________________
૧/-/૧૩/૧૪૬,૧૪૭
આમ
મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. - ભ૰ મહાવીર પધાર્યા છે, તો હું જાઉં વાંદુ વિચારીને નંદા પુષ્કરિણીથી ધીમે ધીમે બહાર નીકળ્યો, રાજમાર્ગે આવ્યો. પછી ઉત્કૃષ્ટ દુગતિથી ચાલતો મારી પાસે આવવાને માટે નીકળ્યો.
આ તરફ રાજા ભંભસાર-શ્રેણિક નાન કરી, કૌતુકાદિ કરી યાવત્ સર્વલિંકાર વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના સ્કંધે બેસી, કોરંટ પુષ્પની માળા યુક્ત છત્ર ઉત્તમ શ્વેત ચામર હાથી-ઘોડા-થ૰ મોટા ભટ-સુભટ ચતુરંગિણી સેના સાથે પરીવરીને મારા પાદવંદનાર્થે જલ્દી આવતો હતો. ત્યારે તે દેડકો, શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગે આક્રાંત થતાં, તેના આંતરડા બહાર નીકળી ગયા.
૧૯૭
ત્યારપછી તે દેડકો શક્તિ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ રહિત થઈ ગયો. “જીવન ધારણ કરવું અશક્ય" માની એકાંતમાં ગયો બે હાથ જોડી અરિહંત સાવત્ નિર્વાણ પ્રાપ્તને નમસ્કાર હો, મારા ધર્માચાર્ય યાવત્ મોક્ષ પ્રાપ્તિના ઉન્મુખ ભ૰ મહાવીરને નમસ્કાર હો. પહેલાં પણ મેં ભ૰ મહાવીરની પાસે સ્થૂલ પ્રાણાતિપાત યાવત્ સ્થૂલ પરિગ્રહના પચાણ કરેલા. હાલ પણ તેમની સમીપે જ સર્વ પ્રાણાતિપાત સાવત્ સર્વ પરિગ્રહનું જાવજીવનું પ્રત્યાખ્યાન કરું છું. જાવજ્જીવ માટે સર્વે અશનાદિને પયખું છું. આ જે મારું ઈષ્ટ, કાંત યાવત્ રોગાદિ ન સ્પર્શેલ આ શરીરનો પણ છેલ્લા શ્વાસ ત્યાગ કરું છું.
ત્યારપછી તે દેડકો કાળમાો કાળ કરીને યાવત્ સૌધર્મકલ્પમાં દુરાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દુર દેવપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! આ રીતે તે દેડકો દિવ્ય દેવ-ઋદ્ધિ પામ્યો.
ભગવન્ ! તે દુર દેવની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! ચાર પલ્યોપમની. તે દુર દેવ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધબુદ્ધ ચાવત્ અંતકર થશે. - -- ભ૰ મહાવીરે તેરમાં જ્ઞાાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું. • વિવેચન-૧૪૬,૧૪૭ :
સાસ આદિ શ્લોક પ્રતીત છે. અનીર્મ્ - આહારની અપરિણતિ, દૃષ્ટિ શૂળનેત્ર શૂળ, મૂશૂળ-મસ્તકશૂળ. અકારક-ભોજનદ્વેષ. કંડુ-ખણજ, દઉંદર-જલોદર, સત્યકોસ-શસ્ત્રની પેટી, શિલિકા-છરી આદિ શસ્ત્રને તીક્ષ્ણ કરનારી, ગુટિકાદ્રવ્યસંયોગથી નિષ્પાદિત ગોળી, ઉદ્ઘલન-દેહ ઉપલેપન વિશેષ, દેહને હાથ વડે મસળીને મેલને દૂર કરનાર ઉદ્વર્તન-તે જ, વિશેષથી લોકરૂઢિથી જાણવું. સ્નેહપાનદ્રવ્ય વિશેષથી પકાવેલ ધૃતાદિપાન, સ્વેદન-સપ્તધાન્યકાદિ, અવદહન-ડામ દેવો, અપસ્નાન-સ્નિગ્ધતા દૂર કરવા દ્રવ્ય સંસ્કારિત જળ વડે સ્નાન, અનુવાસન-ધર્મ યંત્રના પ્રયોગથી જઠરમાં તેલ વિશેષનો પ્રવેશ કરાવવો. બસ્તિકર્મ-ચર્મ વેષ્ટન પ્રયોગથી માથા વગેરેમાં તેલ આદિ પૂરવા અથવા ગુદામાં વર્તી આદિ નાંખવા. નિરુહ-અનુવાસના જ. શિરોવેધ-નાડી વેધન, લોહી કાઢવું, તક્ષણ-છરી આદિથી ત્વચા પાતળી કરવી, પ્રક્ષણ-થોડી ચામડી કાઢવી - ૪ - તર્પણ-સ્નિગ્ધ દ્રવ્યો ચોપડવા. પુટપાક-પકાવેલ ઔષધ વિશેષ, છલ્લી-રોહિણી આદિ, વલ્લી-ગડુચી આદિ.
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
નિબદ્ધાયુ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ બંધ અપેક્ષાએ. - x - સર્વાં પાણાઇવાયું આના દ્વારા જો કે સર્વ ગ્રહણ છે, તો પણ તિર્યંચોને દેશવિરતિ જ હોય, જો કે તિર્યંચોમાં ચાસ્ત્રિનો નિષેધ છે, તો પણ ઘણાં તિર્યંચોએ મહાવ્રત ગ્રહણ કર્યાનો આગમમાં ઉલ્લેખ છે. પણ મહાવ્રતોના સદ્ભાવ છતાં, તેઓને ચાસ્ત્રિ પરિણામનો સંભવ નથી. જેમ ઘણાં ગુણો હોવા છતાં કેવળજ્ઞાન થવાના પરિણામ ન હોય. ઉપનય-ગુણસંપન્ન હોવા છતાં, સુસાધુ સંસર્ગવર્જિત પ્રાયઃ, દરજીવ મણિકારની પેઠે ગુણની હાનિ પામે છે અને તીર્થંકર વંદનાર્થે ભાવથી જનાર પણ દરદેવની
માફક સ્વર્ગને પામે છે.
૧૯૮
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ