SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/-/૮/૧૪૦ ૧૬૯ પ્રમાણ સૌધર્મ વિમાનના કિલ્લાદિ કરતા અડધું છે. સૌધર્મ વિમાનોના પ્રાકાર ૩૦૦ યોજન ઉંચા છે, તેથી અહીં ૧૫૦ યોજન. સૌધર્મ દેવોનો મૂલ પ્રાસાદ ૫૦૦ યોજન અને તેના પરિવારરૂપ બીજા ચાર પ્રાસાદો ૨૫૦ યોજન ઉંચા છે, તે ચાર પ્રાસાદની પ્રત્યેકની આસપાસ બીજા ચાર-ચાર પ્રાસાદો છે, તેની ઉંચાઈ ૧૨૫ યોજન છે. તે ચારે પ્રાસાદોની આસપાસ બીજા ચાર-ચાર પ્રાસાદો છે, તે ૬૨ા યોજન, એ પ્રમાણે બીજા ચાર પ્રાસાદો ૩૧| યોજન. તેથી અહીં તે બધાંનું અડધું કહેવું. ચારે પરિપાટીમાં બધાં મળીને ૩૪૧ પ્રાસાદો છે. તેનાથી ઈશાનમાં સુધર્માભા, સિદ્ધાયતન, ઉપપાત સભા, દ્રહ, અભિષેક સભા અને વ્યવસાય સભા છે. તે બધાંનું પ્રમાણ સૌધર્મદેવોની સભા કરતા અડધું જાણવું. તેથી તેની ઉંચાઈ ૩૬ યોજન, લંબાઈ-૫૦ યોજન, વિછંભ-૨૫ યોજન છે. વિજય દેવની સભા - ૪ - માફક - x - વર્ણન કરવું જીવાભિગમ સૂત્રમાં વિજયદેવની સભામાં જે કહ્યું તે બધું અહીં ચમર સભામાં કહેવું - ૪ - ૪ - ૪ - વાંચનાંતરે આ બધું અર્થથી કહ્યું છે. અભિષેક સા · સામાનિક દેવાદિકૃત્ અભિષેક, મલ્લંજાર મા - વસ્ત્ર અલંકારથી કરેલ શણગાર, વ્યવસાય સમા - પુસ્તક વાંચનથી વ્યવસાય કરવો, સિદ્ધાયતનમાં-જિનપ્રતિમાપૂજન વગેરે. શતક-૨, ઉદ્દેશો-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ શતક-૨, ઉદ્દેશો-૯-સમયક્ષેત્ર સ — * - * — x — * - ૦ ચમરચંયા રૂપ ક્ષેત્ર કહ્યું, અહીં સમય ક્ષેત્ર કહે છે – - સૂત્ર-૧૪૧ - ભગવન્ ! આ સમયક્ષેત્ર શું કહેવાય છે ? ગૌતમ ! અઢી દ્વીપ અને બે સમુદ્ર એટલું એ સમયક્ષેત્ર કહેવાય. તેમાં આ જંબુદ્વીપ છે તે બધાં દ્વીયસમુદ્રોની વરસોવરસ છે. એ પ્રમાણે બધું જીવાભિગમ સૂત્ર મુજબ કહેવું યાવત્ અત્યંતરપુષ્કરાર્ધદ્વીપ, પણ તેમાં જ્યોતિકની હકીકત ન કહેવી. • વિવેચન-૧૪૧ : સમય એટલે કાળ, તેનાથી ઉપલક્ષિત ક્ષેત્ર તે સમયક્ષેત્ર. સૂર્યગતિથી ઓળખાતો દિવસ, માસાદિ રૂપ કાળ, મનુષ્ય ક્ષેત્રમાં જ છે, આગળ નથી. કેમકે આગળ સૂર્યો ગતિવાળા નથી. એ રીતે જીવાભિગમ વક્તવ્યતા કહેવી. તે આ રીતે - ૧૦૦૦ યોજનનો આયામ-વિખંભ છે, ઇત્યાદિ. ત્યાં જંબુદ્રીપાદિ મનુષ્ય ક્ષેત્ર વક્તવ્યતા કહી છે. જ્યોતિષ્ક વક્તવ્યતા પણ ત્યાં છે, તે અહીં ન કહેવી. વાચનાંતરમાં ગોમ ધ્રુવિાં પાઠ છે. તેમાં - ભગવન્ ! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે ? કેટલા સૂર્યો તપે છે ? કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ઇત્યાદિ પ્રત્યેક જ્યોતિષ્ક સૂત્રો છે. ભગવન્ ! આ જંબુદ્વીપ દ્વીપ એમ કેમ કહ્યું ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે, લવણસમુદ્રની દક્ષિણે યાવત્ ત્યાં ઘણાં જંબૂવૃક્ષો જંબૂવર્ણના ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યાવત્ રહેલા છે, તેથી હે ગૌતમ ! આ જંબુદ્વીપ છે તેમ કહ્યું. આદિ પ્રત્યેક અર્થસૂત્રો છે એ સિવાયની જીવાભિગમની વક્તવ્યતા કહેવી. યાવત્ - આ સંગ્રહ ગાથા - અરાંત સમય વાર ત્યાં આ સંબંધથી તેનો અર્થ પ્રસંગ પ્રાપ્ત છે. જંબુદ્વીપાદિથી માનુષોત્તર સુધીના વર્ણનને અંતે કહ્યું છે - જ્યાં સુધી માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી મનુષ્ય લોક છે. જ્યાં સુધી અરહંત, ચક્રવર્તી યાવત્ શ્રાવિકાદિ છે, ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી સમય, આવલિકાદિ છે યાવત્ ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી સ્થૂળ અગ્નિકાય છે, સ્થૂળ વિજળી, મેઘના સ્થૂળ ગડગડાટાદિ છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી આગર, નિધિ, નદી છે ત્યાં સુધી આ લોક છે. ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ થાય છે, ત્યાં સુધી આલોક છે ઇત્યાદિ. શતક-૨, ઉદ્દેશો-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧૭૦ શતક-૨, ઉદ્દેશો-૧૦ ‘અસ્તિકાય' Ð — * - — * - * — — ૦ અનંતર ક્ષેત્ર કહ્યું, તે અસ્તિકાયના દેશરૂપ હોવાથી – • સૂત્ર-૧૪૨,૧૪૩ 3′′ [૧૪૨] ભગવન્ ! અસ્તિકાસો કેટલા કહ્યા ? ગૌતમ ! પાંચ તે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય • ભગવન્ ! ધસ્તિકાયના કેટલા-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. ગૌતમ ! તેમાં વર્ણ-ગંધ-સ-સ્પર્શ નથી, તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોક દ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ પ્રકારે છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી. દ્રવ્યથી-ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, ક્ષેત્રથી તે લોક પ્રમાણ માત્ર છે, કાળથી તે કદી ન હતું એમ નથી . નથી એમ નથી - ગાવત્ - તે નિત્ય છે. ભાવથી તે વર્ણ-ગંધ-રસરૂપ રહિત છે, ગુણથી તે ગતિગુણવાળો છે. અધર્માસ્તિકાય પણ એમજ છે. વિશેષ એ કે તે સ્થિતિ ગુણવાળો છે. આકાશાસ્તિકાય એમ જ છે. વિશેષ આ - આકાશાસ્તિકાય ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ, અનંત યાવત્ અવગાહના ગુણવાળો છે. ભગતના જીવાસ્તિકાયને કેટલા – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. ગૌતમ! તે વર્ણરહિત યાવત્ અરૂપી છે, જીવ છે, શાશ્વત અવસ્થિત લોદ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ ભેદે છે દ્રવ્યથી યાવત્ ગુણથી. દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી લોક પ્રમાણ માત્ર છે. કાળથી કદી ન હતો તેમ નહીં યાવત્ નિત્ય છે. ભાવી વર્ણ-ગંધ-રસ-સ્પર્શરહિત છે. ગુણથી ઉપયોગ ગુણવાળો છે. ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શે છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, ભૈ ગંધ, આઠ સ્પર્શવાળો, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોકદ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ ભેદે છે - દ્રવ્ય સાવદ્ ગુણથી. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્ય છે, ક્ષેત્રથી લોક પ્રમાણ માત્ર છે, કાળથી કદી ન - -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy