SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૨૯ શસ્ત્ર યાવત્ નખ છેદની વડે અંગને છેદાવતો, પછી તેને ડાભ-કુશ-આર્દ્ર વાધરી વડે બંધાવતો, બંધાવીને તડકામાં તપાવતો, સુકેલી ચામડી ચીરાવતો. ૫૩ ત્યારપછી તે દુર્યોધન ચાકપાલ આવા અશુભકર્મ વડે ઘણાં જ પાપકર્મનું ઉપાર્જન કરીને ૩૧૦૦ વર્ષનું પરમાયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ ભાવીશ સાગરોપમ સ્થિતિક વૈરકિપણે ઉત્પન્ન થયો. • વિવેચન-૨૯ : વિત્ત વક્રુષિ - ઘણાં પ્રકારે આશ્ચર્યભૂત, અલંકારિય કર્મી-ક્ષુકર્મ. સવ્વટ્ઠાણશય્યા, ભોજન, મંત્રસ્થાનાદિ અથવા શુલ્ક આદિ આયસ્થાનમાં. સવ્વભૂમિયા-પ્રાસાદ ભૂમિકા અથવા સાતમે માળે પુરા થતાં મહેલમાં, અથવા અમાત્યાદિ સર્વે પદોમાં. દિન્ન વિચાર - રાજા દ્વારા અનુજ્ઞાત સંચરણ કે વિચરણ. કલકલ-ચૂર્ણાદિ મિશ્ર જળ. પિણદ્ધતિ-પહેરાવે છે. કઈ રીતે ? લોઢાની સાણસી વડે. હાર-અઢાર સરો, અદ્ભુહાર-નવસરો. ચાવત્ શબ્દથી ત્રણ સરોહાર, પાલંબ, કટીસૂત્રાદિ પહેરાવ્યા. પટ્ટ-લલાટ આભરણ, મુગટ-શેખક. - - - તે પુરુષને જોઈને ગૌતમને પ્રથમ અારાનવત્ વિકલ્પ થયો. જેમકે - મેં નરક કે નૈરયિક જોયા નથી, પણ આ પુરુષ નરક પ્રતિરૂપ વેદના વેદે છે ચાવત્ શબ્દથી ચયાપર્યાપ્ત ભોજન-પાન ગ્રહણ કરીને ભગવંત મહાવીર પાસે આવ્યા. વાતિ - જન્માંતરમાં આ કોણ હતો ? ગૌતમે પૂછ્યું. ભગવંત કહે છે. રાપાન - ગુપ્તિપાલક. ચારગખંડ-ગુપ્તિ ઉપકરણ. અંડૂનિકાષ્ઠાદિમય બંધન વિશેષ, હડીણ-ખોટક, પુંજ-સશિખર રાશિ, નિકર-રાશિ માત્ર. વેણુલતા-સ્થૂળ વંશલતા, વેતલતા-જલજવંશલતા, ચિંચ-આંબલી, છિયાણ-મૃદુચર્મકશ, કસ-ચામડાની લાઠી - x - સિલા-શીલા, લઉલ-લાકડી, મુગ્ધ-મુદ્ગર - ૪ - ૪ - અસિ-ખડ્ગના, કરપત-ક્રકચના, ખુર-છુરાના, કલંબચી-શસ્ત્રવિશેષ, કડિસક્કર-વંશ સલાકા, રામ્યવાધરી, અલ્લપલ્લ-વીંછીના પૂંછની આકૃતિવાળા, ડંભણ-અગ્નિથી તપાવેલ લોહશલાકા વડે બીજાના શરીરે ડામ દેવા, કોટિલ-નાના મુદ્ગર વિશેષ પછાણ-પ્રચ્છનક, પિપ્પલ-નાના ક્ષુરા, કુઠાર-કુહાડા, નખછેદક-નેરણી. ઉરે અણહાર-ઋણ ધારક, સંડપટ્ટ-ધૂર્ત, પખેતી - પીવડાવે છે, વપીડશેખર, મસ્તકે તેનું આરોપણ, ઉ૫પીડા-વેદના - ૪ - હત્વચ્છિન્ન હાથ-પગ-નાકહોઠ-જીભ-મસ્તકનું છેદન કરે છે. સત્ય સ્વાદિય - ખડ્ગ વડે વિદારવું. - X - સિલ દલાવે - છાતી ઉપર પત્થર રાખે, તેના ઉપર લાકડુ રાખે, બે પુરુષો વડે લાકડાના બંને છેડે બેસે, લાકડાને કંપાવે, જેથી અપરાધીના હાડકાં દબાવે છે. તંતી ચાવત્ શબ્દથી વસ્ત્ર આદિ કહેવું. અગડ-કૂવો, ઉચૂલયાલગ-માથુ નીચે અને પગ ઉપર એ રીતે કૂવામાં ઉતારી પાણીમાં ડૂબાડે. પર્જોઈ પીવડાવે છે - ખવડાવે છે ઈત્યાદિ લૌકિકી ભાષા કરે છે. અવધૂ-કૃકાટિકા, ખલુય-પાદમણિબંધ, અલિય ભંજાવેઈ - વીંછીના કાંટાને શરીરમાં પ્રવેશાવે છે. સૂઈ-સોય, ગંભણ-સોય પ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ જેવી લોઢાની ખીલી, કોટ્ટિલક-મુદ્ગર, આઓડાવેઈ-પ્રવેશ કરાવે છે. ભૂમિંકંડુયાવેઈ - આંગળીમાં પ્રવેશ કરાયેલ સોય વડે ભૂમિ ખોદાવે છે, મહા દુઃખ ઉત્પન્ન કરાવે છે. દર્ભ-સમૂલ, કુશ-નિર્મૂલ. • સૂત્ર-૩૦ : તે દુર્યોધન નકથી અનંતર ઉદ્ધર્તીને આ જ મથુરા નગરીમાં શ્રી દામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી બંધુશ્રીએ નવ માસ પરિપૂર્ણ થતા યાવત્ પુત્રને જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આ આવા પ્રકારનું નામ કર્યું. અમારા પુત્રનું નંદિષણ નામ થાઓ. ત્યારપછી તે નંદિષણકુમાર પાંચધાત્રીથી પાલન કરાતો યાવત્ મોટો થયો. ત્યારે તે નંદિષણકુમાર બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ વિચરે છે. યૌવન પામી, યુવરાજ થયો. પછી તે નંદિષકુમાર રાજ્યમાં યાવત્ અંતઃપુરમાં મૂર્છિત થઈ, શ્રીદામ રાજાને જીવિતથી રહિત કરવાને તથા પોતે જ રાજ્યલક્ષ્મીને પોતાની કરવાને અને પાલન કરતો વિચરવા ઈછે છે. ત્યારપછી તે નંદિસેનકુમાર, શ્રીદામ રાજાના ઘણાં આંતર, છિદ્ર, વિવરને શોધતો વિચરે છે. ત્યારપછી નંદિષેણકુમાર, શ્રીદામ રાજાના અંતર આદિ પ્રાપ્ત ન થતાં, અન્ય કોઈ દિવસે ચિત અલંકાસ્કિને બોલાવે છે, બોલાવી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજાના સર્વ સ્થાનોમાં, સર્વભૂમિમાં અને અંતઃપુરમાં સ્વચ્છંદપણે વિચરતો અને શ્રીદામ રાજાનું વારંવાર અલંકારિક કર્મ કરતો વિચરે છે. તેથી હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજાનું અલંકારિક કર્મ કરતા, તેના ગળામાં છરા વડે કાપી નાંખે તો હું તને અર્ધું રાજ્ય આપું, જેથી તું અમારી સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરીશ. ત્યારે તે ચિત્ત અલંકારિક, નંદિષણ કુમારના આ અર્થવાળા વચનને સ્વીકાર્યુ. ત્યારપછી તે ચિત્ત અલંકારિકને આવા સ્વરૂપનો યાવત્ ઉત્પન્ન થયો જો મારા આ કાર્યને શ્રીદામ રાજા જાણશે, તો હું નથી જાણતો કે મને કેવા અશુભ કુમરણ વડે મારશે ? આમ વિચારી ભય પામેલો તે શ્રીદામ રાજા પાસે ગયો શ્રીદામ રાજાને ગુપ્ત રીતે બે હાથ જોડી આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! નિશ્ચે નંદિષેણ કુમાર રાજ્યમાં યાવત્ મૂર્છિત થઈને આપને જીવિતથી રહિત કરવા ઈચ્છે છે, સ્વયં જ રાજ્યશ્રી કરતો . પાળતો વિચરવા ઈચ્છે છે. - ત્યારે તે શ્રીદામ રાજા ચિત્ત અલંકારિકના આ અર્થને સાંભળી, સમજીને અતિ ક્રોધિત થઈ યાવત્ ભૃકુટી ચડાવી, નંદીષેણ કુમારને સેવકો પાસે પકડાવ્યો. પછી આ પ્રકારે વધની આજ્ઞા આપી. હે ગૌતમ ! તે નંદીષેણ આવું દુઃખ અનુભવી રહ્યો છે. નંદિસેનકુમાર અહીંથી ચ્યવીને મરણ સમયે મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? હે ગૌતમ ! નંદિષણકુમાર ૬૦ વર્ષનું પરમ આયુ પાળીને મૃત્યુ
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy