SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-I૮/૮૬ ૧૧૫ બાલપંડિત એટલે શ્રાવક. દેશવિરત હોય છે. દેશ-સ્થૂળ પ્રાણાતિપાતાદિનું પચ્ચખાણ કરે - ન કરવાની પ્રતિજ્ઞા કરે. આયુને બાંધવામાં કિયા કારણ છે, માટે કિયા સૂત્રો કહે છે – • સૂગ-૮૭ થી ૯૧ - [૮] ભગવાન ! મૃગવૃત્તિક, મૃગોનો શિકારી, મૃગોના શિકારમાં તલ્લીન એવો કોઈ પણ હરણને મારવા માટે કચ્છમાં, દ્રહમાં, ઉદકમાં, ઘાસાદિના સમૂહમાં, વલયમાં, અંધકારયુકત પ્રદેશમાં, ગહનમાં, ગહન-વિદુગમાં, પર્વતમાં, પર્વત વિદુગમાં, વનમાં, વનવિદુગમાં, ‘એ મૃગ છે” એમ કરી કોઈ એક મૃગના વધ માટે ખાડા અને જાળ એ, તો ભગવન ! તે પર કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ યાવતુ તે પુરણ ગણ-ચાર કે કદાચ પાંચ કિયાવાળો થાય. - ભગવાન ! એમ કેમ કહો છો ? - ગૌતમ! જ્યાં સુધી તે જાળને ધારણ કરે, પણ મૃગોને બાંધે કે મારે નહીં ત્યાં સુધી તે પણ કાયિકી, અધિકરણિકી, પ્રાપ્લેષિકી એ ત્રણ ક્રિયાથી સ્કૃષ્ટ છે. જે જાળને ધારણ કરી, મૃગોને બાંધે છે પણ મારતો નથી, ત્યાં સુધી તે પણ કાચિકી, અધિકરણિકી, પાàપિકી, પારિતાપનિકી ચાર ક્રિયાને સ્પર્શે. જે પુરુષ જાળને ધારણ કરે, મૃગોને બાંધે અને માટે તે પુરુષ કામિકી આદિ પાંચે ક્રિયાને સ્પર્શે છે માટે. ૮૮] ભગવત્ ! કચ્છમાં ચાવતુ વનવિદુર્ગમાં કોઈ પુરુષ તૃણને ભેગું કરીને તેમાં આગ મૂકે તો તે પણ કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો થાય. એમ કેમ કહ્યું? ગૌતમ ! તરણાં ભેગા કરે ત્યાં સુધી ત્રણ ક્રિયા, ભેગા કરીને અગ્નિ મૂકે પણ બાળે નહીં ત્યાં સુધી ચાર, તૃણ ભેગું કરી - અનિ મૂકી - બાળે ત્યારે તે પુરુષને યાવતુ પાંચે ક્રિયાઓ સ્પર્શે છે...... [] ભગવત્ ! મૃગવૃત્તિક, મૃગસંકલ્પ, મૃગણિધાન, મૃગવધને માટે કચ્છમાં વાવ4 વનવિદુમિાં જઈ ‘એ મૃગ છે” એમ વિચારી કોઈ હરણને મારવા ભાણ ફેંકે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય? ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિસાવાળો. એમ કેમ કહ્યું? ગૌતમ ! જ્યાં સુધી તે ભાણ ફેંકે પણ મૃગને વિંધતો કે મારતો નથી ત્યાં સુધી ત્રણ, બાણ ફેંકે અને વિંધે પણ મારે નહીં ત્યાં સુધી ચાર, બાણ -વિધે-મારે એટલે પાંચ ક્રિયાઓ લાગે... | [] ભગવન્! કચ્છમાં ચાવતું કોઈ એક મૃગના વધને માટે પૂર્વોક્ત કોઈ પુરુષ, કાન સુધી લાંબા કરેલા બાણને પ્રયતન પૂર્વક ખેંચીને ઉભો રહે,. બીજો પુરુષ પાછળથી આવીને પોતાના હાથે તલવાર વડે તે પુરુષનું માથું કાપી નાંખે, પણ તે બાણ પૂર્વના ખેંચાણ થકી ઉછળીને તે મૃગને વિંધે, તો તે ભગવત્ ! તે પણ મૃગના વૈરથી પૃષ્ટ છે કે પુરુષના વૈlી ? ગૌતમ જે મૃગને મારે છે, તે મૃગના વૈરથી પૃષ્ટ છે, જે પુરુષને મારે છે, તે પુરુષના વૈચ્છી પૃષ્ટ ૧૧૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! તે નિશ્ચિત છે - કરાતું કરાયું, સંધાતુ સંધાયુ, વળાતુ વળાયુ, ફેંકાતું ફેંકાયુ કહેવાય ? હાભગવન ! તેમ કહેવાય. માટે હે ગૌતમ જે મૃગને મારે તે મૃગના વૈરથી ધૃષ્ટ છે, જે પુરુષને મારે તે પુરષના વૈરથી પૃષ્ટ છે. મરનાર જે છ માસમાં કરે તો મારનાર કાયિકી આદિ પાંચે ક્રિયાઓમાંથી ઋષ્ટ કહેવાય. જે છ માસ પછી મરે તો મારનાર કાલિકી ચાવતું પારિતાપનિકી એ ચાર ક્રિયાથી ઋષ્ટ કહેવાય. [] ભગવન ! કોઈ પુરુષ બીજા પુરુષને બરછીથી મારે, અથવા પોતાના હાથે તલવાર વડે તે પુરુષનું માથું કાપી નાખે, તો તે પણ કેટલી ક્રિચાવાળો થાય ? ગૌતમ ! જ્યાં સુધીમાં તે પુરુષ બીજ પુરુષને બરછી મારે કે તલવારથી છે ત્યાં સુધીમાં તે પરષ કાણિકી વાવત પ્રાણાતિપાત એ પાંચ ક્રિયાને સાર્શે. આસMવધક તથા અનવકાંક્ષ પ્રત્યસિક પુરુષવૈરથી પૃષ્ટ થાય છે. • વિવેચન-૮૦ થી ૯૧ : છ - નદીના જળથી ઘેરાયેલ વૃક્ષાદિવાળો પ્રદેશ, કહ, જળાશય, વિય - વૃણાદિ દ્રવ્ય સમુદાય, વનય - ગોળાકાર, નદિ આદિના પાણીનો કુટિલગતિવાળો પ્રદેશ, ગૂમ - અંધારાવાળો પ્રદેશ. Tદન - વૃક્ષ, વેલડી, લતા, વિશાળ વેલ સમુદાય. Tહનવદુર્ગ - પર્વતના એક ભાગમાં રહેલ વૃક્ષ-વેલડી સમૂહ, પર્વત સમુદાય, એક જાતિય વૃક્ષ સમૂહ તે વન વિવિધ વૃક્ષસમૂહ. તે વનવિદુર્ગ. હરણ વડે જેની આજીવિકા છે કે, તે મૃગરક્ષક પણ હોય તેથી કહે છે - હરણના હણવા કે છેદવાના સંકલાવાળો. તે ચલિત ચિત પણ હોય, તેથી કહે છે - મૃગના વધમાં એકાગ્ર ચિત, મૃગને મારવા કચ્છ આદિમાં જઈને. મૃગને પકડવાના ખાડા, તેને બાંધવાની જાળ, તેને મૃગને મારવા બનાવે છે. તે કૂટપાશથી કેટલી ક્રિયાવાળો થાય ? ક્રિયા - કાયિકી આદિ, જે કરનાર છે. જેટલા કાળ સુધી. શેનો કત ? કૂટ પાશને ધારણ કરવાની ક્રિયાનો. તેટલો કાળ - wifથકી - ગમનાદિ કાયયેષ્ટારૂપ, ધરાસ - કૂટપાશ રૂપ અધિકરણથી થયેલી. પ્રાષિક્ષ - મૃગ સંબંધી દુષ્ટ ભાવથી થયેલ, તેના વડે કરાય તે સિયા - ચેટા વિશેષ. પરિતાપન* - જેનો હેતુ પરિતાપ છે તે. મૃગને બાંધ્યા પછી આ ક્રિયા લાગે. પ્રાતિપાત - ઘાત. કાન સુધી ઉંચુ કરીને પ્રયત્નપૂર્વક બાણને ખેંચીને ફેંકે છે, પાછળથી પોતાના હાથ વડે, પૂર્વના ખેંચાણથી, તે માથું કાપનાર પુષ, વૈતું કારણ હોવાથી વધુ પણ વૈર કહેવાય અથવા પાપ પણ પૈર કહેવાય. [શંકા] બાણ છુટવામાં નિમિત્ત માથું કાપનાર છે, તો ધનુર્ધર મૃગવધથી કેમ સ્પષ્ટ થાય ? [ઉત્તર] “ક્રિયમાણ ધનુષ્ય અને કાંડ વગેરે કૃત છે” એમ વ્યવહાર છે ? યુક્તિ પૂર્વવત્ લેવી. | દોરી પર ચડાવાતું ધનુષ કે કાંડ સાંધેલું જાણવું. દોરી ખેંચવાથી ગોળાકાર કરાતું તે ગોળાકાર થયેલ જાણવું, ફેંકાતું ફેંકેલુ જાણવું. ફેંકવાની તૈયારી ધનુધર
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy