SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-/-/૫૨૦,૫૨૧ મારણાંતિક સમુ યુક્ત આનતદેવના હૈ શરીરની અવ કેટલી છે? વિસ્તાર-જાડાઈ-લંબાઈ ઉપર મુજબ, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીછુ મનુષ્યોગ, ઉંચે અચ્યુતકા સુધી. એમ આરણ સુધી જાણવું. અરયુત દેવને એમ જ સમજવું, પણ ઉપર પોત-પોતાના વિમાન સુધી હોય. મરણ સમુદ્ઘતિયુક્ત ત્રૈવેયક દેવની હૈ શ અવગાહના ? વિસ્તાર, જાડાઈમાં શરીરપમાણ, લંબાઈ જઘન્યથી વિધાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીછું મનુષ્યક્ષેત્ર પર્યન્ત, ઉપર પોતપોતાના વિમાન સુધી હોય. અનુત્તરૌપપાતિકને એમ જ જાણવું. ભગવન્ ! કામણ શરીર કેટલા ભેદે છે ? પાંચ એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય કામણ શરીર. એમ તૈજસશરીરનો ભેદ, સંસ્થાન, અવગાહના કહ્યા તેમ અનુત્તરીપપ્પાતિક સુધી બધું કહેવું. • વિવેચન-૫૨૦,૫૨૧ : આ તૈજસ શરીર બધાંને અવશ્ય હોય છે. તેથી જેમ એકેન્દ્રિય યાવત્ ચઉરિન્દ્રિયમાં ઔદારિક શરીરનો ભેદ કહ્યો. તેમ વૈજસશરીરનો ભેદ કહેવો. પંચે તૈજસ શરીરના વિચારમાં નાકથી દેવ પર્યન્ત ચાર ભેદે તૈજસશરીર છે. તેમાં નારકના તૈજસશરીરમાં વૈક્રિય શરીર માફક પર્યાપ્તા-અપર્યાપ્તાના બે ભેદો કહેવા, જેમકે - જો નૈર પંચે તૈજસ શરીર છે તો શું રત્નપ્રભા પૃથ્વી નૈરયિક તૈજસ શરીર છે કે યાવત્ અધઃસપ્તમી૰? ઈત્યાદિ - X + X - 1 · પંચે૰તિર્યંચ, મનુષ્યોને પૂર્વે ઔદાકિ શરીરનો ભેદવત્ અહીં પણ કહેવું. જેમકે - ભગવન્ ! તૈજસ શરીર તિર્યંચ પંચેન્દ્રિયનું કેટલા પ્રકારે છે ? ઈત્યાદિ. દેવાનો વૈક્રિયશરીરનો ભેદ કહ્યો, તેમ વૈજસશરીરનો ભેદ કહેવો. - X - - ૩૫ તૈજસશરીરના પ્રકાર કહ્યા હવે તેનું સંસ્થાન કહે છે, તે સૂત્ર સુગમ છે. અહીં જીવ પ્રદેશાનુસારી તૈજસ શરીર છે. તેથી તે તે યોનિમાં ઔદાસ્કિ કે વૈક્રિય શરીરાનુસાર જીવપ્રદેશોનું જે સંસ્થાન હોય તે જ તૈજસશરીરનું સંસ્થાન હોય. જેમાં દેવ, નારકને વૈક્રિય, બાકીનાને ઔદારિક કહ્યા મુજબ હોય. હવે તૈજા શરીરની અવગાહના - તેમાં નૈરયિક આદિ મારણાંતિક સમુદ્ઘાતથી યુક્ત જીવોની વિવક્ષા કર્યા સિવાય સામાન્ય સંસારી જીવનું તૈજસશરીર અવગાહનાથી કહ્યું. તેમાં વિખુંભ-ઉદરાદિનો વિસ્તાર, બાહલ્ય-છાતી અને પીઠના ભાગની સ્થૂળતા, તે તૈજસશરીરવગાહના શરીપ્રમાણ છે. લંબાઈ જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ છે. આ અવગાહના તદ્દન પાસે રહેલા એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતાં એકેની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટાવગાહના લોકાંતથી લોકાંત સુધી હોય. અર્થાત્ અધોલોકાંતથી ઉર્ધ્વલોકાંત સુધી હોય. આ અવગાહના પ્રમાણ સૂક્ષ્મ કે બાદર એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવું, બીજા જીવની અપેક્ષાએ નહીં, કેમકે બીજાને સંભવ નથી, - ૪ - અધોલોકાંતે વર્તતો એકેન્દ્રિય ઉર્ધ્વલોકાંતે કે ઉર્ધ્વલોકાંતે વર્તતો એકેન્દ્રિય અધોલોકાંતે ઉત્પન્ન થવાને ૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ યોગ્ય હોય ત્યારે તેને મારણાંતિક સમુદ્ઘાત કરતાં ઉપરોક્ત શરીરાવગાહના હોય છે, એ કથન મુજબ પૃથ્વી આદિ પાંચેનો વિચાર કરવો - ૪ - ૪ - બેઈન્દ્રિય સૂત્રમાં લંબાઈ વડે જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ વૈજા શરીરની અવગાહના હોય, જ્યારે આવો અપર્યાપ્ત બેઈન્દ્રિય પોતાની નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયાદિપણે ઉત્પન્ન થાય ત્યારે જાણવી અથવા જે શરીરમાં સમુદ્ઘાત કરે, તે સમુદ્દાત વડે શરીરથી નીકળેલા તૈજસ શરીરની અવગાહનાનો આયામ વિખંભથી વિચાર કરાય છે. પણ શરીર સહિત તૈજસ શરીરની અવગાહના વિચારાતી નથી. જો એમ ન હોય તો ભવનપત્યાદિની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ કહેવાશે, તેની સાથે વિરોધ આવશે. કેમકે ભવનપત્યાદિનું શરીર સાત હાથ આદિ પ્રમાણ છે. તેથી મોટા શરીરવાળા બેઈન્દ્રિય પોતાના નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે આ અવગાહના જાણવી અને ઉત્કૃષ્ટ અવગાહના તીંછલોકથી અધો કે ઉર્ધ્વ લોકાંત જાણવી. તેટલી અવગાહના બેઈન્દ્રિયના એકેન્દ્રિયમાં ઉત્પત્તિ આશ્રીને સમજવી. - ૪ - x - તીર્કાલોકના ગ્રહણનું કારણ એ છે કે – પ્રાયઃ બેઈન્દ્રિયનું સ્વસ્થન તીİલોક છે. અન્યથા અધોલોકમાં એક ભાગમાં અધોલૌકિક ગ્રામાદિમાં પણ તથા ઉર્ધ્વલોકના એક ભાગમાં પંડકવનાદિમાં પણ બેઈન્દ્રિયનો સંભવ છે, તેની અપેક્ષાએ આ અવગાહના સમજવી. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કહેવા. વૈરયિક સૂત્રમાં લંબાઈ વડે જઘન્યથી સાધિક ૧૦૦૦ યોજન કહ્યા. તે આ રીતે – વલયમુખાદિ ચાર પાતાળ કળશો લાખ યોજન ઉંડા છે. તેની ઠીકરી ૧૦૦૦ યોજન જાડી છે, તેઓની નીચેનો ત્રીજો ભાગ વાયુથી ભરેલો છે, ઉપરનો ત્રીજો ભાગ સંપૂર્ણ પાણીથી ભરેલો છે, વરચેનો ત્રીજો ભાગ વાયુ અને પાણીના વધવા-ઘટવાના સ્વભાવવાળો છે. તેમાં જ્યારે કોઈ સીમંતકાદિ નકાવાસોમાં વર્તતો નૈરયિક જે પાતાળકળશ નજીક છે, તે પોતાના આયુક્ષયથી નીકળીને ૧૦૦૦ યોજન પ્રમાણ કળશની ભીંતને ભેદી પાતાળકળશના બીજા કે ત્રીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે મારણાંતિક સમુદ્ઘાત કરતા નૈરયિક સાધિક હજાર યોજન પ્રમાણ તૈજસ શરીરાવગાહના હોય ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નસ્ક સુધી તથા તીર્દી સ્વસંભૂરમણ સમુદ્ર સુધી, ઉર્ધ્વલોકમાં પંડકવનની પુષ્કરિણી સુધી જાણવી. - x - જ્યારે નીચેની સાતમી નપૃથ્વીનો નાક સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે પંડકવનમાં પુષ્કરિણીનાં મત્સ્યરૂપે ઉત્પન્ન થાય ત્યારે હોય છે. તિર્યંચજ પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ તીર્થાલોકથી લોકાંત સુધીની અવગાહના હોય છે. અહીં પણ બેઈન્દ્રિયવત્ વિચારવું. કેમકે એકેન્દ્રિયોમાં તિર્યંચ પંચેની ઉત્પત્તિ સંભવે છે. મનુષ્યની સમય ક્ષેત્રથી લોકાંત સુધી અવગાહના હોય છે. જેમાં સમયપ્રધાન છે, તે સમયક્ષેત્ર. અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યાદિની ગમનક્રિયા વડે વ્યક્ત સમય
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy