SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧|-|૮|૮૭,૮૮ તો હું આ પોતવહનને બે આંગળી વડે લઈને સાત-આઠ તલની ઉંચાઈ સુધી આકાશમાં ઉછાળી, જળમાં ડૂબાડી દઈશ. જેથી તું આધ્યિાનમાં વશ થઈ, અસમાધિ પામી, મરી જઈશ. ત્યારે તે અહક શ્રાવકે તે દેવને મનથી જ કહ્યું – હે દેવાનુપ્રિય ! હું જીવાજીવનો જ્ઞાતા અહક શ્રાવક છું, નિશ્ચયે મને કોઈ દેવ, દાનવ નિગ્રન્થ પ્રવચનથી ચલિત, ક્ષોભિત, વિપરિણામિત કરવા સમર્થ નથી, તમારી જે ઈચ્છા હોય તે કરો. એમ કહીને અન્નક નિર્ભય, મુખનો રંગ કે નેત્રનો વર્ણ બદલ્યા વિના, દીન-વિમન માનસ, નિશ્ચલ, નિસ્યંદ, મૌન, ધર્મધ્યાનોપગત થઈને રહ્યો. ત્યારે તે દિવ્ય પિશાચરૂપ અહંક શ્રાવકને બીજી-ત્રીજી વખત આમ કહ્યું ઓ અહંશક ! યાવત્ ધર્મધ્યાને વિચરે છે. - ૧૪૯ ત્યારે તે દિવ્ય પિશાચરૂપ અહકને ધર્મધ્યાનોપગત જાણીને ઘણો-ઘણો ક્રોધિત થઈ, તે પોતવહનને બે આંગળી વડે ઉપાડી, સાત-આઠ તલ સાવત્ અન્નકને કહ્યું – પાર્થિતના પ્રાર્થિત જો તને શીલવત છોડવા ન કલ્પતા હોય સાવત્ ધર્મધ્યાનયુકત વિચરે છે. ત્યારે તે પિશાચ અહકને નિર્પ્રન્થ પ્રવચનથી ચલિત કરવા સમર્થ ન થયો, ત્યારે ઉપશાંત યાવત્ ખેદવાળો થઈ, ધીમે ધીમે પોતવહનને પાણી ઉપર સ્થાપ્યું, તે દિવ્ય પિશાચરૂપ સંહરી દિવ્ય દેવરૂપ વિકુલ્યું, પછી આકાશમાં સ્થિર થઈ, ઘુંઘરુના ધ્વનિથી યુક્ત, પંચવર્ષી ઉત્તમ વસ્ત્ર ધારણ કરી અહક શ્રાવકને કહ્યું હૈ અહંક ! તું ધન્ય છે, હે દેવાનુપ્રિય ! યાવત્ તારું જીવન સફળ છે, જેથી તને નિગ્રન્થ પ્રવચનમાં આવી શ્રદ્ધા લબ્ધપ્રાપ્ત અને અભિરામન્વાગત થઈ. હે દેવાનુપ્રિય ! દેવેન્દ્ર દેવરાજ શએ સૌધર્મકલ્પે સૌધર્માવર્તસક વિમાને સુધસભામાં ઘણાં દેવો મધ્યે મહા શબ્દોથી આમ કહ્યું – નિશ્ચે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં, ચંપાનગરીમાં હક શ્રાવક, જીવાજીવનો ગાતા છે, તેને કોઈ દેવ કે દાનવ નિગ્રન્થ પ્રવચનથી ચલિત યાવત્ વિપરિણામિત કરવા સમર્થ નથી. ત્યારે મેં શકની આ વાતની શ્રદ્ધા ન કરી પછી મને આવો વિચાર આવ્યો કે – હું અહંક પાસે પ્રગટ થાઉં અને જાણુ કે અહક પ્રિયધર્મી-ઢધર્મી છે કે નહીં ? શીલવતગુણ થી ચલિત થઈ યાવત્ ત્યાગ કરે છે કે નહીં, એમ વિચારી, અવધિજ્ઞાન વડે તમને મેં જોયા. ઈશાન કોણમાં ઉત્તર વૈક્રિય કરી ઉત્કૃષ્ટ ગતિથી સમુદ્રમાં આપની પાસે આવ્યો. આપને ઉપસર્ગ કર્યો. પણ આપ ડર્યા નહીં તો શક્રેન્દ્રએ કહ્યું, તો આ અર્થ સત્ય છે, મેં આપની ઋદ્ધિ-ધૃતિ-યશથાવત્ પરાક્રમ લબ્ધ, પ્રાપ્ત, અભિસમન્વાગત જાણ્યા છે, તો હે દેવાનુપ્રિય ! તમને ખમાવું છું. આપ ખમવા યોગ્ય છો, એ રીતે ફરી નહીં કરું. પછી હાથ જોડી, પગે પડી, આ અર્થ માટે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા, ખમાવીને અહંકને બે કુંડલ યુગલ આપ્યા. આપીને જે દિશામાંથી આવેલો, ત્યાં પાછો ગયો. [૮] ત્યારપછી તે અહંકે નિરુપસર્ગતા જાણી પ્રતિજ્ઞા પારી, ત્યારે તે અર્થકાદિ યાવત્ વણિકો દક્ષિણના અનુકૂળ વાયુથી ગંભીર પોતપણ ગયા. - જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વહાણ રોક્યું, ગાડાં-ગાડી સજ્જ કર્યા, તે ગણિમ આદિ વડે ગાંડા-ગાડી ભર્યા. ગાડાં-ગાડી જોડ્યા, મિથિલાએ આવ્યા, મિથિલા રાજધાની બહાર અગ્રઉધાનમાં ગાડાં-ગાડી છોડ્યા. છોડીને મિથિલા રાજધાનીએ મહાર્થ-મહાઈ-મહાર્ટ-વિપુલ રાજયોગ્ય પ્રામૃત કુંડલ-યુગલ લીધા, લઈને પ્રવેશ્યા, કુંભક રાજા પાસે આવીને બે હાથ જોડી, તે મહાર્થ, દિવ્ય કુંડલ ભેટ ધર્યા. પછી કુંભકે તે સાંયાત્રિકોની યાવત્ ભેટ સ્વીકારી, પછી ઉત્તમ વિદેહ રાજકન્યા મલિને, બોલાવીને તે દિવપ્ કુંડલ યુગલ રાજકન્યા મલિને પહેરાવીને વિસર્જિત કરી. ત્યારે તે કુંભક રાજા, તે અક યાવત્ વણિકોને વિપુલ અશન-વગંધ યાવત્ ઉશુલ્ક કરી, તેમને વિદાય કર્યા. પછી તેઓ રાજમાર્ગે આવાસે આવ્યા, આવીને ભાંડનો વ્યાપાર કરવા લાગ્યા. તેમણે બીજા ભાંડ ખરીદ કરી ગાડાં-ગાડી ભર્યા. ગંભીર પોતપટ્ટને આવ્યા, આવી પોતવહન સજાવ્યું. તેમાં બધાં ભાંડ ભર્યા. ભરીને દક્ષિણ દિશાનો અનુકૂળ વાયુ જાણી ચંપાનગરીના પોતસ્થાને આવ્યા. વહાણ લાંગરી ગાડાં-ગાડી સજ્જ કરી, તે ગણિમાદિ ભર્યા, ભરીને યાવત્ મહાર્થ પામૃત દિવ્ય કુંડલ યુગલ લીધા. લઈને ચંદ્રચ્છાય અંગરાજ પાસે આવીને તે મહાર્થ ભેટ યાવત્ ધરી. ત્યારે અંગરાજાએ તે દિવ્યકુંડલ સ્વીકાર્યાં, સ્વીકારીને અહંક આદિને આ પ્રમાણે પૂછ્યું – હે દેવાનુપિયો ! તમે ઘણાં ગામ આકર યાવત્ ફરો છો, પોતવહનથી વારંવાર લવણસમુદ્રને અવગાહો છો, તો તમે ક્યાંય, કોઈ આશ્ચર્ય પૂર્વે જોયું ? ત્યારે અર્ધક આદિએ ચંદ્રચ્છાય અંગરાજાને કહ્યું – હે સ્વામી ! અમે - ૪ - બધાં ચંપાનગરીમાં વીએ છીએ. અમે અન્ય કોઈ દિવસે ગણિમાદિ પૂર્વવત્ અહીંનાતિતિ કહેવું. ાવત્ કુંભરાજાને ભેટ ધરી. ત્યારે તે કુંભકે શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લીને તે દિવ્ય કુંડલયુગલ પહેરાવી, પ્રતિવિસર્જિત કરી. તો હે સ્વામી ! અમે કુંભરાજાના ભવનમાં વિદેહ કન્યા મલ્લી આશ્ચરૂપે જોઈ. તેવી બીજી કોઈ તેવી દેવકન્યા યાવત્ જોઈ નથી, જેવી મલ્લી છે. ૧૫૦ ત્યારે તે ચંદ્રચ્છો તે અહંશક આદિને સત્કારી, સન્માનીને વિસર્જિત કર્યા. પછી રાજાએ વણિકોના કથનથી હર્ષિત થઈ દૂતને બોલાવી યાવત્ રાજ્યના મૂલ્યથી પણ તે મલ્લીની પત્ની રૂપે યાચના કરવા કહ્યું. ત્યારે દૂત પણ ચાવત્ જવાને નીકળ્યો. * વિવેચન-૮૭,૮૮ : મંનાત્તાનાવાવાળિયા - દેશાંતરે સાથે જનાર, તપ્રધાન પોતવણિકો. સમળોવાળે - માત્ર આઢ્યાદિ ગુણયુક્ત નહીં પણ શ્રાવક પણ હતો. ગણિમનાળિયેર, સોપારી આદિ ધરિમ-ત્રાજવે તોલાય, મેય-પલ્યાદિથી મપાય, પરિચ્છેધગુણથી પરીક્ષા કરાય તે વસ્ત્રાદિ. ઓસહ-ત્રિકટુકાદિ, ભેસજ્જ-પથ્ય આહાર વિશેષ અથવા એક દ્રવ્યરૂપ તે ઔષધ, દ્રવ્ય સંયોગરૂપ તે ભેષજ - ૪ - આર્ય-પિતામહ આદિ. મે - આપને, અનધ - નિર્દેષણતાથી, સમગ્ર-અહીંન ધન પરિવારપણે. - x - સોમા-નિર્વિકારત્વથી, નિદ્ધા-સસ્નેહત્વ, દીહ-અવલોકનથી દૂર, સમાણિઅ-આપ્યા,
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy