SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ૧/-/૫/૬૫ ૧૧૯ વત્ જાત્યરૂપ, વસુંધરાવતું સર્વ પર્શ સહેનાર. ઈત્યાદિ સર્વ સ્વરૂપ પૂર્વે વર્ણવેલ છે, તે વૃત્તિથી જાણવું. - x - [આ જ વર્ણન કલ્પસૂપમાં પણ કેવળજ્ઞાન પૂર્વે આવે છે.] • સૂત્ર-૬૬ થી ૬૮ : ફિ૬] તે કાળે, તે સમયે લકપુર નગર હતું. સુભૂમિભાગ ઉધાન હતું. શૈલક રાજા, પulવતી દેવી, મંડુકકુમાર યુવરાજ તે શેલકને પંચક આદિ પoo મંત્રી હતા. તેઓ ઔત્પાતિકી, વૈનાયિકી આદિ ચાર પ્રકારની ભૂહિકત થઈ રાજ્યધુર ચિંતત હતા. થાવસ્ત્રાપુમ, લકપુરે પધાર્યા, રાજા નીકળ્યો, ધર્મ કથા કહી, ધર્મ સાંભળ્યો, (પછી કહ્યું - જેમ આપની પાસે ઘણાં ઉગ્ર, ભોગો ચાવતું હિરણયનો ત્યાગ કરી, યાવત્ પ્રવજયા લીધી, તેમ હું દીક્ષા લેવા સમર્થ નથી, હું આપની પાસે પાંચ અણુવ્રત ચાવતું શ્રાવક યાવતું જીવાજીવને જાણીને ચાવતુ આત્માને ભાવિત કરતા વિચારે છે. પંથક આદિ પoo મંત્રી પણ શ્રાવક થયા, પછી થાવસ્થાપુત્ર બાહ્ય જનપદ વિહારે વિચરે છે. ૬િ૭ તે કાળે, તે સમયે સૌગંધિકા નગરી હતી - વર્ણન. નીલાશોક ઉધાન હતું - વર્ણન. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નગર શ્રેષ્ઠી વસતો હતો. તે આય યાવત્ અપરિભૂત હતો. તે કાળે, તે સમયે શુક્ર પરિવાજક હતો. તે વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદ, યષ્ઠિતંગ-કુશલ હતો, સાંખ્ય સમય લબ્ધા, પાંચ યમ-પાંચ નિયમ યુક્ત, શૌચમૂલક દશ પ્રકારના પરિવ્રાજક ધર્મ અને શૌચ ધર્મ, તિથભિષેકનો ઉપદેશ અને પ્રરૂપણા કરd, ગેરુથી ક્ત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતા, મિદંડજ્યુડિક-છત્રછાલય-અંકુશ-પવિત્રી, કેસરિકા [આ સાત) તેમના હાથમાં રહેતા હતા. ૧ooo પરિવ્રાજકોચી પરિવૃત્ત કે શુક્ર, સૌગંધિકા નગરીએ, પરિવ્રાજકના મઠ પાસે આવ્યો. આવીને ત્યાં પોતાના ઉપકરણ સખ્યા, સાંખ્યમતાનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યો. ત્યારે તે સૌગંધિકાના શૃંગાટકાદિએ ઘણાં લોકો એકબીજાને આમ કહેતા હતા - શુક્ર પરિશ્તાક અહીં આવ્યા છે યાવતુ વિચરે છે. "દા નીકળી, સુદર્શન નીકળ્યો. ત્યારે તે શક પરિવ્રાજકે તે પર્મદા અને સુદર્શન તથા બીજ ઘણાંને સાંખ્યમતનો ઉપદેશ કહ્યો. હે સુદશના અમારો ધર્મ શૌચમૂલક છે, તે શૌચ બે ભેદે છે - દ્રવ્ય અને ભાવથી. દ્રવ્યશૌચ જળ અને માટીથી થાય, ભાવશૌચ દર્ભ અને મંગથી થાય. હે દેવાનુપિયા અમારે મને જે કંઈ આશુચિ થાય છે, તે બધઈ તcકાળ માટીથી માંજી દેવાય છે અને પછી શુદ્ધ જળ વડે ધોવામાં આવે છે. ત્યારે અરુચિ શુચિ થઈ જાય છે. એ રીતે નિશે જલાભિષેકથી પોતાની આત્મા પવિત્ર કરી નિર્વિને સ્વર્ગે જાય છે. ત્યારે તે સુદર્શન, શુક પાસે આ ધર્મ સાંભળી હર્ષિત થયો, શુક્રની પાસે શૌચમુલક ધર્મ સ્વીકાર્યો. પછી પરિવ્રાજકોને વિપુલ આશનાદિ, વસ્ત્રાદિ પ્રતિ લાભનો યાવતું વિચરે છે. ત્યારે તે શક પરિવ્રાજક સબંધિકા નગરીથી નીકળ્યો. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. -- તે કાળે, તે સમયે થાવસ્થાપત્ર પધાર્યા. પર્વદા નીકળી, સુદર્શન પણ નીકળ્યો. તેણે થાવરચ્યાપુત્રને વંદન-નમસ્કાર કર્યો, પછી આ પ્રમાણે કહ્યું – આપના ધર્મનું મૂળ શું છે? ત્યારે થાવસ્ત્રાપુને સુદર્શનને કહ્યું - હે સુદર્શન અમારો ધર્મ વિનયમૂલક છે. તે વિનય બે ભેદે છે - અગર વિનય, અણગાર વિનય. તેમાં જે અગાર વિનય છે, તે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાdત, ૧૧ઉપાસક પ્રતિમાઓ રૂપ છે. અણગાર વિનય પાંચ મહાવ્રત રૂપ છે - સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સવા અદત્તાદાન વિરમણ, સર્વથા મનથી વિરમણ, સવા પરિગ્રહથી વિરમણ તથા સર્વથા રાત્રિભોજનથી વિરમણ યાવતુ મિયાદશનિચી વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન, બાર ભિમુપતિમ રૂપ છે. આ બે પ્રકારના વિનયમૂલક ધર્મથી અનુક્રમે આઠ કમપકૃતિઓ અપાવીને લોકાણે પ્રતિષ્ઠિત થાય છે. ત્યારે થાવાયુએ સુદર્શનને કહ્યું - હે સુદનિ ! તમારા ધર્મનું મૂળ શું છે ? હે દેવાનુપિય! આમારો શૌચમૂલક ધર્મ છે ચાવવું [તેનાથી સ્વર્ગે જાય છે. ત્યારે થાવસ્ત્રાપુમ આણગારે સુદર્શનને કહ્યું - હે સુદર્શન ! જેમ કોઈ પુરષ એક મોટા લોહીલિપ્ત વસ્ત્રને લોહી વડે હુવે. તો તે લોહી વડે જ ધોવાતા વસ્તીની શુદ્ધિ થશે ? ના, એમ ન થાય. એ રીતે સુદર્શન ! તમે પણ પ્રાણાતિપાત ચાવ4 મિથ્યાદર્શન શલ્ય વડે લોહીલિપ્ત વસ્ત્રની લોહીથી ધોવાથી જેમ શુદ્ધિ ન થાય તેમ તારી શુદ્ધિ ન થાય. - સુદર્શન ! જેમ કોઈ પુરુષ એક મોટા લોહીલિપ્ત વાને સાજી ખર વડે પાણીમાં ભીંજવે, પછી ચૂલે ચઢાવે, પછી ઉકાળે, પછી શુદ્ધ જળથી ધોવે, તો સુદર્શન ! નિશ્ચયથી તે - x • વસ્ત્ર શુદ્ધ થઈ જાય ? હા, થઈ જાય. એ રીતે હે સુદર્શના અમારા મતે પ્રાણાતિપાતવિરમણ ચાવત મિથ્યાદર્શન શલ્ય વિરમણથી શુદ્ધિ થાય. જેમ વસ્ત્રશુદ્ધિ. ત્યારે તે સુદર્શન બોધ પામ્યો, પછી થાવરચ્યાપુને વાંદી-નમીને કહ્યું - ભગવાન ! હું ધર્મ સાંભળીને જાણવા ઈચ્છું છું ચાવ4 તે શ્રાવક થયો, જીવાજીવનો જ્ઞાતા થઈ યાવત શુકને આવો સંકલ્પ ઉત્પન્ન થયો. સુદનિ શૌચમુલક ધર્મ છોડી વિનયમૂલક ધર્મ સ્વીકાર્યો છે, મારા માટે શ્રેયર છે કે સુદર્શનની દષ્ટિનો ત્યાગ કરાવી ફરી શૌચમૂલક ધર્મ સમજાવું. એ પ્રમાણે તેણે વિચાર્યું. ત્યારપછી હાર પરિતાજક સાથે સૌગંધિકા નગરીમાં પરિવ્રાજકના મઠે આવ્યો, આવીને ત્યાં ઉપકરણો રાખ્યા, રાખીને ગેરના રંગેલ વસ્ત્ર પહેર્યા. થોડાં પશ્ચિાજકો સાથે પરિવરીને પરિવ્રાજક મઠથી નીકળ્યો, નીકળીને સૌગંધિકા નગરીની વચ્ચોવચ્ચેથી સુદર્શનના ઘેર સુદર્શનની પાસે આવ્યો. ત્યારે તે સુદને તેને આવતો જોઈને, ઉભો ન થયો, તેની સામે ન
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy