________________
૩)દ્વીપ/૧૮૦
મણિપીઠિકા છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સહાસને પૂવઈભિમુખ થઈને બેસે છે.
• વિવેચન-૧૮૦ :
ત્યારપછી તે વિજયદેવ, વ્યંતરદેવો વડે અતિશય મહાત્ ઈન્દ્રાભિષેકથી અભિષિક્ત થઈ સિંહાસનેથી ઉભો થયો. ઉભો થઈને અભિષેકસભાના પૂર્વ દ્વારથી નીકળીને જ્યાં અલંકારસભા છે, ત્યાં જાય છે. જઈને આલંકાકિસભાને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, તેમાં જ્યાં સીંહાસન છે,
ત્યાં જાય છે. જઈને ઉત્તમ સિંહાસન પૂર્વાભિમુખ બેઠો. પછી તે વિજયદેવના આભિયોગ્ય દેવો ઘણાં બધાં અલંકાર યોગ્ય ભાંડને લાવ્યા.
ત્યારપછી તે વિજયદેવે પ્રથમ તે અલંકારસભામાં પહેલા પદ્મલ અને સુકુમારપણાથી સુરભિગંધ કષાયદ્રવ્યથી પરિકર્મિત લઘુ શાટિકા વડે શરીરને લંડ્યું. લુછીને સરસ ગોશીષ ચંદનથી શરીરને લેપન કર્યું. લીંપીને દેવ દૂર્ણ યુગલ પહેર્યું. કેવું દેવદૂષ્ય ? તે કહે છે - નાકના નિઃશ્વાસથી ઉડી જાય તેવું. આના દ્વારા Gણતા કહી. ચક્ષહર-આત્મવશ કહી દે, તેવું વિશિષ્ટ રૂપાતિશયયુક્ત હોવાથી ચાહેર, અતિશય વર્ણ અને અતિશય સ્પર્શથી યુક્ત. ઘોડાની લાળથી પણ અતિ પાતળું - અર્થાત્ અતિવિશિષ્ટ મૃદુત્વ-લઘુવ ગુણથી યુક્ત.
ધવર્ત - શ્વેત, આંચલ કે છેડે સોનાના તારથી ખચિત. માવજી પટ* અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષ, તેના જેવી પ્રભાવાળું દિવ્ય. દેવ વા યુગ્મને ધારણ કર્યું. ધારણ કરીને હાર આદિ અન્ય આભરણોને ધારણ કરે છે. તેમાં 1 - અઢાર સરો, શ્રદ્વાર - નવસો, એકાવલી - વિચિત્ર મણિકા, મુક્તાવલી - મુકતાફળમયી, કનકાવલી - કનકમણિમયી, પ્રાલંબ - તપનીય મય વિચિત્ર મણિરત્ન ભક્તિ ચિત્ર, સ્વ પ્રમાણ આભરણ વિશેષ. કટક - ક્લાસિક આભરણ. ગુટિસ-બાહુરક્ષિકા, અંગદબાહ્ય આભરણ વિશેષ. દશમુદ્રિકાનંતક - હાથની આંગળી સંબંધી દશ વીંટીઓ. કુંડલ-કાનનું આભરણ, ચૂડામણી-ચૂડામણી નામક સકલ પાકિરન સર્વસાર, દેવેન્દ્રમનુષ્યન્દ્રનો ઉદ્ધકૃત નિવાસ નિઃશેષ અમંગલ-અશાંતિ-રોગ પ્રમુખ દોષનો પહાર કરનાર પ્રવરલક્ષણયુક્ત, પરમ મંગલભૂત આભરણ વિશેષ. ધિરજથઇri? વિવિધ પ્રકારના જે રત્નો તેના વડે સંકટ અર્થાત પ્રભૂતરત્ન નિયોપેત. fથે દિવ્ય પુષ્પમાળા.
પુષ્પમાળા કેવી ? અશ્વિમ - ગ્રથન, ગુંથવા વડે તૈયાર થયેલ. જે સૂગાદિ વડે ગુંથાય છે, તે ગ્રંથિમ. પfw જે ગુંથાયા પછી વેeત કરાય છે, જેમ કૂલનો દડો. પૂરક - જે વંશશલાકામય પાંજરામાં પૂરાય છે. સતિષ - જે પરસ્પર નાળ સંઘાત વડે સંઘાત કરાય છે. આવા પ્રકારની ચતુર્વિધ માળા વડે કલાવૃક્ષની જેમ પોતાને અલંકૃત-વિભૂષિત કરે છે, કરીને પરિપૂર્ણ અલંકાર થઈ સિંહાસનેથી ઉભો થયો. અલંકાર સભાથી ઉભો થઈને પૂર્વના દ્વારેથી નીકળીને જ્યાં વ્યવસાયસભા છે, ત્યાં
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર આવવા નીકળે છે. આવીને સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેસે છે.
ત્યારપછી તે વિજયદેવના આભિયોગિકો પુસ્તક રત્નને લાવે છે. પછી તે વિજય દેવપુસ્તકનને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને પુસ્તક રનને ખોળામાં મૂકે છે, મૂકીને ઉઘાડે છે. ઉઘાડીને વાંચે છે. તેમાં મનુ - પરિપાટીથી, પ્રકલ્પેશ-વિશિષ્ટ અથવગમ રૂપથી વાંચે છે. વાંચીને, ધમનુગત વ્યવસાય કરે છે. અર્થાત્ કરવાની અભિલાષા કરે છે. કેમકે વ્યવસાય સભામાં શુભ અધ્યવસાય નિબંધનત્વથી કહ્યું. વળી ફોગાદિથી પણ કર્મ ક્ષયોપશમાદિ હેતુત્વથી કહ્યું. * * * * *
ધાર્મિક એવો વ્યવસાય કરીને પછી પુસ્તકરત્તને મૂકે છે. મૂકીને સિંહાસની ઉભો થાય છે. ઉભો થઈને વ્યવસાય સભાથી પૂર્વ ધારચી નીકળે છે. નીકળીને જ્યાં વ્યવસાયસભામાં જ પૂર્વ નંદપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને નંદાપુષ્કરિણીને પ્રદક્ષિણા કરીને, પૂર્વના તોરણથી પ્રવેશે છે. પ્રવેશીને પૂર્વના ગિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. અર્થાત્ મધ્યમાં પ્રવેશે છે. પછી હાથ અને પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને એક મહાન શ્વેત રજતમય વિમલ સલિલપૂર્ણ ઉન્મત હાથીના મહામુખાકૃતિ સમાન ભૂંગાને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જે ત્યાં ઉત્પલ, પા, કુસુમ, નલિન રાવતું શતસહસ પત્રો છે, તેને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે.
ત્યારપછી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જવાનો આરંભ કર્યો. ત્યારપછી વિજય દેવના ૪૦૦૦ સામાનિક દેવો, સપરિવાર ચાર અગમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા ઘણાં વિજય રાજધાનીમાં વસતા વ્યંતર દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈ, કેટલાંક હાથમાં પકા લઈ, કેટલાંક હાથમાં ઉત્પલ લઈ, કેટલાંક હાથમાં પદ્મ લઈ, કેટલાંક હાથમાં કુમુદ લઈને એ પ્રમાણે નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર કે સહસત્ર હાથમાં લઈને વિજયદેવની પાછળપાછળ અનુક્રમે નીકળે છે.
ત્યારપછી તે વિજયદેવના ઘણાં આભિયોગિક દેવો અને દેવીઓમાં પણ કોઈકોઈ હાથમાં વંદન કળશ લઈ, કેટલાંક હાથમાં શૃંગાર લઈ, કેટલાંક હાથમાં અરીસો લઈ, એ રીતે વાળો, પગી, સુપતષ્ઠિક, વાતકક, ચિત્ર, નકરંડક, પુષચંગેરી, ચાવતુ લોમહત્ત ચંગેરી, પુષ્પપટલક ચાવતુ લોમહસ્તપટલક, સિંહાસન, છમ, ચામર, તૈલ સમુદ્ગક ચાવતુ જન સમુર્ણક, ધૂપ કડછા ક્રમથી હાથમાં લઈ વિજય દેવની પાછળ જાય છે.
ત્યાપછી તે વિજયદેવ 8000 સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્ય-અધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ વિજય રાધાની વાસ્તવ્યા વ્યંતર દેવો-દેવીઓ સાથે પરીવરીને સર્વ ઋદ્ધિથી યાવતું નિર્દોષ નાદિત રવ સહિત નીકળે છે. અહીં યાવતુ શબ્દ થકી પરિપૂર્ણ પાઠ કહેવો - સર્વ ધુતિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સર્વ વિભૂતિથી, સર્વ સંભ્રમથી, સર્વ