપચાિ અનુત્તરોપાતિક દેવોના સ્થાનો ક્યાં છે? ભગવન્ ! અનુત્તરોષપાતિક દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ પ્રભાપૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર આદિથી ઘણાં સો યોજન યાવત્ ઘણાં કોડાકોડી યોજન ઉંચે જઈને સૌધર્મ, ઈશાનાદિ યાવત્ ૩૧૮ ત્રૈવેયક વિમાનાવાસને ઓળંગીને ત્યાંથી અત્યંત દૂર જતાં રજરહિત, નિર્મળ, નિરંધકાર, વિશુદ્ધ એવા પાંચ દિશામાં પાંચ અનુત્તર મહા-મોટા મહાવિમાનો છે – વિજય, વૈજ્યંત, જ્યંત, અપરાજિત, સતથિસિદ્ધ. તે વિમાનો સર્વે રત્નમય, - x - વત્ - X - પ્રતિરૂપ છે. અહીં અનુત્તરોપપાતિક પતિા-પર્યાપ્તા દેવોના સ્થાનો કહ્યા છે. ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં અનુત્તરોપપાતિક દેવો વસે છે. બધાં સમઋદ્ધિક - ૪ - ચાવત્ - ૪ - અહમિદ્રનામે દેવગણ કહેલ છે. • વિવેચન-૨૨૮ થી ૨૩૪: સનત્કૃમાર કલ્પમાં - સવિય - ચાર દિશારૂપ પાર્શ્વ ભાગ, પ્રતિનિમિત્ત - સમાન ચારે વિદિશામાં. સામાનિકની સંગ્રહણી ગાથા - જેમકે સૌધર્મેન્દ્રના ૮૪,૦૦૦ સામાનિકો, ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦ સામાનિકો ઈત્યાદિ - x - જાણવું. અવહંસકો અતિદેશથી કહ્યા છે, માટે દૂરવબોધ છે. તેથી શિષ્યજનના અનુગ્રહાર્થે કહે છે - સૌધર્મમાં પૂર્વમાં અશોકાવતંસક, દક્ષિણમાં સપ્તપર્ણ, પશ્ચિમમાં ચંપક, ઉત્તરમાં ચૂતાવતંસક, મધ્યે સૌધર્મવતંસક. એ પ્રમાણે પૂર્વાદિ ક્રમથી ઈશાનમાં અંકાવતંસકાદિ જાણવા, સતકુમારમાં અશોકાદિ, માહેન્દ્રમાં અંકાદિ એ પ્રમાણે - x છે. ત્રૈવેયક સૂત્રમાં - સમઋદ્ધિક ઈત્યાદિ કહેવું. કળિવા ઈન્દ્ર રહિત, 20/8 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અપેસ-પ્રેષ્ટ રહિત, અપુરોયિ - પુરોહિત-શાંતિકર્મકારી રહિત કેમકે ત્યાં અશાંતિનો અભાવ છે. ૧૧૪ • સૂત્ર-૨૩૫ થી ૨૫૬ - [૨૩૫] ભગવન્ ! સિદ્ધોના સ્થાનો કાં કહ્યા છે ? ભગવન્ ! સિદ્ધો ક્યાં વસે છે ? ગૌતમ ! સથિસિદ્ધ મહાવિમાનની ઉપરની સ્તુપિકાથી ભાર યોજન ઉંચે પગભારા નામે પૃથ્વી છે. તે ૪૫-લાખ યોજન લંબાઈ-પહોડાઈથી છે. તેની પરિધિ - ૧,૪૨,૩૦,૨૪૯ યોજનથી કંઈક અધિક છે. ઈપત્લાભારા પૃથ્વીના બહુમધ્યદેશ ભાગનું આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર, આઠ યોજન જાડાઈથી છે. ત્યારપછી થોડી થોડી પ્રદેશ પરિણતિથી ઘટતા-ઘટતા સર્વ બાજુના છેડામાં માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી છે અને જાડાઈમાં ગુલનો અસંખ્યાત ભાગ છે. - ઈષામારા પૃથ્વીના બાર નામ છે ઈષત, ઈશ્વüાગભારા, તન્વી, તનુતન્વી, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તૂપિકા, લોકાપતિવાહિની, સર્વ પણ ભૂત જીવ સત્વ સુખાવહા. તે ઈષપ્રાગમારા પૃથ્વી શ્વેત, શંકદલ જેવા વિમલ, સ્વસ્તિક-મૃણાલ-જલકણ-ઝાકળ-ગાયનું દૂધ-હાર જેવા વર્ણવાળી છે. તે ચત્તા મૂકેલા છત્રના આકારે, સર્વ શ્વેત સુવર્ણમય છે, તે સ્વચ્છ, સુકોમલ, સ્નિગ્ધ, ધૃષ્ટ, સૃષ્ટ, રજ-લ-પંક-આવરણ રહિત, પ્રભાશોભા-ઉધોતસહિત, પ્રાસાદીયાદિ ચારે છે. તે ઈષત્પાભારાથી નીસરણીની ગતિથી એક યોજન ઉપર લોકાંત છે, તે યોજનના ઉપરના એક ગાઉ, તે ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ-અનંત, અનેક જન્મ-જરા-મરણ-યોનિના પરિભ્રમણનો કલેશ, પુનર્ભવ અને ગર્ભવાસના પ્રપંચ રહિત, શાશ્વત, અનાગતકાળ રહે છે. ત્યાં પણ વેદવેદના-મમત્વ રહિત, અસંગ, સંસારથી મુક્ત, પ્રદેશનિવૃત્તાકારે રહે છે. [૨૩] સિદ્ધો માં પ્રતિહત, ક્યાં પ્રતિષ્ઠિત છે ? ક્યાં શરીર છોડીને, ક્યાં જઈને સિદ્ધિ પદને પામે છે ?... [૩૭] અલોકમાં સિદ્ધો રોકાયેલ છે, લોકાગે પ્રતિષ્ઠિત છે. અહીં શરીરનો ત્યાગ કરી ત્યાં જઈને સિદ્ધ થાય છે... [૩૮] લાંબું કે ટૂંકું છેલ્લા ભવે જે સંસ્થાન હોય તેનાથી ત્રીજો ભાગ હીન સિદ્ધની અવગાહના કહી છે. [૨૩] અહીં શરીર તતા છેલ્લા સમયમાં આત્મ પ્રદેશમાં ધનરૂપ જે સંસ્થાન હોય તે સંસ્થાન ત્યાં સિદ્ધને હોય. [૨૪૦] ૩૩૩-૧/૩ ધનુષ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે.... [૪૧] ચાર હાથ અને ત્રીજો ભાગ ન્યૂન એક હાથ સિદ્ધોની મધ્યમ અવગાહના છે. [૪૨] એક હાથ અને આઠ અંગુલ અધિક, સિદ્ધોની જઘન્ય અવગાહના છે... [૪૩] સિદ્ધોની અવગાહના શરીરના ત્રીજા ભાગ વડે હીન છે. તેથી જરા-મરણથી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy