________________
૮/૫૫
૬૭
-સૂત્ર-૫૫ -
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા. યાવત્ પર્યાદા પાછી ગઈ. ગૌતમને આમંત્રી ભગવંતે કહ્યું – હે ગૌતમ ! આ રાજગૃહનગરમાં મારો શિષ્ય મહાશતકશ્રાવક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખનાથી કૃશ શરીરી, ભોજન-પાન પ્રત્યાખ્યાયન કરેલ, કાળની અપેક્ષા ન કરતો વિચરે છે. ત્યારે તે મહાશતકની ઉન્મત્ત પત્ની રેવતી યાવત્ સ્ત્રીભાવોને બતાવતી પૌષધશાળામાં મહાશતક પાસે આવી, પછી મોહોત્પાદક યવત્ કહ્યું. પૂર્વવત્ યાવત્ બીજી-ત્રીજી વખત કહ્યું.
ત્યારે મહાશતકે, રેવતીઓ બીજી-ત્રીજી વખત આમ કહેતા ક્રોધિતાદિ થઈ અવધિજ્ઞાન પ્રયોજી, અવધિ વડે જોઈને રેવતીને કહ્યું – યાવત્ નકમાં ઉપજીશ. ગૌતમ ! અપશ્ચિમ યાવત્ કૃશ શરીરી, ભોજન-પાન પ્રત્યાખ્યાયિત શ્રાવકને સત્ય, તથ્ય, તેવા પ્રકારના સદ્ભુત, અનિષ્ટ, કાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ વ્યાકરણથી ઉત્તર આપવો યોગ્ય નથી, હે દેવાનુપ્રિય ! તું જા, તું મહાશતકને આમ કહે કે પશ્ચિમ યાવત્ ભવાન પ્રત્યાખ્યાયિત શ્રાવકને, સત્ય યાવત્ બીજાને ઉત્તર આપવો ન કો, હે દેવાનુપ્રિય ! તેં રેવતીને સત્ય, અનિષ્ટ વાગરણથી ઉત્તર આપેલ, તો તું આ સ્થાનની આલોચના યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને સ્વીકાર. ત્યારે ગૌતમે, ભગવંતની આ વાતને “તહત્તિ" કહી. વિનયથી સ્વીકારી, પછી ત્યાંથી નીકળ્યા.
– નીકળીને રાજગૃહની મધ્યેથી મહાશતકના ઘેર મહાશતક પાસે આવ્યા. ત્યારે મહાશતકે ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને હૃષ્ટ યાવત્ હ્રદયી થઈ, ગૌતમસ્વામીને વંદન-નમન કર્યા. ત્યારે ગૌતમસ્વામીએ મહાશતકને કહ્યું – હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવત્ મહાવીર આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે, પરૂપે છે કે - અપશ્ચિમ યાવત્ શ્રાવકને આમ ઉત્તર આપવો ન કરે, જે તે રેવતીને સત્ય યાવત્ ઉત્તર આપ્યો. તો હે દેવાનુપિય ! તું આ સ્થાનની આલોચના યાવત્ પ્રાયશ્ચિત્ત કર. ત્યારે મહાશતકે, ગૌતમવામીની આ વાતને “તહતિ” કહી, વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સ્થાનની આલોચના કરી યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને સ્વીકાર્યુ. પછી ગૌતમસ્વામી, મહાશતક પાસેથી નીકળીને રાજગૃહ મધ્યે જાય છે. જઈને ભગવંત પાસે જાય છે. જઈને ભગવંતને વાંદી-નમી, સંયમ-તપથી આત્માને ભાવતા વિચરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે રાજગૃહ નગથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદવિહારે વિચરે છે.
• વિવેચન-૫૫ :
નો તુ ખ૰ સંત-વિધમાન, તરચ-તથ્ય, તત્ત્વ-રૂપ કે વાસ્તવિક, તહિઅતે જ ઉક્ત પ્રકારે પ્રાપ્ત પણ ન્યૂનાધિક નહીં. અનિષ્ટ-અવાંછિત, અકાંત-સ્વરૂપથી અનિચ્છનીય, અપ્રિય-અપ્રીતિકારક, અમનોજ્ઞ-મન વડે ન જણાય-કહેવાને ન ઈચ્છાય
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
તેવા. અમણામ-મનને વિચાર વડે પણ ન પ્રાપ્ત થાય, જેને કહેવા અને વિચારવામાં મન ઉત્સાહિત ન થાય, એવા વચન વિશેષ વડે.
• સૂત્ર-૫૬ ઃ
ત્યારપછી મહાશતક શ્રાવક ઘણાં શીલ આદિ વડે યાવત્ આત્માને
ભાવિત કરતો વીશ વર્ષનો શ્રમણોપાસક પચયિ પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓ સભ્યપણે કાયા વડે પાળીને, માસિકી સંલેખના વડે આત્માને ઝૂસિત કરી, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને કાળમારો કાળ કરીને સૌધર્મકલ્પમાં અરુણાવતસક વિમાને દેવપણે ઉપજ્યો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ થઈ, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ કહેવો.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ