________________
સૂઝ-પર
૧૫
૧૨૬
રાજપનીયઉપાંગસુત્ર - સટીકઅનુવાદ
તેની પટ્ટિકા, રૈવેયક-ડોકનું આભરણ, • x• જેના વડે આયુધ થાય તે આયુધખેટક આદિ, પ્રહરણ-અસિ, કુંત આદિ ગ્રહણ કરેલ આયુધ અને પ્રહરણ.
• સૂત્ર-પ૩ :
તે કાળે, તે સમયે પાપત્ય કેશી નામે કુમારશ્રમણ, જે જાતિ-કુળબલ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-લા-લાઘવ અને લાલાઘવ સંva, ઓજસવી, તેજસ્વી, વીવી, યશરતી, ક્રોધ-માન-માયા-લોભ-નિદ્રા-ઈન્દ્રિય અને પરીષહને જિતેલ, જીવિતામ અને મરણભયથી વિમુક્ત, વતગુણ-કરણ-ચરણનિગ્રહ-આજીવ-માર્દવ-વાવ-ક્ષાંતિ-મુક્તિ-બ્રહ્મ-નય-નિયમ-સત્ય-શૌચ-જ્ઞાનદર્શન અને સાત્રિ પ્રધાન, ચૌદપૂન, ચાર જ્ઞાનોપગત, ૫oo સાધુ સાથે પરિવરીને પૂનનિપૂર્વ વિચરતા, ગામનુગામ જતાં, સુખ-સુખે વિહાર કરતાં શ્રાવતી નગરીના કોઠક પૈત્યે આવ્યા. આવીને શ્રાવતી નગરીની બહાર કોષ્ટક ચૈત્યમાં યથાપતિરૂપ અવગ્રહને અવગ્રહીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચરે છે.
• વિવેચન-પ૩ -
જાતિસંપન્ન-ઉત્તમ માતૃપક્ષ યુક્ત. - X - X • કુળસંપન્ન ઉત્તમ પિતૃપક્ષથી, ચકત. બલ-સંહનન વિશેષ સમુલ્ય પ્રાણ. રૂપ-અનુપમ શરીરસૌંદર્ય. - X - લાઘવદ્રવ્યથી અા ઉપધિત્વ, ભાવથી ત્રણ ગૌરવનો ત્યાગ. લજ્જા-મનો, વાક, કાય સંયમ, ઓજસ્વી-માનસિક અવટંબવાન. તેજસ્વી-શરીપ્રભાયુકત, વયસ્વી-સૌભાગ્યાદિ યુક્ત વયનવાળો. • x - ક્રોધ આદિનો જય એટલે ઉદય પ્રાપ્ત ક્રોધાદિને વિફળ કરવા. તપ વડે શેષ મુનિજનની અપેક્ષાએ પ્રધાન કે ઉત્તમ છે. ગુણ-સંયમ ગુણ. આ બંને વિશેષણ - ૫ અને સંયમમાં જૂના કે નવા કર્મોની નિર્જરા, મોક્ષ સાધનમાં મુમુક્ષને ઉપાદેય બતાવ્યું.
ગુણપ્રાધાન્ય પ્રપંચન અર્થે કહે છે - કરણપ્રધાન, વશરા - પિંડ વિશુદ્ધિ આદિ, કહ્યું છે – પિંડ વિશુદ્ધિ, સમિતી, ભાવના, પ્રતિમા અને ઈન્દ્રિય નિરોધ, પડિલેહણ-ગુપ્તિ-અભિગ્રહ તે કરણ. ઘર - મહાવ્રતાદિ. કહ્યું છે - વ્રત, શ્રમણ ધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યગુપ્તિ, જ્ઞાનાદિગિક, તપ, ક્રોધ નિગ્રહ તે ચાાિ છે. તેમાં નિગ્રહ-અનાચારપ્રવૃત્તિ નિષેધ. નિશ્ચય-dવનિર્ણય અથવા વિહિત અનુષ્ઠાનોનો સ્વીકાર, મા ર્નવ • માયા નિગ્રહ, નાયવ - ક્રિયામાં દક્ષવ, ક્ષતિ - ક્રોધ નિગ્રહ, ગુપ્તિ-મનોગુપ્તિ આદિ, મુક્તિ-નિર્લોભતા વિધા-પ્રજ્ઞપ્તિ આદિ દેવતા અધિષ્ઠિત વણનિપૂર્વીમંગ-દેવતા અધિષ્ઠિત અથવા સસાધના વિધા સાધન હિત. બ્રહ્મચર્યબસ્તિ નિરોધ અથવા કુશલ અનુષ્ઠાન. વેદ-લૌકિક લોકોતર આગમ. નય-નૈગમાદિ સાત. નિયમ-વિચિત્ર અભિપ્રહ. સત્ય-પ્રાણીને હિતકર વચન, શૌચ-દ્રવ્યથી નિર્લેપતા, ભાવથી અનવધ સમાચરણ.
જ્ઞાન-મતિ આદિ, દર્શન-સમ્યકત્વ, ચાપ્રિ-બાહ્ય સત્ અનુષ્ઠાન. જે આ ચરણ-કરણ ગ્રહણ છતાં આર્જવાદિ ગ્રહણ છે, તે આજવદિના પ્રાધાન્યને જણાવવા
માટે છે. જિતક્રોધાદિ અને આર્જવાદીમાં ભેદ શો છે ? જિતક્રોધાદિ વિશેષણ - તેના ઉદયને વિફળ કરણ અર્થે છે. માર્દવ પ્રધાનાદિ - કર્મના ઉદયના નિરોધાર્ચે છે. • x - જ્ઞાનસંપન્ન ઈત્યાદિમાં જ્ઞાનાદિમવમ્ અહીં કહ્યું. જ્ઞાનપધાનાદિમાં તેનું પ્રાધાન્ય અન્યત્ર પુનરુક્તિ માનવી. ઉદાર, ઘોર ઈત્યાદિ પૂર્વવતું.
• સૂત્ર-૫૪ -
ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથપથોમાં મા જનશબ્દ, જનમૂહ, જનકલકલ, ન બોલ, જનઉમ, જનઉકલિક, જન સંનિતિક યાવતુ પાર્ષદા સેવે છે. ત્યારે તે ચિત્ત સારથી, તે મહા જનાર્દ અને જન કલકલ સાંભળીને અને જોઈને આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો શું આજે શ્રાવતી નગરીમાં ઈન્દ્રજીંદ-રુદ્ર-મુકુંદ-નાગ-ભૂત-ન્ય-સૂપરત્ય-વૃક્ષ-પર્વત-દરિ-અગડ-નદી-સરોવર કે સાગર મહોત્સવ છે? જેથી આ ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, ક્ષત્રિય, જ્ઞાત, કૌરવ્ય યાવત્ ઇભ્યઅભ્યપુત્રો નાન કરી, બલિકર્મ કરી જેમ ઉવવાઈમાં કહ્યું તેમ યાવતુ કોઈક ઘોડા ઉપર, કોઈક હાથી ઉપર, પગે ચાલતા મા વૃંદાવૃંદોથી નીકળે છે.
આમ વિચારી કંચૂકી પુરુષને બોલાવીને કહ્યું કે – હે દેવાનુપિય ! શું આજે શ્રાવીનગરીમાં ઈન્દ્ર યાવતું સાગર મહોત્સવ છે, કે આ ઘણાં ઉગ્ર, ભોગાદિ લોકો જઈ રહ્યા છે ?
ત્યારે તે કંચકી પર કેશીકુમાર શ્રમણના આગમનનો નિશ્ચય કરીને, ચિત્તસારથીને બે હાથ જોડી યાવત વધાવીને કહ્યું – હે દેવાનુપિયા આજે શ્રાવતી નગરીમાં ઈન્દ્ર યાવત સાગર મહોત્સવ નથી, જેથી આ બધાં જઈ રહ્યા છે. પણ હે દેવાનુપિય! નિશે પાdfપત્ય કેશી નામે કુમાર શ્રમણ, અતિસંપન્ન યાવતુ વિચરતા અહીં આવેલ છે, યાવન વિચરે છે. તેથી આજે વસ્તીનગરીમાં ઘણાં ઉગ્રો યાવત્ ઇભ્ય-અભ્યપુત્રોમાં કેટલાંક વંદન નિમિત્તે યાવત્ છંદમાં નીકળે છે.
ત્યારે તે ચિત્તસારથી, કંચુકી પુરુષ પાસે આ અર્થ સાંભળી, સમજી અતિ હર્ષિત યાવતુ હદયી થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવે છે, ભોલાવીને કહ્યું - દેવાનુપિયા જલ્દીથી ચાતુટ આશ્વરથ જોડીને લાવો ચાવત્ છ સહિત ઉપસ્થિત કરો.
ત્યારપછી શિવસાણીએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કયાં. શુદ્ધ-પ્રવેશ્ય-મંગલ-પ્રવર વસ્ત્રો ધારણ કર્યો. અલા-મહાઈ આભરણથી શરીર અલંકૃત કરી, ચાતુટ આશરથ પાસે આવ્યા. આવીને અશરથમાં બેઠો. કોરટપુષ્પની માળા સહિતનું છત્ર ધારણ કર્યું. મોટા ભહ-ચટકર-વૃંદથી પરિક્ષિપ્ત થઈને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો. નીકળીને કોષ્ટક રૌત્યમાં કેશીકુમાર શ્રમણ હતા, ત્યાં આવ્યો. આવીને કેશીકુમાર શ્રમણથી બહુ દૂર કે નીકટ નહીં, તેવા સ્થાને અશ્વો રોકી રથ સ્થાપન કર્યો.