SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીનાભિગમ ઉપાગ -૩/૧ _ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન • ભૂમિકા : અહીં સગદ્વેષાદિથી અભિભૂત સાંસારિક જીવો વડે અસહ્ય શારીર-માનસિક દુ:ખોપનિપાત પીડિતથી તેને દૂર કરવા હેય-ઉપાદેય પદાર્થના જ્ઞાનમાં પ્રયત્ન કરવો. તે વિશિષ્ટ વિવેકના સ્વીકાર સિવાય ન થાય. સંપૂર્ણ અતિશયકલા પ્રાપ્ત ઉપદેશમૃત સિવાય વિશિષ્ટ વિવેક ન પ્રાપ્ત થાય. રાગદ્વેષમોદાદિ દોષોના આત્યંતિક ક્ષયથી તે પ્રાપ્ત થાય. તે દોષોનો આત્યંતિક પ્રક્ષય અહંને જ હોય. તેથી અનુવચનનો અનુયોગ આરંભીએ છીએ. તેમાં આચારાદિ શાસ્ત્રનો અનુયોગ પૂર્વાચાર્ય વડે અનેકવાર કરાયો, તેથી તેનું વ્યાખ્યાન કરતા નથી. તેથી જે ત્રીજું સ્થાન નામક રંગના ગવિશ્વમાં પરમ મંત્રરૂપ, હેપઅગ્નિમાં સલિલપૂર સમાન, તિમિરમાં સૂર્યસમાન ભવસમુદ્રમાં પરમસેતુ રૂપ મહાપ્રયત્ન ગમ્ય, ચાણને આપનાર જીવાજીવાભિગમ નાસતા ઉપાંગને પૂર્વટીકાકારે અતિગંભીર અલાક્ષર વડે વ્યાખ્યા કરી છે. તેથી મંદબુદ્ધિના ઉપકાર માટે, તેમના અનુગ્રહને માટે સવિસ્તાર એન્વાખ્યાન કરીએ છીએ. તેમાં જીવાજીવાભિગમના - X - પ્રયોજનાદિને પહેલા કહીએ છીએ. •X - X • તેમાં પ્રયોજન બે ભેદે પરમ અને અપરમ. તે એકએકના બે ભેદ - કર્તુગત અને શ્રોતૃગત. તેમાં આગમના દ્રવ્યાસ્તિક નયમતના પર્યાલોચન માટે નિત્યવ કર્તાનો અભાવ છે. •x-x• પર્યાયાર્તિકનયમત પયલિોચનામાં અનિત્યવથી અવશ્યભાવી તેનો સદ્ભાવ છે. તcવપર્યાલોચનામાં તો સૂઝાઈઉભય રૂપવથી આગમના અર્થની અપેક્ષાથી નિત્યસ્વ વડે અને સૂત્ર અપેક્ષાથી અનિત્યત્વથી કથંચિત કઈ સિદ્ધિ છે. તેમાં સૂત્રકર્તાને પરમ ચાપવર્ગની પ્રાપ્તિ, બીજાને સવાનુગ્રહ છે. તેના અર્થ પ્રતિપાદક અરહંતને શું પ્રયોજન છે ? તે કહે છે - કોઈ પ્રયોજન નથી. કેમકે ભગવકૃતકૃત્ય છે. પ્રયોજન સિવાય અર્થપતિપાદન પ્રયાસ નિરર્થક ન થાય ? ના, કેમકે તે તીર્થકર નામકર્મ વિપાકના ઉદયથી જન્મે છે. •x• શ્રોતાઓનું અનંતર પ્રયોજન વિવક્ષિત અધ્યયનનું અર્થ પરિજ્ઞાન છે, પરમ નિઃશ્રેયસ પદ છે. વિવક્ષિત અધ્યયનના સભ્ય અર્થના બોધથી સંયમ પ્રવૃત્તિ વડે સર્વકર્મક્ષયની પ્રાપ્તિ છે. તેથી પ્રયોજનવાનું અધિકૃતું અધ્યયન પ્રારંભ છે. અભિધેય જીવ-જીવ સ્વરૂપ. - x • સંબંધ બે ભેદે - ઉપાય, ઉપેય ભાવલક્ષણ અને ગુરૂવકમ લક્ષણ. તેમાં પહેલો તકનુસારી પ્રતિ છે. તે આ - ઉપાય એ વચનરૂપ પ્રાપ્ત પ્રકરણ છે. ઉપેય - તેનું પરિજ્ઞાન છે. ગુરુપર્વકમલક્ષણ ૧૫૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ કેવળ શ્રદ્ધાનુસારી પ્રતિ છે. તે આ - અર્થથી ભગવંત વર્તમાનસ્વામી વડે જીવાજીવાભિગમ કહેવાયું છે. સૂત્રથી બાર અંગોમાં ગણધર વડે કહેવાયું. ત્યારપછી પણ મંદબુદ્ધિના અનુગ્રહ માટે અતિશય ચૌદપૂર્વધર વડે બીજા અંગથી ઉદ્ધરીને પૃથક અધ્યયનપણે સ્થાપિત છે. આ જ સંબંધ વિચારીને સ્થવિર ભગવંતોએ પ્રજ્ઞાપિતવાનું છે તે કહ્યું. આ જીવાજીવાભિગમ નામ અધ્યયન સમ્યગ્રજ્ઞાન હેતુત્વ વડે પરંપરાએ મુક્તિ પદ પ્રાપકપણાથી શ્રેયકારી છે. તેથી આમાં વિઘ્ન ન થાય, તેથી વિદનની ઉપશાંતિ માટે શિષ્યોને મંગલબુદ્ધિ માટે, પોતાને પણ મંગલરૂપ હોવાથી મંગલને સ્થાપે છે. મંગલ આદિ-મધ્ય-અવસાન ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આદિ મંગલ તે 'રૂદ ઇન નિમય' ઈત્યાદિ છે. અહીં જિનનું નામોત્કીર્તન તે મંગલ છે. નામાદિ ભેદ મંગલ ચારભેદે છે. તેમાં આ નોઆગમથી ભાવમંગલ છે. આ અધિકૃતુ અર્થનું પાગમન કારણ છે. મધ્યમંગલ દ્વીપ સમુદ્ર સ્વરૂપ કથન છે. કેમકે નિમિતશાસ્ત્રમાં તેને પરમ મંગલ કહેલ છે. •x- મધ્ય મંગલ અધિકૃત અધ્યયન અર્થના સ્થિરીકરણાર્થે છે. ત્યમંગલ‘થિg Hળ નીવા'' રૂપ છે. સર્વ જીવ પરિજ્ઞાનહેતુથી માંગલિકપણે છે. અંત્ય મંગલ શિષ્ય-પ્રશિષ્ય પરંપરામાં અવ્યવચ્છેદાર્થે છે. હવે આ સર્વ અધ્યયન કઈ રીતે પોતે મંગલરૂપ છે ? નિર્જરાચૈત્વથી તપની જેમ. નિર્જરાર્થતા સમ્યગ્રજ્ઞાન રૂપcવી છે. કહ્યું છે - અજ્ઞાની જે કર્મ કરોડો વર્ષે ખપાવે છે, તે ત્રિવિધ ગુપ્ત જ્ઞાની શ્વાસમાત્રમાં ખપાવે છે. મંગલ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે - જેના વડે હિતની પ્રાપ્તિ થાય તે મંગલ અથવા ધર્મ, તેને લાવે તે મંગલ. આ અધ્યયનમાં મનમાં ભાવથી પરિણમે છે - સમુત્પન્ન થાય છે - સુવિશુદ્ધ સમ્યગદર્શનાદિ તે ભાવધર્મ અથવા મને ભવમાંથી કાઢે - દૂર કરે તે મંગલ. - વિM, TIR - નાશ, શાસ્ત્રનો નાશ કે શાસ્ત્રમાં વિઘ્ન ન થાય તે મંગલ. આ રીતે મંગલ દર્શાવ્યું. હવે અનુયોગ- સુણ પાઠાંતર પછી સુઝની અર્થ સાથે જે ઘટના તે અનુયોગ, સૂરા અધ્યયન પછી અર્થકથન અથવા સૂત્રનો અર્થ સાથે અવિરોધી યોગ તે અનુયોગ. & પ્રતિપત્તિ-ભૂમિકા છે ' સૂત્ર-૧ - અહીંpજૈન પ્રવચન નિચે જિનમત, જિનાનુમત, જિનાનુલોમ, જિનપણિત, જિનપરૂપિત, જિનાખ્યાત, જિનાનુચિર્ણ, જિન પ્રજ્ઞપ્ત, જિનદેશિત, જિનપશસ્ત છે. પર્યાલિોચન કરીને તેની શ્રદ્ધા કરતા, પ્રતીતિ કરતા, રુચિ કરતા વિર ભગવતો અવાજીવાભિગમ નામક અધ્યયન પ્રરૂપિત કરે છે. • વિવેચન-૧ :આ પ્રવચનમાં નિશે, આ જ પ્રવચનમાં પણ બીજા શાક્ય આદિ પ્રવચનમાં
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy