SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/૨૦ ૧૯૩ ૧૯૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સમ, બાદર આદિ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જીવોમાં તથા અંડજ-પક્ષી, મસ્યાદિ. પોતવસ્ત્ર અથવા જરાયવર્જિતપણાથી પોતથી જન્મેલ-હાથી આદિ. જરાયુ-ગભવટનમાં જન્મેલ, મનુષ્યાદિ. રસમાં જન્મેલ તે સજ. સંવેદથી નિવૃત્ત તે સંસ્વેદિમ-જૂ, માંકડ આદિ. સંપૂઈન વડે નિવૃત તે સંમૂર્ણિમ-દેડકા આદિ. ઉદ્ભિજ્જ-પૃથ્વી ફાડીને ઉત્પન્ન થયેલ - ખંજનક આદિ. ઉપપાતથી થનાર તે ઔપપાતિક - દેવ, નાક. ઉક્ત જીવોને જ સંગ્રહ વડે કહે છે - નક, તિર્યચ, મનુષ્ય, દેવમાં જન્મ, મરણ, રોગ, શોકની બહુલતા પરલોકમાં થાય છે. કેટલાં કાળે તે નષ્ટ થાય છે ? ઘણાં પલ્યોપમ, સાગરોપમે. અનાદિ-અનંત. તે જ કહે છે – દીર્ધકાળ. દીધવિદીર્ધમાર્ગ. ચાતુરંગ-ચતુર્ગતિક, સંસાર અટવીમાં ભમે છે. કોણ ? મહામોહવશ બ્રહ્મમાં રહેલા જીવો. મુનિ દીપરત્નસાગરે કરેલા આશ્રવ-અધ્યયન-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ વૃિતિકારશ્રી લખે છે] અહિક્ષિકાને અમે નથી જાણતા. સુવર્ણગુલિકા નિમિતે સંગ્રામ થયો - સિંધુ સૌવીર જનપદમાં વિદર્ભમનગરમાં ઉદાયન રાજાની પ્રભાવતી રાણી પાસે દેવદતા નામની દાસી હતી. તે દેવનિર્મિત ગોશીષચંદનમયી મહાવીર સ્વામીની પ્રતિમાને રાજગૃહના ચૈત્યમાં સંભાળતી રહેતી હતી, કોઈ શ્રાવક તે પ્રતિમા વંદનાર્થે આવ્યો. તેને કોઈ રોગ થયો ત્યારે દેવદત્તાએ તેની સારી સેવા કરી. ખુશ થઈને તે શ્રાવકે આરાઘેલ સર્વકામિક દેવે આપેલી ૧૦૦ ગુટિકા આપી. દેવદત્તાએ હું સ્વરૂપવાનું થઈ જાઉં એમ વિચારી એક ગુટિકા ખાધી, તેના પ્રભાવે તે સુવર્ણવર્ણા થઈ જતાં સુવર્ણગુલિકા નામે પ્રસિદ્ધ થઈ. - પછી તેણીને વિચાર થયો કે - હું રૂપવાળી થઈ ગઈ છું આ રૂપ પતિ વિના શું કામનું ? મારા આ સજા પિતાતુલ્ય છે, તેથી તેની ઈચ્છા ન કરાય. બાકીના તો સામાન્ય પુરુષ છે, તેનાથી શું ? પછી ઉજૈનીના રાજા ચંડuધોતને મનમાં ધારીને ગુટિકા ખાધી. દેવાનુભાવરી ચંડuધોતે તે જાણ્યું. તેથી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ સવગુલિકાને લાવવા નીકળ્યો. સુવર્ણગુલિકાએ પ્રતિમા સાથે લઈને જ આવું, તેમ આગ્રહ રાખતાં ચંડuધોતે પોતાની નગરીએ જઈ તેના જેવી પ્રતિમા કરાવી, પ્રતીમાં લઈને ત્યાં રાત્રે આવ્યો. પોતાની પ્રતિમાને દેવનિર્મિત પ્રતિમા સ્થાને રાખીને, મૂળ પ્રતિમા તથા સવગુલિકાને લઈને ગયો. પ્રભાતે ચંદuધોતના ગંધહસ્તીએ તજેલ મળ-મૂત્રની ગંધથી પોતાના હાથીઓને મદરહિત જામીને ચંડuધોત અહીં આવેલો તેમ જાણ્યું. સુવર્ણગુલિકા તથા પ્રતિમાને લાવવા ઉદાયન રાજા અતિ કોપાયમાન થઈ દશ મહાબલી રાજા સાથે ઉજ્જૈની પ્રતિ ચાલ્યો. * * * * * ચંડuધોતને હરાવી, પકડીને તેના કપાળમાં “દાસીપતિ” એમ મોસ્પીંછ વડે અંકિત કર્યું. કિન્નરી, સુરૂપવિધુમ્મતી વિશે જાણતા નથી. રોહિણી નિમિતે સંગ્રામ થયો - અરિષ્ઠપુરે રુધિર નામે રાજા, મિત્રના નામે રાણી, તેનો પુત્ર હિરણ્યનાભ અને પુત્રી રોહિણી હતા. રોહિણીના વિવાહ માટે રુધિર રાજાએ સ્વયંવર જાહેર કર્યો. ત્યાં જરાસંધ આદિ, સમદ્રવિજયાદિ સા એકઠા થયા. ત્યાં બેઠા. રોહિણીની ધાવમાતા ક્રમશઃ રાજાનું વર્ણન કરતાં તેણીને દેખાડે છે. તે રાજામાં રાગ ન કરતી, તૂર્યવાદક મથે રહેલ સમુદ્રવિજયાદિના નાનાભાઈ વસુદેવ રાજપુત્રએ (કહ્યું) • x • તારા માટે અહીં આવેલ છે, આવા અક્ષરનો સાનુકાર tવનિ ઢોલમાં વગાડ્યો. • x • અનુરાગ વાળી થયેલ રોહિણીએ સ્વહસ્તે વસુદેવને માળા પહેરાવી. ત્યારે ઈર્ષ્યાથી બીજા રાજા •x • વસુદેવ સાથે સંગ્રામ કરવા લાગ્યા. ત્યારે વસુદેવે બધાંને જીતીને રોહિણી સાથે લગ્ન કર્યા. તેમને રામ નામે બળદેવ પુત્ર જમ્યો. આવા પ્રકારે ઘણાં સંગ્રામો સ્ત્રીના નિમિતે થયાનું સંભળાય છે. તેનું મૂળ વિષયહેત છે. તે અબ્રહ્મસેવી આ લોકમાં પરસ્ટીંગમનથી અપયશ પામી નાશ પામ્યા. પરલોકે પણ નાશ પામ્યા. તેઓ કેવા હતા ? – મહામોહ રૂ૫, અત્યંત તમરું જ્યાં છે ત્યાં, તથા દારુણ. ક્યાં જીવ સ્થાનોમાં નાશ પામ્યા તે કહે છે - બસ, સ્થાવર,
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy