SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨/૧૧ ૧૪૩ ૧૪૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સુર્ય-ચંદ્ર ગ્રહણ અને ઉપરાગ વિરમોમાં સ્વજન, પરિજન, નિજકના જીવિતની પરિરક્ષાર્થે પ્રતિશીષકની ભેટ ચડાવો. વિવિધ ઔષધિ, મધ, માંસ, મિષ્ટાન્ન, અa, પાન, માળા, લેપન, ઉબટન, દીપ, ધૂપ, પુષ્પ અને ફળથી પરિપૂર્ણ વિધિથી પશુના મસ્તકની બલિ આપો. વિવિધ હિંસા વડે ઉત્પાત, પ્રકૃતિવિકાર, દુઃસ્વપ્ન, અપશુકન, કુર ગ્રહપ્રકોપ, અમંગલ સૂચક અંગ ફૂરણાદિના ફળને નાશ કરવા પ્રાયશ્ચિત કરો, વૃત્તિઓદ કરો, કોઈને દાન ન આપો, તે મર્યો તે સારું થયું.. તેને કાપી નાંખ્યો તે સારું થયું તેના ટુકડે ટુકડા કર્યા તે સારું થયું. આવો ઉપદેશ કરે છે. મન-વચન-કાયાથી મિથ્યા આચરણ કરનારા અનાર્ય, અકુશલ, અલિક, અતિકધમરત, આલિક કથામાં રમણ કરતા, બહુ પ્રકારે અસત્ય સેવીને સંતુષ્ટ થાય છે. • વિવેચન-૧૧ - અસત્ય બોલનારા કેટલાંક, બધા નહીં, કેમકે સુસાધુ અસત્ય વચનથી નિવૃત હોય છે. પાપા-પાપાત્મન, અસંયત-અસંયમી, અવિરત-અનિવૃત, કપટ હેતુથી વક અને કટુ-દારુણ વિપાકી, ચટુલ-વિવિધ વસ્તુમાં ક્ષણે-ક્ષણે આકાંક્ષાદિ પ્રવૃતિમાં ચિતવાળા. બીજાને ભય ઉત્પન્ન કરનાર અથવા ભયથી, હાસ્યાર્થી કે હાસ્યને માટે, સકિખ-સાક્ષી, ખંડ-રક્ષક- જકાત ઉઘરાવનાર, જિયજૂઈકારા-જિતેલા અને જુગારી. ગૃહીતને ગ્રહણ કરનાર. કકગુરુક-માયા કરનારા, કુલિંગી-કુતીર્થિક. ઔપધિકામાયાચારી, વણિકો-કેવા ? ખોય તોલ-માપ કરીને જીવનાર. : - • • પટકારક-વણકર, કલાદ-સોની, કાટુકીયા. ઉકત બધાં સત્ય બોલનારા કેવા છે ? ઠગવામાં રd, ચારિક-જાસુસ, ચાકર-ભાટ, નગરગૃતિક-કોટવાળ, પરિચા-મયુનાસક્ત, કામુક, દુષ્ટવાદી-અસત્ય પક્ષગ્રાહી, સૂચક-પિશુન, અણબલઋણ ગ્રહણ કરવામાં બળવાળા. - X - X - પૂર્વકાલિક વચન બોલવામાં દક્ષ અથવા પૂર્વકાલિક અર્થોના વચનમાં અદક્ષ-નિરતિશય નિરાગમા, સહસા-વિચાર્યા વિના બોલનાર, લઘુસ્વકા-પોતાનાથી લઘુ, અસત્ય-સર્જનોને અહિતકારી, ગૌરવિકાબદ્ધયાદિ ત્રણ ગૌરવથી વિચરતા, જે અસત્ય અર્થોને સ્થાપવામાં ચિત્તવાળા તે સ્થાપનાધિયિતા ઉચ્ચછંદ-પોતાના વિશે મહાન આત્મોત્કર્ષ અભિપાયવાળા. અનિગ્રહસ્વર, અનિયત-નિયમ રહિત. - - : - અનિજક-અવિધમાન રવજન. છંદ-સ્વાભિપ્રાયણી, મુક્તવાચ-પોતાની અભિપ્રાયથી બોલનાર, મુતવાદી-સિદ્ધવાદી. કોણ ? અસત્યથી અવિરત. અપરઉકત સિવાયના નાસ્તિકવાદી, વામલોક વાદી કહે છે. શું ? જગત શૂન્ય છે. કેમકે આત્માદિનો અભાવ છે. તેથી જ કહે છે – પ્રમાણના અભાવે જીવ નથી. તે પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી, અનુમાન ગ્રાહ્ય નથી, કેમકે પ્રત્યક્ષ અને અનુમાનની પ્રવૃત્તિ નથી. આગમ પરસ્પર વિરદ્ધ હોવાથી અપ્રમાણ છે. અસવ હોવાથી તેઓ મનુષ્યલોકમાં કે દેવાદિલોકમાં જતા નથી. કોઈ શુભાશુભકર્મ બાંધતું નથી. પુન્ય-પાપ કર્મોનું કોઈ ફળ નથી. કેમકે જીવ અસત્ય હોવાથી, તે પણ અસવ છે. તથા પંચમહાભૌતિક શરીર છે, તેમ પણ કહે છે. વાત-ચોગ યુક્ત-સર્વ ક્રિયામાં પ્રાણ વાયુ વડે પ્રવર્તે છે. તેમાં પાંચ મહાભૂત બે-તે લોકવ્યાપક હોવાથી મહાન છે, ભૂત-સભુત વસ્તુ. પૃથ્વી-કઠિનરૂપ, પાણી-દ્રવરૂપ, અગ્નિ-ઉણરૂપ, વાયુચલનરૂપઆકાશ-પોલાણરૂપ. આ પાંચથી યુક્ત જ શરીર છે, શરીવર્તી બીજો કોઈ જીવ નથી. પાંચભૂત જ છે. તેમનું પ્રત્યક્ષ પ્રમાણ છે, તે સિવાયના સર્વથા અાપતીયમાન છે. ભૂતોમાંથી જ ચૈતન્ય મળે છે, ભૂતોમાં જ કાયાકારે પરિણમે છે. જેમ મધાંગમાં મદશક્તિ હોય છે. ભૂત સિવાય કોઈ ચૈતન્ય નથી. જેમ માટીનું કાર્ય ઘડો છે. તેમ ભૂતોમાંથી જ ચૈતન્યની અભિવ્યક્તિ છે, જેમ જળમાં પરપોટા થાય છે. અસત્યવાદીના મતે આત્મા આવો છે. જેિ ખોટું છે- x -]. કોઈ પંચડંધ કહે છે - રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કાર નામે કોઈ - બુદ્ધો કહે છે. તેમાં રૂ૫ર્કંધ-પૃથ્વી ધાતુ આદિ રૂપાદિ વેદના સ્કંધ-સુખ, દુ:ખ, સુખદુ:ખ એવો ત્રિવિધ વેદના સ્વભાવ છે. વિજ્ઞાન સ્કંધ-રૂપાદિ વિજ્ઞાનરૂપ. સંજ્ઞાસ્કંધસંજ્ઞા નિમિત્ત ઉગ્રાહણાત્મક પ્રત્યય. સંસ્કાર સ્કંધ-પુન્ય અપુન્યાદિ ધર્મ સમુદાય. આનાથી વ્યતિરિત કોઈ આત્મા નામે પદાર્થ પ્રત્યક્ષ દેખાતો નથી. મનજીવિકો કહે છે - માત્ર પાંચ જ સ્કંધ નથી, મન-રૂપાદિ જ્ઞાન લક્ષણોના ઉપાદાન કારણભૂત, જેને આશ્રીને બૌદ્ધો વડે પરલોકને સ્વીકાર્યો છે. જેમના મતે મન એ જ જીવ છે તે મનોજીવિકા. આ તેમનું અસત્યવાદિપણું છે, કેમકે જીવને મન માગરૂપ સર્વથા અનનુગામી છે, કેમકે પરલોક અસિદ્ધ છે. ઈત્યાદિ - X - X - વાયુજીવિકો આમ કહે છે - વાત અર્થાત્ ઉચ્છવાસાદિ લક્ષણ જીવ છે તેમ કોઈ કહે છે. સભાવ અને અભાવમાં જીવન-મરણ વ્યપદેશાય છે, તે સિવાય કોઈ પશ્લોક જનાર આત્મા નથી. તેમની અલિકવાદિતા એ છે કે વાયુ જડ હોવાથી ચૈતન્યરૂપનો જીવવનો યોગ છે. તથા શરીર ઉત્પન્નવથી સાદિ અને ક્ષયદર્શનથી સાંત છે. આ ભવ જ - પ્રત્યક્ષ જન્મથી એક ભવ-એક જન્મ છે, અન્ય પરલોક નથી. શરીરનો વિવિધ પ્રકારે પ્રકૃષ્ટ નાશ એ સર્વનાશ છે. આત્માને કોઈ શુભા-શુભરૂપ કમી હોતા નથી. ઉક્ત પ્રકારે જ બોલે છે - કોણ ? મૃષાવાદીઓ. જાતિસ્મરણાદિથી તેમની મૃષાવાદિતા છે. બીજા શું કહે છે ? શરીર સાદિ હોવાથી દાન, વ્રત, પૌષધ-નિયમ પર્વોપવાસ, તપ-અનશનાદિ, સંયમ-છ કાય રક્ષા, આદિ જે જ્ઞાન-શ્રદ્ધાદિના પૂર્વે કલ્યાણહેતુપણે છે, તેનું કર્મક્ષય, સુગતિ ગમનાદિ કુળ નથી. પ્રાણવધ, અલીકવચનને અશુભ ફળ સાધન રૂપે ન જાણવા. ચોરીકરણ અને પરદાસ સેવનનું પણ અશુભ ફળ નથી. પરિગ્રહ, તે પણ પાતક ક્રિયાસેવન પણ નથી. ક્રોધ-માનાદિ સેવનરૂપ નકાદિ જગતની વિચિત્રતા સ્વભાવથી જ છે, કર્મભનિત નથી. જેમ કંટકની તીણતા આદિ સ્વભાવથી છે. તેઓ મૃષાવાદી છે, કેમકે સ્વભાવ જ જીવાદિ અર્થાન્તરભૂત છે ઈત્યાદિ તથા-નૈરયિક, તિર્યય, મનુષ્યોની યોનિ પુચ-પાપકર્મના ફળરૂપ નથી.
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy