________________
૧/૨/૧૩
૩૫
અભિરૂપ-અભિમતરૂપ, પ્રતિરૂપ.
બલીવર્દ-ખસી કરાયેલ બળદ, પકિા-નાની ભેંસ કે ગાય કે સાંઢ. કૂડગાહકપટ વડે જીવોને પકડનાર. અધાર્મિક-ધર્મ વડે આચરણ કે વ્યવહાર ન કરનાર. યાવત્ શબ્દથી - અધર્માનુગ-પાપલોકને અનુસરનાર, અધર્મિષ્ટ-ધર્મરહિત, અધર્મ ભાષણશીલ અથવા અધાર્મિક રૂપે પ્રસિદ્ધ, બીજાના દોષોને જોવાના સ્વભાવવાળો તે અધર્મપ્રલોકી. હિંસાદિમાં અનુરાગવાળો તે અધર્મપરંજન, અધર્મરૂપ સમાચારવાળો. અધર્મથી આજીવિકા કરનારો. દુસ્સીલ-દુષ્ટશીલ, વ્રતરહિત, અસંતોષશીલ.
મીન - અહીન પૂર્ણ પંચેન્દ્રિય શરીરી, આપન્નસત–ગર્ભમાં જીવનું આવવું. અમ્મયા-માતા, યાવત્ શબ્દથી તે માતા પુન્યશાળી છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે ઈત્યાદિ.
સૂત્ર-૧૪ :
તે બાળક જન્મતાની સાથે મોટા મોટા શબ્દોથી ઘોષ કરતો, વિસ શબ્દ કરતો, બૂમો પાડવા લાગ્યો. તે બાળકની બુમો આદિ શબ્દો સાંભળી, સમજી હસ્તિનાપુર નગરના ઘણાં નગરપશુ યાવત્ વૃષભો ભયભીત થયા, ઉદ્વિગ્ન થયા, સર્વે દિશામાં ભાગી ગયા. ત્યારે તેના માતાપિતાએ આ પ્રમાણે નામ પાડ્યું – અમારો આ બાળક જન્મતા જ મોટા મોટા શબ્દોથી ચીસો પાડવા લાગ્યો -
x - તે સાંભળીને - ૪ - નગરના પશુ આદિ ભયભીત થઈને ચારે દિશામાં ભાગી ગયા, તેથી અમારા આ બાળકનું નામ ગોત્રાસ થાઓ. પછી ગોત્રાસ બાળક બાળભાવ છોડી, યુવાન થયો. પછી કોઈ દિવસે તે ભીમકૂટગ્રાહ મરણ પામ્યો.
ત્યારપછી તે ગૌમાસ ઘણાં મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધિ પરિજન સાથે પરીવરીને રોતો-કંદન કરતો - વિલાપ કરતો, ભીમ ફૂટગ્રાહનું નીહરણ કર્યું, કરીને ઘણાં લૌકિક મૃતક કૃત્યો કર્યા. પછી સુનંદ રાજાએ ગોત્રાસને અન્ય કોઈ દિને સ્વયં જ ફૂટગ્રાહીપણે સ્થાપ્યો. પછી ગોગારા ફૂટગ્રાહ અધાર્મિક યાવર્તી દુશ્યત્યાનંદ થઈ ગયો. પછી તે પ્રતિદિન અર્ધરાત્રિ કાળ સમયે એકલો, અદ્વિતીય, બખ્તરકવા બાંધી સાવત્ આયુધ-પહરણ લઈને પોતાના ઘેરથી નીકળતો, ગોમંડળે આવતો. આવીને ઘણાં નગર પશુઓ જે સનાથ-અનાથ હોય યાવત્ તેમને અંગરહિત કરતો હતો.
પછી પોતાને ઘેર આવીને તે ઘણાં ગોમાંસને પકાવીને સૂરા, મધાદિ સાથે આસ્વાદતો, વિવાદતો યાવત્ વિચરતો હતો. ત્યાર પછી તે ગોત્રાસકૂડગ્રાહ આવો પાપકર્મી, આવા વિજ્ઞાન અને આચારવાળો થઈ અત્યંત પાપકર્મને ઉપાર્જન કરીને ૫૦૦ વર્ષનું આયુ પાળીને આર્ત્ત-દુઃખાઈ થઈ કાળમાસે કાળ કરી, બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિક વૈરયિકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો. • વિવેચન-૧૪ :
ભયભીત થયો, અહીં ત્રસ્ત, ત્રસિત, સંજાતભય કહેવું. ભયોત્કર્ષ પ્રતિપાદન
૩૬
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ કરતા આ એકાર્થિક શબ્દો છે. સવ્વઓ-સર્વદિશામાં, સમંત-વિદિશામાં. વિપલાઈત્યભાગી ગયા. - ૪ - તહયા ચિથી-મોટો ચિત્કાર. આરસિત-રાડો પાડતો હતો. સોસ્ય-અવધારીને. - x - આર્ત્ત-આર્તધ્યાન, દુર્ઘટ-દુઃખે નિવાર્ય, ઉપગત-પ્રાપ્ત. • સૂત્ર-૧૫ :
ત્યારપછી તે વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા નામે પત્ની જાતનિંદુકા હતી. તેના ઉત્પન્ન થયેલા પુત્રો વિનાશ પામતા હતા. પછી ગોત્રાસ ફૂટગ્રાહ બીજી પૃથ્વીથી અત્યંતર ઉદ્ઘર્દીને આ જ વાણિજ્ય ગ્રામ નગરમાં વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા પત્નીની કુક્ષિમાં યુગપણે ઉપજ્યો. પછી તે સુભદ્રા સાર્યવાહી અન્ય કોઈ દિવસે નવ માસ બહુપતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો.
ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે પુત્ર ઉત્પન્ન થતાં તુરંત એકાંતે ઉકરડામાં ફેંકાવ્યો, ફેંકાવીને પછી બીજીવાર ગ્રહણ કરાવ્યો. કરાવીને અનુક્રમે તેને સંરક્ષી-સંગોપતી-સંવર્ધન કરતી હતી.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ સ્થિતિપતિતા કરી, ચંદ્ર-સૂર્યના દર્શન, જાગરિકાને મહા ઋદ્ધિ-સત્કાર સમુદાય કરે છે.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ અગિયારમે દિવસે નિવૃત્ત થતાં, બારમો દિવસ પ્રાપ્ત થતાં આ આવા પ્રકારનું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ કર્યું, જ્યારથી અમારો આ બાળક જન્મ્યો, ત્યારે એકાંતે ઉકરડામાં ત્યાગ કરેલો, તે કારણે આ પુત્રનું નામ ઉજિઝતક હો. પછી ઉમ્રુિતક બાળક પાંચ ધાત્રીઓએ ગ્રહણ કર્યો. તે આ - ક્ષીરધામી, મજ્જનધામી, મંડનધાત્રી, ક્રીડાપનધાત્રી, અંકધાત્રી. સર્વે દૃઢપતિજ્ઞની જેમ કહેવું યાવત્ નિઘિાત પર્વતની ગુફામાં રહેલા ચંપકના વૃક્ષની જેમ સુખે સુખે વિચરવા લાગ્યો.
ત્યારપછી તે વિજયમિત્ર સાર્થવાહ અન્ય કોઈ દિવસે ગણિમ, ધમિ, મેય, પારિછેંધ એ ચાર પ્રકારના ભાંડ ગ્રહીને લવણસમુદ્રમાં વહાણ વડે વેપાર કરવા ગયા. તેમનું વહાણ લવણસમુદ્રમાં ભાંગી ગયું, સારભૂત ભાંડ બૂડી ગયા. તે અત્રાણ, શરણ થઈ મરણ પામ્યો. પછી વિજયમિત્ર સાર્થવાહને જે ઘણાં ઈશ્વરતલવર-માલિક-કૌટુંબિક-ઇમ્સ-શ્રેષ્ઠી-સાર્થવાહોએ જ્યારે લવણરામુદ્રમાં વહાણ ભાંગી ગયું યાવત્ મરણ પામ્યો, જાણ્યું ત્યારે હસ્તનિક્ષેપ તથા બાહ્ય ભાંડસારને લઈને એકાંતમાં ચાલ્યા ગયા.
પછી સુભદ્રા સાર્થવાહીએ વિજય સાર્થવાહને - x - મૃત્યુ પામ્યો જાણી, પતિના વિયોગના મોટા શોકથી અતી પીડા પામીને તેણી કુહાડાથી કપાયેલ ચંપકલતાની માફક ધસ કરતી જમીને પડી ગઈ. પછી મુહૂર્તાવાર પછી સાવધાન થઈ ઘણાં મિત્રો સાથે યાવત્ પરિવરી રુદન-કૂદન-વિલાપ કરતી વિજયમિત્ર સાર્થવાહના લૌકિક મૃતક કાર્ય કરે છે, પછી સુભદ્રા સાર્થવાહી કોઈ દિવસે લવણસમુદ્રમાં જવું - લક્ષ્મી વિનાશ-વહાણ વિનાશ પતિ મરણને ચિંતવતી
મૃત્યુ પામી.
-