________________
૧૭/૧/- ૪૪૬
મહાશરીરી પર્યાપ્તાવસ્થામાં આહાર કરે છે. શ્વાસોચ્છ્વાસ પૂર્વોક્ત હોવા છતાં પૂર્ણ ભવની અપેક્ષાથી વારંવાર કહેવાય છે. અપર્યાપ્ત અવસ્થામાં લોમાહાર નહીં ઓજાહાર કરે છે, માટે ‘કદાયિત્’ કહ્યું. એ રીતે ઉછ્વાસ પણ અપર્યાપ્તાવસ્થામાં લેતા-મૂકતા નથી, બીજા સમયે લે છે, માટે કહ્યું કે “કદાચિત્' લે આદિ.
હવે કર્મસૂત્ર બધાં અસુકુમારો સમાનકર્મી છે આદિ. અહીં નૈરયિકની અપેક્ષાએ ઉલટું છે. - ૪ - કેવી રીતે ? અસુકુમારો સ્વભવથી નીકળી તિર્યંચ અને મનુષ્યમાં ઉપજે, તેમાં પણ કેટલાંક એકેન્દ્રિય તિર્યંચમાં કેટલાંક પંચેન્દ્રિયોમાં ઉપજે. મનુષ્યપણામાં કર્મભૂમિજ-ગર્ભજમાં ઉપજે. છ માસ આયુ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે. ત્યારે એકાંત તિર્યંચ યોગ્ય કે એકાંત મનુષ્ય યોગ્ય પ્રકૃતિઓનો ઉપચય કરે છે. તેથી પૂર્વોત્પન્ન મહાકર્મી છે, પશ્ચાતોત્પન્નને હજી પરભવાયુ બાકી છે. તેથી તિર્યંચાદિ યોગ્ય પ્રકૃતિનો ઉપચય કર્યો નથી. માટે તેઓ અલ્પકર્મી છે. અહીં પણ સમાનસ્થિતિક અને સમાનભવવાળા પરિમિત અસુકુમારો જાણવા. -
- -
વર્ણસૂત્રમાં – પૂર્વોત્પન્ન, અવિશુદ્ધ વર્ણવાળા છે, કેવી રીતે? તેમને ભવ સાપેક્ષ પ્રશસ્ત નામ કર્મનો શુભ અને તીવ્ર રસવાળો ઉદય છે. તે પૂર્વોત્પન્નને ઘણો ક્ષીણ થયેલો છે, તેથી તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા છે. બાકીના વિશુદ્ધ વર્ણવાળા છે. આ પણ સમાન સ્થિતિક અસુકુમારની અપેક્ષાએ સમજવું. વર્ણસૂત્રવત્ લેશ્યાસૂત્ર પણ કહેવું.
અહીં દેવો અને નૈરયિકોને તથાવિધ ભવસ્વભાવ લેશ્યા પરિણામ ઉત્પત્તિ સમયથી ભવક્ષય પર્યન્ત નિરંતર હોય છે, જેથી ત્રીજા લેશ્યા ઉદ્દેશામાં કહેવાશે કે - કૃષ્ણલેશ્તી નૈરયિક કૃષ્ણલેશ્રી નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ. ભાવાર્થ એ છે – પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યાસુ ક્ષીમ થવાથી નૈરચિકાયુ વેદતો ઋજૂ સૂત્ર નય દૃષ્ટિથી વિગ્રહગતિમાં વર્તતો હોય, તો પણ નાક જ કહેવાય. તેને કૃષ્ણલેશ્યાદિનો ઉદય પૂર્વભવનું અંતર્મુહૂર્ત આયુ બાકી હોય ત્યારે જ હોય છે.
અંતર્મુહૂર્ત ગયા પછી, અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરિણત થયેલ લેશ્યા વડે જીવ પરલોકમાં જાય છે. કેવળ તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની લેશ્માનું અંતર્મુહૂર્ત ગયા પછી અને દેવ-નારકો પોતાના ભવની લેશ્માનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરલોકમાં જાય છે. લેશ્યા અધ્યયનમાં નાકાદિને વિશે કૃષ્ણાદિ લેશ્માની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. [જે અમે અત્રે નોંધતા નથી.] - X - ૪ - x + પૃથ્વી, અ, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યાઓ હોય છે. અગ્નિ, વાયુ, વિલેન્દ્રિયો, સંમૂર્ત્તિમ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કૃષ્ણાદિ ત્રણ લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કૃષ્ણાદિ ત્રણ લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોને છ એ લેશ્યાઓ હોય છે. - ૪ - નાકાદિની લેશ્યાની સ્થિતિ કહીને હવે દેવોની લેશ્માની સ્થિતિ કહે છે. [વા અધ્યયનમાં આ વર્ણન હોવાથી અમે વૃત્તિનો અનુવાદ કરી પુનરુક્તિ કરેલ નથી. 21/10
-
૧૪૫
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
અક્ષરગમનિકા આ પ્રમાણે – જે જે પૃવીકાયિકાદિ કે સંમૂર્ણિમ મનુષ્યાદિમાં
જે કૃષ્ણાદિ લેશ્યાઓ છે, તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એ લેશ્યાઓ કોઈને વિશે કોઈ હોય છે - જે ઉપર કહી છે - જેમકે - પૃથ્વી, અ, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યા હોય છે ઈત્યાદિ. દેવાદિની લેસ્સાસ્થિતિ વર્ણનમાં આટલું વિશેષ છે કે -
૧૪૬
દેવો અને નૈરયિકોને લેશ્યા દ્રવ્યનો પરિણામ ઉત્પત્તિના સમયથી આરંભી, ભવના અંત સુધી નિરંતર હોય છે. - ૪ - વેદનામાં નૈરયિકોની માફક અસુકુમારો પણ કહેવા. કેમકે ત્યાં પણ અસંજ્ઞીની ઉત્પત્તિ હોય છે. વિશેષ એ કે – જેઓ સંજ્ઞીભૂત છે તે સમ્યગ્દૃષ્ટિ હોવાથી મહાવેદનાવાળા છે, કેમકે ચારિત્ર વિરાધનાથી તેમના ચિત્તને સંતાપ થાય છે અસંજ્ઞીભૂત-મિથ્યાર્દષ્ટિને અલ્પવેદના છે - ૪ - અથવા પૂર્વ ભવે સંજ્ઞી હોય તે અથવા પર્યાપ્તા, શુભ વેદનાને આશ્રીને મહાવેદનાવાળા છે, અપર્યાપ્તા અલ્પવેદનાવાળા છે. બાકીનું વૈરયિકવત્ જાણવું. સુગમ છે. - X + X -
• સૂત્ર-૪૪૭ :
પૃથ્વીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેશ્યાથી નૈરયિકો માફક જાણવા. પૃથ્વીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? પૃથ્વીકાયિકો બધાં અસંતી છે, અસંજ્ઞીભૂત અનિયત વેદના વેટે છે. તેથી કહ્યું કે પૃથ્વીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે.
-
ભગવન્ ! પૃથ્વીકાયિકો બધાં સમાન ક્રિયાવાળા છે ? હા, ગૌતમ ! છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? પૃથ્વીકાયિકો બધાં માસી મિથ્યાદષ્ટિ છે, તેમને પાંચ ક્રિયાઓ અવશ્ય હોય. તે આ – આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયિકી, પ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયિકી. તે હેતુથી આમ કહ્યું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યો નૈરયિકવત્ જાણવા, પરંતુ ક્રિયા વડે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદૃષ્ટિ હોય છે.
જે સમ્યગ્દષ્ટિ છે તે બે ભેટે છે અસંયત અને સંતાસંયત. તેમાં સંયતાસંયતને ત્રણ ક્રિયાઓ છે – આરંભિકી, ગ્રિહિકી, માયાપ્રત્યયિકી. જે અસંત છે, તેમને ચાર ક્રિયાઓ છે – આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયિકી, પત્યાખ્યાનક્રિયા. જે મિથ્યાદષ્ટિ અને મિશ્રદૃષ્ટિ છે, તેમને અવશ્ય પાંચ ક્રિયા છે – ઉક્ત ચાર ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયિકી. બાકી પૂર્વવત્. • વિવેચન-૪૪૭ :
પૃથ્વીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેશ્યા વડે નૈરયિકો માફક કહેવા. પૃથ્વીકાયિકોના આહારાદિ વિષયક ચાર સૂત્રો નૈરચિક સૂત્રો માફક પૃથ્વીકાયિકના આલાવાથી કહેવા. કેવળ આહાર સૂત્ર આમ ભાવના છે - પૃથ્વીંકાયિકોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીર છતાં પણ અલ્પશરીર - મહાશરીર આગમ વચનથી જાણવું. આગમ વચન આ છે – પૃથ્વીકાયિક પૃથ્વી અપેક્ષાએ ચાર સ્થાનને
-