________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
-ભાગ-૧૫
૧૭
૦ આ ભાગમાં ચાર આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૭ થી ૧૦.
અંગસૂત્રોમાં પણ તેનો ક્રમ-૭ થી ૧૦ જ છે. આ આગમોના પ્રાકૃત નામો અનુક્રમે વાસળવસાયો, અંતાકમાઓ, અનુત્તરોવવાબરસાઓ, પટ્ટાવાળાં છે. તેને સંસ્કૃતમાં તથા વ્યવહારમાં અનુક્રમે આ નામોથી ઓળખવામાં આવે છે – ઉપાસકદશા, અંતકૃત્ દશા, અનુત્તરોષપાતિક દશા અને પ્રશ્નવ્યાકરણ.
ઉપાસકદશાંગમાં દશ અધ્યયનો છે, તેમાં આનંદ આદિ દશ શ્રાવકોની બીના છે, મુખ્યત્વે ધર્મકથાનુયોગવાળા આ આગમમાં ચરણકરણાનુયોગ પણ સમાવિષ્ટ છે. અંતકૃત્ દશાંગમાં હાલ ઉપલબ્ધ આઠ વર્ગો છે. આ આઠ વર્ગોમાં કુલ ૯૦
અધ્યયનો છે. તેમાં જીવનના અંત સમયે કેવલી થઈ સિદ્ધ થનાર આત્માની કથાઓ
છે. અનુત્તરોષપાતિક દશાંગમાં હાલ ઉપલબ્ધ ત્રણ વર્ગો છે. તે ત્રણેના કુલ-૩૩અધ્યયનો છે. અનુત્તરવિમાને ઉત્પન્ન થનાર ૩૩-શ્રમણોની કથાઓ છે. પ્રશ્ન
વ્યાકરણાંગમાં-હાલ દશ અધ્યયનો (જ માત્ર) ઉપલબ્ધ છે. તેમાં પાંચ અધ્યયન આશ્રવના અને પાંચ અધ્યયન સંવરના છે. સૂત્રમાં તેને બે શ્રુતસ્કંધરૂપ કહ્યા છે, ટીકાકાર કહે છે કે તે એક શ્રુતસ્કંધ રૂપે રૂઢ છે, તેને આશ્રવ અને સંવર બે દ્વારરૂપે પણ જણાવેલ છે.
15/2
આ ચારે આગમોના મૂળ સૂત્રોનો પૂર્ણ અનુવાદ તો છે જ. વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન'' શબ્દ અમે પસંદ કર્યો છે, તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ અન્ય સંદર્ભોની નોંધ પણ છે અને વૃત્તિનો અનુવાદ છે, કેમકે આ ચાર આગમોની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ હોવાનો ઉલ્લેખ નથી, માત્ર પ્રશ્નવ્યાકરણમાં જ્ઞાનવિમલસૂકૃિત્ ટીકા પણ છે.
અમે વૃત્તિના અનુવાદમાં જે ભાગ છોડી દીધેલ છે, ત્યાં - ૪ - ૪ - આવી નિશાની મૂકેલ છે, ટીકાપદ્ધતિ મુજબ “વિવેચન” શબ્દ લખ્યો છે, છતાં તેમાં શબ્દાર્થની જ મુખ્યતા જોવા મળે છે, કેટલુંક વિવરણ સૂત્રાર્થમાં આવી જ જાય છે, તેથી વિવેચનમાં પુનરુક્તિ ન કરવા, તેટલાં અનુવાદ અમે. છોડી દીધા છે.
૧૮
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
(૩) ઉપાડશાંગ સૂત્ર
અનુવાદ તથા ટીડાનુશાષી વિવેચન
૦ પ્રાયઃ ગ્રંથાંતરથી ઉપાસકદશાની કંઈક વ્યાખ્યા, શ્રી વર્ધમાનસ્વામીને નમીને કરાઈ રહી છે. [કરું છું] ઉપાસકદશા એ સાતમું અંગ છે. તેનો અભિધાનાર્થ અહીં આ છે :- પાસ - શ્રમણોપાસક, તેના સંબંધના અનુષ્ઠાનની પ્રતિપાદિકા મા - દશ અધ્યયનરૂપ, તે ઉપાસકદશા. - ૪ - આનું સંબંધ, અભિધેય, પ્રયોજન અન્વર્યસામર્થ્યથી જ પ્રતિપાદિત જાણવી. તેનો અવગમ એ શ્રોતાઓને અનંતર પ્રયોજન છે, પરંપર પ્રયોજન ઉભયને અણ્વર્ગની પ્રાપ્તિ છે. સંબંધ શાસ્ત્રમાં બે ભેદે જણાય છે - ઉપાય, ઉપેય ભાવલક્ષણ અને ગુરુપર્વ ક્રમલક્ષણ. ઉપાય-ઉદ્દેય ભાવલક્ષણ, શાસ્ત્રના અન્વર્ટ સામર્થ્યથી જણાવ્યા. - ૪ - ગુરુપર્વ ક્રમલક્ષણ સંબંધ સાક્ષાત્ દર્શાવવાને માટે કહે છે -
Ø અધ્યયન-૧-“આનંદ” છે
• સૂત્ર-૧થી૪ ઃ
[૧] તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતુ.
[૨] તે કાળે, તે સમયે આર્યસુધાં પધાર્યા. યાવત્ જંબૂએ પપાસના કરતાં કહ્યું – હે ભંતે ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ચાવત્ સંપ્રાપ્તે છટ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથાનો આ અર્થ કહ્યો છે, તો તે ! સાતમા અંગ ઉપાસકદશાનો શ્રમણ યાવત્ સંપાÒ શો અર્થ કહ્યો છે ?
હે જંબૂ ! શ્રમણ સાવદ્ સંપાà સાતમા ઉપાસકદશા અંગના દશ અધ્યયનો કહ્યા છે . [૩] - આણંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદ્દલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, શાલિહીપિતા.
[૪] હે ભંતે ! જ્યારે શ્રમણ યાવત્ સંપાà ઉપાસકદશાના દશ અધ્યયન કહ્યા છે, તો શ્રમણ ભગવંતે પહેલા અધ્યયનમાં શું કહ્યું ?
• વિવેચન ૧ થી ૪ :
તે કાળે॰ ઈત્યાદિ બધું જ્ઞાતાધર્મના પહેલા અધ્યયન-વિવરણ અનુસાર જાણવું. વિશેષ આ – ‘જ્ઞાનંમ્' ઈત્યાદિ રૂપક. આનંદ ઉપાસક કથન પ્રતિબદ્ધ અધ્યયન ‘આનંદ' કહેવાય. એમ બધે જાણવું. ગાહાવઈ-ગાથાપતિ.
-
-સૂત્ર-૫ થી ૭ઃ
[૫] હૈ જંબૂ ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, તેની બહાર ઈશાન ખૂણામાં દૂતિપલાશક ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં જિતશત્રુ રાજા હતો. તે ગામે આનંદ નામે ધનાઢ્ય યાવત્ પભૂિત ગાથાપતિ રહેતો હતો. તે આનંદની ચાર કરોડ હિરણ્ય નિધાનમાં, ચાર કરોડ હિરણ્ય વ્યાપારમાં,