SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/મનુષ્ય/૧૪૫ ૧૧૫ ૧૧૬ બળદ, સિંહ અને ચમર. તે એકોર દ્વીપની સ્ત્રીઓ હંસ સમાન ચાલવાળી, કોયલ સમાન સ્વરવાળી, કમનીય, બધાંને પ્રિય છે. તેમના શરીરમાં કરચલીઓ પડતી નથી, વાળ સફેદ થતા નથી. તેઓ વ્યંગ્ય, વeવિકાર, વ્યાધિ, દષ્યિ , શોકથી મુક્ત હોય છે. તેઓ ઉંચાઈમાં પુરુષ અપેક્ષાએ કંઈક નીચી હોય છે. તેઓ સ્વાભાવિક શૃંગાર અને શ્રેષ્ઠ વેશવાળી હોય છે. તેઓ સુંદર ચાલ, હાસ્ય, બોલ, ચેષ્ટા, વિલાસ, સંતાપમાં ચતુર યોગ્ય ઉપચાર કુશળ હોય છે. તેમના સ્તન-જઘન-મુખ-હાથપગ-ત્ર ઘણાં સુંદર હોય છે. તેઓ સુંદર વાળી, લાવશ્યવાળી, યૌવનવાળી, વિલાસયુકત હોય છે. નંદનવનમાં વિચરણ કરનારી અસરા માફક તેઓ આશ્ચર્યથી દર્શનીય છે. તે સ્ત્રીઓ પ્રાસાદીયાદિ છે. - ભગવાન ! તે સ્ત્રીઓને કેટલા કાળના અંતરે આહાર-અભિલાષા થાય છે? ગૌતમ! ચતુર્થભક્ત પછી થાય છે. ભગવાન ! તે મનુષ્યો કેવો આહાર કરે છે ? તેઓ પૃedી-પુણા-ફળોનો આહાર કરે છે. ભગવન્! તે પૃedીનો સ્વાદ કેવો છે ? જેમકે - ગોળ, ખાંડ, સાકર, મિશ્રી, કમલકંદ, પટિમોદક, પુષ્ય વિશેષની શર્કરા, કમલ વિશેની શકશ, અકોશિતા, વિજયા, મહાવિજા, આદશોંપમા, અનોપમાના વાદ જેવો તેનો સ્વાદ હોય છે અથવા ચતુઃસ્થાન પરિણત, ગોળ-ખાંડ-મિશ્રી યુકત ગાયનું દૂધ, જે મંદાનિ ઉપર પકાવાયેલ તથા શુભ વણદિથી યુક્ત હોય, એવો ગોfીર જેવો તે સ્વાદ હોય છે ? ના, આ અર્થ સંગત નથી. તે પૃથ્વીનો સ્વાદ તેનાથી ઈષ્ટતર યાવત મામતર છે. ભગવન ત્યાંના પુષ્પો અને ફળોનો સ્વાદ કેવો હોય છે? ગૌતમાં જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તીનું ભોજન, જે કાણ ભોજનના નામે પ્રસિદ્ધ છે, જે લાખ ગાયોથી નિષ્પન્ન થાય છે. જે શ્રેષ્ઠ વણ-ગંધ-ર-સ્પર્શથી યુક્ત છે, આસ્વાદનીય છે. જે દીપનીય, બૃહણીય, દણિીય, મદનીય, સમસ્ત ઈન્દ્રિય અને શરીરને આનંદદાયક હોય છે. શું તે પુષ્પાદિનો આવો વાદ છે? ના, આ અર્થ સંગત નથી. તે પુષ્પ-ફળોનો સ્વાદ આનાથી અધિકતર યાવતું કહેલો છે. ભગવાન ! તે મનુષ્યો તે આહારનો ઉપભોગ કરીને કેવા નિવાસોમાં રહે છે ગૌતમતે મનુષ્યો ગેહાકાર પરિણત વૃક્ષોમાં રહે છે, તે વૃક્ષોના આકાર, કેવો છે ગૌતમ તે કૂટાકાપેક્ષાગૃહ-છાકાર-સ્વજ-સૂપ-તોરણ-ગોપુરસૈત્ય પાલક-અટ્ટાલક-પ્રાસાદ-હમ્મતલ-ગવાક્ષ-વાલાગ્રહપોતિય અને વલભી આકારે રહેલા છે. બીજી પણ ત્યાં ઘણાં ઉત્તમ ભવન, શયન, આસન, વિશિષ્ટ સંસ્થાન સંતિ સુખશીલ છાયાવાળા વૃક્ષગણો હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં કહેલા છે. ભગવાન ! એકોટક દ્વીપમાં ઘર અને માર્ગ છે ? ના, તે અર્થ સંગત જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ નથી. તે મનુષ્યો ગૃહાકાર બનેલ વૃક્ષમાં રહે છે. ભગવન્! એકોરઠદ્વીપમાં ગામ, નગર યાવતું સન્નિવેશ છે? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્યો ઈચ્છીનુસાર ગમન કરનારા કહ્યા છે. ભગવન! એકોકદ્વીપમાં અસિ-મસિ-કૃષિ-પરચ અને વાણિજ્યાદિ છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો અસિ, મિસ, કૃષિ, પશ્ય, વાણિજ્યાદિ રહિત કહેલા છે. ભગવન! એકોટકતીપમાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણી, મોતી, વિપુલ ધન-કકરનમણિ-મોતી-શંખ-શિલ-વાલ-સંતસાર દ્રવ્ય છે ? હા, છે. પણ તે મનુષ્યોને તેમાં તીવ મમત્વભાવ ઉપજતો નથી. ભગવાન એકોકદ્વીપમાં યુવરાજ ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થનાહાદિ છે? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્ય ઋદ્ધિ સત્કાર રહિત છે. ભગવન્! એકોરકદ્વીપમાં દાસ, પેણ, શિષ્ય, ભૂતક, ભાગીયા, કમર પુરષો છે ? ના, તે આર્ય સંગત નથી. તે મનુષ્યો અભિયોગ્યાદિ વ્યવહાર રહિત કહેલા છે. ભગવાન ! એકોકદ્વીપમાં માતા, પિતા, ભાઈ, બહેન, ભાઈ, પુત્ર, પુષ્મી, પૂત્રવધૂ છે શું ? હા, છે. પરંતુ તે મનુષ્યોને તીવ પ્રેમબંધન હોતું નથી. તેઓ અલ્ય પ્રેમબંધનવાળા કહ્યા છે. ભગવાન ! એકોકઢીમાં અરિ, વૈરી, ઘાતક, વઘક, પ્રત્યેનીક, પ્રત્યમિત્ર છે શું ? ના, તે અર્થ સંગત નથી. તે મનુષ્યો વૈરાનુબંધ રહિત કહેલા છે.. ભગવાન ! એકોક દ્વીપમાં મિત્ર, વ્યક, પ્રેમી, સખા, સુહૃદ, મહાભાગ, સંગતિક છે? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ પ્રેમરહિત હોય છે. ભગવન્! એકોકદ્વીપમાં આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રદ્ધા, સ્થાલિપાક, ચોલોપનયન, સીમંતોન્નયન, પિતૃ પિંડદાનાદિ સંસ્કાર છે ? ના, અર્થ સમર્થ નથી. તે મનુષ્યો આબાધા, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, ભોજ, ચોલોપનયન, પિતૃપિંડદાનાદિ વ્યવહાર રહિત છે. ભગવદ્ ! એકોરુકદ્વીપમાં ઈન્દ્ર-સ્કંદ-રુદ્ર-શિવ-વૈશ્રમણ-મુકુંદ-નાગmભૂત-કૂપ-તળાવ-નદી-દ્રહ-પર્વત વૃક્ષારોપણ-ચૈત્ય કે સૂપ મહોત્સવ છે ? ના, તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યગણ મહોત્સવાદિ રહિત છે. ભગવાન ! એકોટકદ્વીપમાં નટ-નાટ્ય-મલ્લ-મૌષ્ટિક-વિડંબક-કથક-લવકઅક્ષાટક-ક્લાસક-dખ-પંખ-qણઈલ્સ-તુંબવીણ-કાયા-માઘ-જલ્લપેક છે. ના તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યો વ્યપગd કુતૂહવાળા છે. ભગવન્ ! એકોરુકદ્વીપમાં શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લી, શિલ્લી, પિપિલ્લી, પ્રવહણ, શિબિકા, સવયંદમાનિા છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો પગે ચાલનારા કહેલ છે.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy