SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૩/૧૬ ૧૬૭ [અદત્તાદાન કરનારા આશાના પાસામાં બંધાયેલા રહે છે, લોકમાં સારરૂપ મનાતા અથપાન અને કામભોગના સુખમાં તેઓ નિષ્ફળતાવાળા હોય છે. સારી રીતે ઉધમવંત હોવા છતાં તેમને પ્રતિદિન ઘણી મુશ્કેલીથી અહીં-તહીં વિખરાયેલ ભોજન જ માંડ મેળવે છે, તે પણ પક્ષીણ દ્રવ્યસર હોય છે. અસ્થિર ધન, ધાન્ય, કોશના પરિભોગથી તેઓ સદા વંચિત રહે છે. કામભોગના ભોગોપભોગને પોતાને આધીન બનાવવાના પ્રયત્નમાં તર રહેતા તે બિચારા અનિચ્છાએ પણ કેવળ દુઃખના ભાગી થાય છે. તેમને સુખ કે શાંતિ મળતા નથી. આ રીતે પર દ્રવ્યથી અવિરત એવા તેઓ અત્યંત વિપુલ સેંકડો દુઃખોની આગમાં સળગે છે. આ તે અદત્તાદાનનો ફળવિપાક આ લોકમાં અને પરલોકમાં અસુખ,. ઘણું દુઃખ, બહુરત, પ્રગાઢ, દારુણ, કર્કશ, આસાતા વળો, હજારો વર્ષે છુટાય તેવો છે. તેને વેધા વિના મુક્ત થવાતું નથી. આ પ્રમાણે જ્ઞાતકલMદન, મહાત્મા, જિન, વીરવર નામધેય અદત્તાદાનની ફળવિપાકને કહે છે. આ ત્રીજું-અદત્તાદાન પરધન-હરણ, દહન, મરણ, ભય, મલિનતા, ત્રાસ, રોદ્ધમાન અને લોભનું મૂળ છે. તેમજ ચાવતું ચિરપગિતઅનુગત-દુરંત છે તેમ હું કહું છું. • વિવેચન-૧૬ : તથૈવ - જેમ પૂર્વે કહેલ છે. વત્ - કોઈ પાકા દ્રવ્યને શોધતા. રાજપુરુષ વડે ગૃહીત, લાકડી આદિથી હણેલ, દોરડા વડે બાંધેલ, કૈદખાનામાં નિરુદ્ધ, તુરિયશીઘ, અતિઘાડિત-ભમતા, અતિવર્તિત-મમતા, પુરવ-નગર, સમર્પિત-નાંખેલા, • x • કપટ પ્રહારો-લકુટ આકાર, વળેલ વસ્ત્ર વડે તાડન. નિર્દય-નિકરણ જે આરક્ષકો તેમના સંબંધી જે ખરપરપ-અતિકર્કશ વચનો અને તર્જના-વચન વિશેષ. • - - - ગલચ્છલ્લ-ગલ ગ્રહણની જેમ જે ઉલ્લચ્છણ-અપ પ્રેરણા, તેના વડે વિમનસ-ચેતનામાં વિષાદવાળો થઈને ચારક વસતિ ગુપ્તિગૃહમાં પ્રવેશે છે. તે વસતી કેવી છે? નરકવસતી સદેશ. તે કેદખાનામાં ગૌભિક-ગુતિપાલના જે પ્રહારો-ઘાત, દમણ-ઉપતાપના, નિર્ભર્સના-આક્રોશ વિશેષ કટુ વચનો, ભૂષણક-ભયજનક, તેના વડે અભિભૂત. તથા આક્ષિપ્તનિવસના-પહેરેલા વસ્ત્રો ખેંચી લે છે, મલિન દંડિMડરૂપ વસન-વસ્ત્ર જેમાં આપે છે તે તયા - - ઉકોટાલંચયન્દ્રવ્યની લાંચ, લોકમાં પ્રસિદ્ધ છે. પશ્ચત-કેદખાનામાં રહેલા મનુષ્ય પાસેથી, જે માગણ-ચાયના, તત્પરાયણ-તેમાં નિષ્ઠાવાળા તથા તે કેદખાનાના સુભટ વડે કરેલા વિવિધ બંધનો વડે બંધાય છે. તે બંધનો આ પ્રમાણે - હહિ - કાષ્ઠ વિશેષ, નિગડ-લોઢાની બેડી, વાલરકા-ગાય આદિના વાળવાળું દોરડું, કુદંડક-લાકડા સાથે દોરડાનો પાશ, વસ્ત્ર-ચામડાની મહારજુ લોહ સંકલા-લોઢાની સાંકળ, હસ્તાંદુક-લોઢાનું હાયંત્ર, વર્ધપટ્ટ-ચામડાનો પટ્ટો, દામક-દોરડાનું પગબંધન, નિકોટન-બંધન વિશેષ. ઉપરોક્ત સિવાયના બીજા પણ કેદખાના સંબંધી ઉપકરણ વડે :- દુ:ખની ઉદીરણા-અસુખનું પ્રવર્તન કરે છે તથા સંકોટન-શરીરને સંકોચવું, મોટન-અંગ ભંગ કરવો. તેના વડે તે મંદપુણ્યો બંધાય છે તથા સંપુટ-લાકડાનું યંત્ર, લોઢાના પાંજરા, કે ભૂમિગૃહમાં જે નિરોધ-પ્રવેશન. કૂપ-અંધ કૂવો આદિ, ચાક-કેદખાનું, ચૂપ-યુગ, ચક-રથનું અંગ, વિતત બંધન-પ્રમર્દિત હાથ, જંઘા, મસ્તકનું નિયંત્રણ. ખંભાલણસ્તંભનું આલિંગન, ઈત્યાદિ વડે વિધર્મણા-કદર્થના. વિહેડયંત-બંધાતા એવા તેનું સંકોચન અને અંગભંગ કરાય છે. અવકોટકડોકને નીચે લઈ જઈને ગાઢ, ઉરસિ-હૃદય અને શિરસિ-મસ્તકને જે બાંધવા તે. ઉદર્વપૂરિતા-શ્વાસ પૂરેલ ઉર્થકાયા. અથવા ઉભા રહેલને ધૂળ વડે ભરી દેવા પાઠાંતરથી ઉંચે ગયેલ આંગ, કુરદુર કટક-કાંપતું વક્ષસ્થળ, મોતન-મન, મેડના-વિપર્યકરણ. તેના વડે બાંધતા - x • બંધાવાથી નિઃશ્વસંત-નિશ્વાસને છોડતા, શીષવિટક-વાઘરી વડે માથાને બાંધવું તે. ઊયાલ-જંઘાને ફાળવી, પાઠાંતરથી ઊયાવલ-ઘાને વાળી દેવી. ચપડક-કાઠમંગ વિશેષ. સંધિ-ગોંઠણ, કોણી આદિને બાંધવા, તd શલાકા-ખીલા જેવી અને શૂચિ-સોયોના અગ્રભાગને મારીને ગમાં પ્રવેશ કરાવવો. તક્ષણ-લાકડાની જેમ છોલવા. વિમાનના-દર્શના. ક્ષાર-dલનો ખાર આદિ. કટક-મસ્યા આદિ, તિકત-લીમડો આદિ, તે ભસ્વા. ચાતના કારણશત-સેંકડો હેતુથી કદર્શના. ઉરસિ-છાતીમાં, મહાકાષ્ઠ, દત્તાયા-નિવેશિત, બાંધીને. ગાઢ દબાવવાથી તે અસ્થિક-હાડકા, ભાંગી જાય છે, સપાંસુલિગ-પડખામાં રહેલ, ગલ-કાંટો અને કાળો લોઢાનો દંડ તેના વડે વક્ષસ્થળ, જઠર, ગુહ્ય દેશમાં નાંખીને પીડા આપે છે. તથા મચ્છત-હૃદય મયિત કરાય છે •x - આજ્ઞપ્તિરિ -આદેશ મુજબ કાર્ય કરનાર કર્મચારી. અવિરાધિત-અપરાધ ન કરવા છતાં વૈરી બનેલ તે યમપુરષો, તે અદત્ત લેનારને ત્યાં કારાગૃહમાં મારે છે. તે મંદપુષ્યઅભાગી, ચડવેલા-થuડ, વધપ-ચામડાનો પટ્ટો, પારાધૃતિ-લોઢાની કુશ, છિવ-મૃદુ કષ, ક-ચાબુક, વસ્ત્રચામડાની મોટી દોરડી, વેબ-વેલ આ બધાં વડે મારે છે. કૃપણ-દુ:ખી વ્રણ-ઘા, તેની જે વેદના-પીડા તેનાથી વિમુખીકૃત-ચોરનું મન જેમાં ઉદાસ થઈ જાય છે તે. ધનકુનલોઢાના ઘણથી મારે. સંકોટિતા-સંકોચેલ અંગો, મોટિતા-ભગ્ન અંગો કરાય છે. કેવા ? તે કહે છે. નિચ્ચાર-મળમૂત્રનો રોધ કરે અથવા તેનું વિચરણ બંધ કરાવે અથવા વચન ઉચ્ચારણ નષ્ટ કરાવે. આવી બીજી પણ વેદના પાપા-પાપ કરનાર પામે છે. વસવિષય પરતંત્રતા વશ, કત-પીડિત તે વશાd. • x • અનિન્દ્રિયના વિષયમાં-સ્ત્રી શરીરાદિમાં તીવ-અતિ ગૃદ્ધ-આસક્ત. સ્ત્રીના રૂપાદિમાં ઈષ્ટ-અભિમત, જે રતિ તથા મોહિત-વાંછા કરતા, જે ભોગ-મૈથુન, તેમાં જે તૃષ્ણા-આકાંક્ષા તેના વડે અર્દિતવ્યાકુળ તથા ધન વડે તુષ્ટ થનાર તે ધનતોષક. - કેટલાંક નરગણ-ચોર મનુષ્યનો સમૂહ, તેને કોઈ દિવસે રાજના આરક્ષકો વિવિધ બંઘને બાંધે છે, કર્મવિંદધા-પાપક્રિયાના વિષયમાં ફળના જ્ઞાનથી અજાણ
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy