SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧//૩૨ થી ૫ ૨૨૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પૂર્વકાળના સાધુ વડે પાલિત છે, વિવક્ષિત કાળના સાધુ પણ પાળે છે. આ સંવરની પ્રરૂપણા કોણે કરી ? ક્ષત્રિય વિશેષરૂપ યતિ શ્રીમન મહાવીરે, જે શયદિ યુક્ત છે, તેમણે સામાન્યથી શિષ્યોને કહી, ભેદાનભેદ કથનથી પ્રરૂપી છે. તે પ્રસિદ્ધ, પ્રમાણ પ્રતિષ્ઠિત, નિષ્ક્રિતાર્થોને પ્રધાન આજ્ઞા-સિદ્ધ વરશાસન છે. સમ્યક પ્રકારે ઉપદિષ્ટ છે, દેવ-મનુષ્ય-અસુરની પર્ષદામાં વિવિધ નય-પ્રમાણથી કહેલ છે. માંગલારૂપ છે. પ્રવીfમ - સર્વજ્ઞના ઉપદેશ વડે હું આ બધું પૂર્વોક્ત પ્રતિપાદિત કરું છું, પણ પોતાની બુદ્ધિથી કહેતો નથી. મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - X – ઉત્સુકતા કે મંદતા રહિત, પરિશાટિ વર્જિતપણે વાપરે. • x - મનોવUT - પ્રકાશમુખવાળા ભાજનમાં અથવા પ્રકાશમાં અંધકારમાં નહીં. * * ભાજન-પાત્ર, પાક વિના જલાદિ સવ જોઈ શકાતા નથી. વૈત - મન, વચન, કાયાના સંયતપણાથી, પ્રયત્ન-આદર વડે, સંયોજનાદોષરહિત, રાગ અને દ્વેષના પરિહારપૂર્વક. • x • ધુરીમાં તેલ પૂરવું તે અક્ષોપાંજન, ઘામાં લેપ કરવાની માફક - x - સંયમ પ્રવૃતિના જ નિમિત્ત માત્રથી વાપરે. જેથી સંયમભારનું વહન કરી શકે. પણ પ્રયોજન સિવાય કે સંયમભારવહનને બદલે વર્ણ-બલ-રૂપ નિમિતે કે વિષય લોલુપતાથી ન વાપરે. ભોજનરહિત, સંયમને સાધનાર શરીર ધારણ કરવા સમર્થ થતો નથી, માટે ભોજન કરે. જીવિતવ્યના સંરક્ષણને માટે ભોજન કરે તે સંયત-સાધુ. સમય-સમ્યક. નિકષર્થે કહે છે - આ પ્રમાણે આહાર સમિતિયોગથી વાસિત થઈ અંતરાત્મા શબલઅસંક્ષિપ્ત-નિર્વણચાત્રિ ભાવનાથી અહિંસક, સંયત સાધુ થાય. પાંચમી ભાવના - આદાનનિક્ષેપસમિતિરૂપ. તે જ કહે છે – પીઠ આદિ બાર પ્રકારના ઉપકરણ પ્રસિદ્ધ છે. ઉક્ત ઉપકરણ તથા બીજા પણ સંયમના પોષણને માટેના ઉપકરણ - વાયુ, આતપ, દંશ, મશક, શીતથી રક્ષાને માટેની ઉપકારક ઉપધિને રાગ-દ્વેષરહિત થઈને ભોગવે. પણ વિભૂષાદિ નિમિતે ન ભોગવે. સાધુ વડે સદા પ્રત્યુપેક્ષણા-પફોટન વડે જે પ્રમાર્જના કરવી. પ્રભુપેક્ષણા-ચક્ષુ વડે, પ્રસ્ફોટન-આસ્ફોટન વડે, પ્રમાર્જન-જોહરણાદિ વ્યાપારરૂપ. દિવસ અને સમિમાં અપ્રમત્ત થઈ કરે. લતા-મૂકતા [પ્રમાજો] શું ? તે કહે છે – પાત્ર અને માટીના વાસણ, વસ્ત્રાદિ ઉપધિ. આ ત્રણે ઉપકારી હોવાથી ઉપકરણ છે. હવે નિકર્ષ માટે કહે છે - વનારાને આદિ પૂર્વવત્ છે. ઉપકરણને આદાન-લેતા, નિક્ષેપણા-મૂકતા, તેમાં સમિતિ પાળે, તે આદાન માંડ નિપણા સમિતિ કહેવાય છે. ધે અધ્યયનનો નિકઈ કહે છે - ઉક્ત ક્રમથી અહિંસા-લક્ષણ સંવરનો ઉપાય સમ્યક્ આસેવિત થાય છે. કયા પ્રકારે ? સુપ્રણિધાન સમાન થતુ સુરક્ષિત. કોના વડે - આ પાંચ કારણ-ભાવના વિશેષથી, અહિંસા પાલનાર્થે મનવચન-કાયાની રક્ષા કરવા પડે. તથા નિત્ય અને આમરણાંત સુધી. તથા આ યોગ-પૂર્વોક્ત ભાવનાપંચકરૂપ વ્યાપાર કરવો. કોના વડે ? સ્વસ્થગિત વડે, બુદ્ધિમાન પુરષ વડે. આ યોગ કેવો છે ? નવા કર્મના અનુપાદાનરૂપ. જેથી અપાયસ્વરૂપ, કમળના પ્રવેશના નિષેધથી છિદ્રરહિત. અછિદ્ર હોવાથી જ કર્મજળ ન પ્રવેશે. ચિતસંક્લેશ સહિત, નિર્દોષ, સર્વે અરિહંતો દ્વારા અનુમત. ઇસમિતિ આદિ ભાવના પંચક યોગથી અહિંસારૂપ દ્વાને ઉચિતકાળે વિધિપૂર્વક સ્વીકારે, સતત સમ્યક ઉપયોગથી આચરે, બીજાને તેના ઉચિત દાનથી શોભાવે, અથવા અતિચાર વજીને શોધિત કરે, પારને પામે, બીજાને ઉપદેશે. એ રીતે તેને આરાધે. તે સર્વજ્ઞના વચન વડે અનુપાલિત થાય છે.
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy