________________
૧/-/૧૮
૧૩૯
વ્યાખ્યા - ઓસ-ઝાકળ, હિમ-Mફ, મહિકા-ધુમ્મસ, કરક-ઘનોપલ, હરતનુભૂમિફોડા ઉપરના જળબિંદુ, શુદ્ધોદકઆકાશથી પડેલ કે નધાદિ ગત પાણી, તેના સ્પર્શ, રસાદિ ભેદથી અનેક ભેદ છે. તે આ - શીતોદક એટલે નદી, તળાવ, વાવ, પુષ્કરિણી આદિમાં શીત પરિણામ પામેલ. ઉણોદક-સ્વભાવથી જ કવયિતુ ઝરણાદિમાં ઉણ પરિણામ. ક્ષીરોદક-કંઈક લવણ પરિણામ. ખોદક-કંઈક અખ્ત પરિણામ. અશ્લોદક-અતી સ્વભાવથી જ અસ્ત પરિણામ, લવણાદિ સમુદ્રમાં લવણાદિ જળ. આ તથા અન્ય પણ તેવા પ્રકારના સ, સાશદિ ભેદથી ધૃતોદકાદિ બાદર અપ્રકાયિક, તે બધાં બાદર અપ્રકાયિકપણે જાણવા. તે સંક્ષેપથી ઈત્યાદિ પૂર્વવતુ છે. માત્ર સંખ્યાત યોનિ પ્રમુખને સાત લાખ જાણવી.
તે જીવોની શરીર સંખ્યા આદિ બાદ પૃથ્વીકાયિકવતુ જાણવી. માત્ર સંસ્થાના દ્વારમાં તિબુક સંસ્થાન કહેવું. સ્થિતિદ્વારમાં જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કર્ષથી 9ooo વર્ષ. હવે વનસ્પતિકાયિક કહે છે
• સૂત્ર-૧૯,૨૦ :[૧] તે વનસ્પતિકાયિક શું છે? બે ભેદે – સૂક્ષ્મ, ભાદર,
[૨] તે સૂમવનસ્પતિકાયિક શું છે ? બે ભેદ – પપ્તા, અપચતા, પૂર્વવતુ. વિશેષ આ - અનિયત સંસ્થાન સંસ્થિત, દ્વિગતિક, દ્વિગતિક, અપરિd, અનંતા છે. બાકી બધું પૃધીકાયિકવ4 જાણવું. તે આ સૂમ વનસ્પતિકાયિક કહ્યા.
• વિવેચન-૧૯,૨૦ :
તે વનસ્પતિકાયિક શું છે ? સૂક્ષ્મ અને બાદર. ‘ત્ર' શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે. સૂમ વનસ્પતિકાયના બે ભેદ - પર્યાપ્ત અને અપર્યાપ્ત. શરીર આદિ દ્વાર સુમ પૃવીકાયિકવતું ચિંતવવા. માત્ર સંસ્થાન દ્વારમાં અનિયત આકારવાળા કહેવા. તે સંસ્થાન વડે સંસ્થિત તે અનિયત સંસ્થાન સંસ્થિત. છેલ્લે અપરિતા અનંતા કહ્યું. અર્થાત્ અપ્રત્યેકશરીરી અનંતકાયિક. તેથી જ અનંતા કહ્યા.
• સૂત્ર-૧ થી ૨૮ -
[૧] તે બાદરવનસ્પતિકાસિક શું છે? બે ભેદે . પ્રત્યેકશરીર ભાદર વનસ્પતિકાયિક, સાધારણ શરીર ભાદર વનસ્પતિકાયિક.
[] તે પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયિક શું છે ? તે બાર ભેટે છે • • [૩] • • • વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પગ, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરુહ, કુહણ.
[૨૪] તે વૃક્ષો શું છે? બે ભેદે છે – એકબીજક, બહુબીજક. તે એકબીજક શું છે ? અનેકવિધ છે - નીમ, આમ, fબુ ચાવતુ પુNIણ, નાથ, શ્રીપણ, અશોક તથા બીજા પણ આવા પ્રકારના વૃક્ષ. એના મૂળ અસંખ્યાત જીવવાા છે. એ રીતે કંદ, અંધ, વચા, શાખા, પ્રશાખા, પગ એક એક જીવવાળા છે. પુણો અનેકજીવવાળા, ફળ એકબીજક છે.
૧૮૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ તે બહુબીજક શું છે? અનેક ભેદે છે - અસ્તિક, દુક, ઉંબર, કપિs, આંબળા, પનસ, દાડમ, ન્યધ, કાદુંબર, તિલક, લકુચ, લોધ, ધવ અને બીજ પણ આવા વૃક્ષો. તેના મૂળ અસંખ્યાત જીવવાળા છે, યાવત્ ફળ બહુબીજવાળા છે. બહુબીજક કહ્યા. તે વૃક્ષો, એ પ્રમાણે પ્રજ્ઞાાપના અનુસાર કહેવું પાવતુ આવા પ્રકારના અન્ય.
[૫] વૃક્ષોના સંસ્થાના વિવિધ પ્રકારે છે. તાડ, સરલ અને નાળિયેરના વૃક્ષોના પાન અને સ્કંધ એક એક જીવવાળા છે.
રિ૬] જેમ શ્લેષ દ્રવ્યોથી મિશ્રિત કરેલ અખંડ સરસવની બનાવેલ બટ્ટી એકરૂપ હોય, પણ દાણા અલગ-અલગ હોય છે, એ રીતે પ્રત્યેકશરીરીના શરીરસંઘાત હોય છે.
[૭] જેમ તલપાપડી, તેમ શરીર સંઘાત સમુદાયરય છે. [૨૮] તે આ પ્રત્યેક શરીર માદર વનસ્પતિકાયિક. • વિવેચન-૨૧ થી ૨૮ :
તે બાદર વનસ્પતિકાયિક શું છે ? બે ભેદે - પ્રત્યેક અને સાધારણ શરીર બાદર વનસ્પતિકાય. પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક બાર ભેદે છે – વૃક્ષાઆંબો આદિ, ગુચ્છ-રીંગણા આદિ, ગુભ નવમાલિકા આદિ, લતા-ચંપકલતા આદિ, જે સ્કંધ પ્રદેશમાં વિવક્ષિત ઉર્વશાખા સિવાયની બીજી શાખા, તેના જેવી પરિસ્થૂલ ન નીકળે તે લતા કહેવાય. વલ્લી-કુષ્માંડી, ટપુષી આદિ પર્વગ-શેરડી આદિ, વ્રણકુશ, અર્જુન આદિ. વલય - કેતકી, કદલી આદિ, તેમની જ ત્વચા વલયાકારે રહેલ છે, હરિત-તંદલીયક, વત્યુલા આદિ. ઔષધિ-શાલિ આદિ જે પાકીને સૂકાઈ જાય. જલરૂહ-પાણીમાં ઉગતી. કુહણા-ભૂમિફોડા આદિ.
પ્રજ્ઞાપના સૂત્રોનુસાર ઉક્ત ભેદો કહેવા. * x -
જો આ વૃક્ષાદિના મૂલ આદિ પ્રત્યેક અનેક, પ્રત્યેક શરીર જીવાધિષ્ઠિત છે, તો આ અખંડશરીરી કઈ રીતે પ્રાપ્ત થાય છે? જેમ સર્વે સરસવોના શ્લેષ દ્રવ્ય મિશ્રિત વળીમાં ‘વર્તી' એકરૂપ હોય છે, તે બધાં સસ્સવો પરિપૂર્ણ શરીરી થઈ પૃથક પૃથક્ સ્વસ્વ અવગાહનાથી રહે છે, આ ઉપમા વડે પ્રત્યેક શીરી જીવોનો શરીરસમૂહ પૃથક પૃથક સ્વ-સ્વ અવગાહનાવાળો હોય છે. અહીં શ્લેષ દ્રવ્યસ્થાનીય રાગ-દ્વેષયુકત તથાવિધ સ્વકર્મ, સકલ સરસવ સ્થાનીય પોકશરીર છે. સકલ સરસવ ગ્રાહણ વિવિક્ત પ્રતિપતિથી પૃથક્ પૃથક સ્વ-સ્વ અવગાહ પ્રત્યેક શરીર પૈવિકવ્ય પ્રતિપતિ અર્પે છે.
આ જ કથન બીજા દેટાંતથી કહે છે – જેમ તલપાપડી, ઘણાં તલ વડે મિશ્રિત છે છતાં પૃથક પૃથક્ સ્વ-સ્વ અવગાહ તલયુક્ત હોય છે, આ ઉપમા વડે પ્રત્યેક શરીરી જીવોનો શરીર સંઘાત જાણવો.
હવે સાધારણ વનસ્પતિકાયના પ્રતિપાદનાર્થે કહે છે - • સૂર-૨૯ :તે સાધારણ શરીર ભાદર વનસ્પતિકાયિક શું છે ? અનેક ભેદે છે -