SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૨ પ્રશ્ન કરાતા ભગવદ્ ગુરુ, શિષ્ય વચનના અનુરોધથી આદશાનાર્થે કંઈક પ્રતિ ઉચ્ચારતા કહે છે - જીવાજીવાભિગમ બે પ્રકારે તીર્થકર અને ગણધરે કહેલ છે. આના દ્વારા અગૃહીત શિષ્યાભિધાનથી નિર્વચન સૂઝથી કહે છે - આ બધું માત્ર ગણધપ્રશ્ન - તીર્થકર તિવચનરૂપ નથી, પણ કંઈક અન્યથા પણ છે. કેવલ સૂમ બાહવાથી ગણધરોએ કહ્યું છે - x • તે જીવાજીવાભિગમ જે રીતે બે ભેદે થાય છે, તે રીતે દેખાડે છે. જીવાભિગમ અને અજીવાભિગમ. ૨ શબ્દ વસ્તુતત્વને આશ્રીને બંનેની તુચકક્ષતા જણાવવા માટે છે. * * * * * * * જીવ પછી અજીવ શબ્દ હોવા છતાં અલ્પતર વક્તવ્યત્વથી પહેલાં જીવાભિગમને જણાવવા પ્રશ્નસૂત્ર કહે છે - • સૂત્ર-3 થી પ : ]િ તે અJવાભિગમ શું છે? જીવાભિગમ બે ભેદે છે. તે - પી. અજીતભિગમ અને અરૂપી અજીનાભિગમ. [] તે રૂપી જીવાભિગમ શું છે? તે દશ ભેદે છે - ધમસ્તિકાય આદિ પ્રજ્ઞાપના મુજબ ચાવતું અરૂપી જીવાભિગમ છે. [૫] તે આ રૂપી અજીવાભિગમ શું છે ? તે ચાર ભેદે છે. તે આ - ધ, અંધશ, આંધપ્રદેશ, પરમાણુ યુગલો. તે સંક્ષેપથી પાંચ બેટ છે - વણ-ગાસ-સ્પર્શ-સંસ્થાના પરિણત આ બધુ જેમ પ્રજ્ઞાપનામાં છે તેમ કહેવું. તે રૂપી અજીવાભિગમ, તે અજીવાભિગમ છે. • વિવેચન-3 થી પ : આ અજીવાભિગમ શું છે ? આચાર્ય કહે છે, તે બે ભેદે છે. તે આ - રૂપી જીવાભિગમ અને અરૂપી જીવાભિગમ. જેને રૂપ છે, તે રૂપી. રૂ૫ ગ્રહણ ગંધાદિનું ઉપલક્ષણ છે. તેના સિવાય તેનો અસંભવ છે. તેથી કહ્યું છે - પ્રતિ પરમાણુ રૂપરસ-ગંધ-સ્પર્શ યુક્ત છે. કહ્યું છે - પરમાણુ સૂમ અને નિત્ય હોય છે. એકરસગંધ-વર્ણ અને બે સ્પર્શયુક્ત હોય છે. આના વડે રૂપ અને પરમાણુઓ જુદા છે અને રસાદિ પરમાણુ જુદા જુદા છે - આ મતનું ખંડન કરેલ છે. કેમકે પ્રત્યક્ષાબાધિત છે. - તેથી કહે છે - નિરંતરપણાથી કુચકળશ ઉપર નિવિટ રૂપ પરમાણુ ઉપલબ્ધિ ગોચર, તેમાં જ અવ્યવચ્છેદથી સર્વે પણ સ્પર્શી પ્રાપ્ત થાય છે. જે ધૃતાદિ રસ પરમાણુ કે કર્પરાદિ ગંધ પરમાણુ, તેમાં નિરંતરપણે રૂપ અને સ્પર્શ ઉપલબ્ધિ વિષય છે. • x - તેથી પરસ્પર રૂપાદિ અતિરેક છે. રૂપી એવા તે અજીવનો અભિગમ તે રૂપીઅજીવાભિગમ. અર્થાત પુદ્ગલરૂપ અજીવાભિગમ. કેમકે પુદ્ગલોને જ રૂપાદિપણું છે. રૂપ સિવાય તે અરૂપી - ધમસ્તિકાયાદિ, તે અજીવ એવા અરૂપી છે, તેનો અભિગમ તે અરૂપી અજીવાભિગમ. તેમાં અરૂપી તે પ્રત્યક્ષાદિ - અવિષય છે, માત્ર આગમ પ્રમાણ ગમ્ય છે. તેથી પહેલા તેના સંબંધમાં પ્રશ્નસૂર કહ્યું છે. અરૂપી અજીવાભિગમ દશ પ્રકારે કહેલ છે. તેનું દશવિધવુ કહે છે – [17/11] ૧૬૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ધમસ્તિકાયાદિ. જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું છે, તેમ કહેવું. તે આ છે – ધમસ્તિકાય, ધમસ્તિકાયદેશ, ધમસ્તિકાય પ્રદેશ, અધમસ્તિકાય, અધમસ્તિકાય દેશ, અઘમસ્તિકાય પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, અદ્ધાસમય. તેમાં જીવો અને પુદ્ગલોના જે સ્વભાવથી જ ગતિ પરિણામ પરિણતોનું તે સ્વભાવ ધારણ અને પોષણથી ધર્મ. મત - પ્રદેશો, તેની વય - સંઘાત. તોય - પ્રદેશ સંઘાત. આના દ્વારા સકલ ધમકાય રૂપ અવયવિ દ્રવ્ય કહે છે. અવયવ - અવયવોના તથારૂપ સંઘાત પરિણામ વિશેષ જ, પણ અવયવદ્રવ્યથી પૃથક્ બીજું દ્રવ્ય નહીં. કેમકે તે પ્રાપ્ત નથી. તંતુઓ જ આતાન-વિતાનરૂપ સંઘાત પરિણામ વિશેપથી પ્રાપ્ત લોકમાં પટ-વ્યપદેશ-ભાગું પ્રાપ્ત છે, પણ તેના સિવાય “પટ' નામક દ્રવ્ય નથી. •x - x - ધર્મસંગ્રહણીટીકામાં તેની ચર્ચા છે. તેનો જ બુદ્ધિ પરિકલ્પિત હુઢ્યાદિ પ્રદેશાત્મક વિભાગ તે ધર્માસ્તિકાય દેશ. ધમસ્તિકાય પ્રદેશ-પ્રકૃષ્ટ દેશ, નિર્વિભાગ ભાગ. તે અસંખ્યય છે. કેમકે તેનું લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વ છે. ધર્માસ્તિકાયનું પ્રતિપક્ષભૂત તે અધમસ્તિકાય – જીવોના અને પુદ્ગલોના સ્થિતપરિણામ પરિણતોના તત્પરિણામ ઉપખંભક અમૂર્ત અસંખ્યાત પ્રદેશાત્મક તે અધમસ્તિકાય. - X - માવાણ - ચોતરફથી સર્વે દ્રવ્યો દીપ છે તે. મતિ - પ્રદેશ, તેનો જે કાય તે અસ્તિકાય. આકાશાસ્તિકાયનો દેશ આદિ પૂર્વવતું. માત્ર તેના પ્રદેશો અનંત છે, કેમકે અલોકનું અનંતત્વપણું છે. દ્વાનમય - અદ્ધા એટલે કાળ, અદ્ધા એવો સમય અથવા અદ્ધાનો સમય નિર્વિભાગ ભાગ તે અદ્ધા સમય. આ એક જ વર્તમાન પરમાર્થથી છે, પણ અતીતઅનામત નથી, કેમકે તેમનું યથાક્રમ વિનષ્ટ અનુત્પન્ન છે. પછી કાયવ અભાવથી દેશ, પ્રદેશ કક્ષાના વિરહ છે. હવે આકાશ અને કાળ તો લોકમાં પ્રતીત હોવાથી શ્રદ્ધા માટે શક્ય છે, પણ ધર્મ-અધર્માસ્તિકાયને કેમ માનવા ? કે જેથી તેના વિષયમાં શ્રદ્ધા થાય. • કહે છે - ગતિ અને સ્થિતિરૂપ કાર્યદર્શનથી. • x • જેમ ચક્ષ ઈન્દ્રિયથી ચાક્ષુષ્ય વિજ્ઞાન છે, તેમ જીવો અને પુદ્ગલોનું ગતિ-સ્થિતિ પરિણામ પરિણતરી યથાક્રમે ધમધમસ્તિકાય. * * * * * જીવોની અને પુદ્ગલોની ગતિસ્થિતિ પરિણામ પણિત છતાં ગતિસ્થિતિ છે, તેના પરિણમન માત્ર હેતુક નથી. તેની માત્ર હેતુકવામાં અલોકમાં પણ તે પ્રવર્તે. તેથી તે માત્ર પરિણમત હેતુ નથી, પણ વિશિષ્ટ પરિણામ છે. તે આ રીતે - લોકમાત્ર ક્ષેત્રના અંતરમાં આની ગતિ-સ્થિતિ થાય છે, તેની બહાર પ્રદેશ મામ અધિક નહીં. શું આવા પ્રકારના વિશિષ્ટ પરિણામ આકાલ જીવો અને પુદ્ગલોને ઉત્કર્ષથી પણ આટલા પ્રમાણમાં જ થયા, છે અને થશે કે કયારેક અધિકતર નહીં, આનું
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy