SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-૪/૪૮ • સૂત્ર-૪૮ - ભગવાન ! કૃત મોહનીયકર્મ ઉદયમાં આવેલ હોય ત્યારે જીવ ઉપસ્થાપના કરે ? ગૌતમ! હા, કરે ભગવન્!તે ઉપસ્થાપન વીર્યતાથી થાય કે આવીયતાથી ? ગૌતમ વીર્યતાથી ઉપસ્થાપન થાય, અનીયતાથી નહીં. જે વીર્યતાથી થાય તો તે ઉપસ્થાપન માલવીયતાથી થાય, પંડિતનીયતાથી થાય કે બાલપંડિત વીયતાથી ? ગૌતમ! તે બાલવીયતાથી થાય, પંડિત કે બાલપંડિત વીર્યતાથી ન થાય ભગવતુ તુ મોહનીસકર્મી ઉદયમાં આવે ત્યારે જીવ અપક્રમણ કરે? હા, કરે ભગવન્! યાવતુ તે બાલપંડિતવીર્યથી કરે ? ગૌતમ ! બાલવીયતાથી અપક્રમણ કરે કદાચ ભાવપંડિત વીયતાથી કરે પણ પંડિતવીરતાથી ન રે. •• જે રીતે ‘ઉદી'ના બે આલાવા કહ્યા, તેમ ‘ઉપશાંત’ સાથે પણ બે આલાવા કહેવા. વિશેષ એ કે- ત્યાં પંડિત વીતાથી ઉપસ્થાપન અને ભાલપંડિતવીરતાથી આપક્રમણ થાય. ભગવન તે અપક્રમણ આમાથી થાય કે અનાત્માથી ? ગીતમ / અપક્રમણ આત્માથી થાય, અનાત્માણી નહીં. ભગવના મોહolીય કમને વેદતો તે એ એ પ્રમાણે કેમ હોય ? ગૌતમ ! પહેલા તેને એ પ્રમાણે ચતું હતું. હવે તેને એ એમ ચતું નથી માટે એ એમ છે. • વિવેચન-૪૮ - મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં ઉપસ્થાન-પરલોકની ક્રિયાનો સ્વીકાર કરે ? વીર્યના યોગથી વીર્ય એટલે પ્રાણી, તેનો ભાવ તે વીર્યતા. વીર્યનો ભાવ તે વીર્યતા. તેના વડે, વીર્યના અભાવ વડે. કેમકે ઉપસ્થાનમાં વીર્યની જરૂર પડે. જેને સખ્યણું અર્થનો બોધ ન હોય અને સદબોધકારક વિરતિ ન હોય તે જીવ ‘બાલ’ કહેવાય. મિથ્યાદેટ જીવ તે બાલ. તેની વીર્યતા-પરિણતિ વડે. પfuત - સર્વ પાપનો ત્યાગી, તેનાથી અન્ય જ્ઞાનહીન હોવાથી અપંડિત છે. કહ્યું છે કે - તે જ્ઞાન જ નથી, જેના ઉદયમાં સગાદિની પરિણતિ આત્મામાં દેખાય. જે સર્વવિરત છે તે પંડિત છે. વાનપતિ • દેશથી વિરતિનો અભાવ બાલ અને દેશથી વિરતિનો અભાવ, બાલપંડિત એટલે દેશવિરત. અહીં મિથ્યાત્વના ઉદયમાં મિથ્યાર્દષ્ટિવથી જીવનું બાલવીર્યથી જ ઉપસ્થાન છે, બીજા બે વડે નહીં. -- એ જ વાતને કહે છે. ઉપસ્થાનનું વિપક્ષ અપક્રમણ છે, તેને આશ્રીને કહે છે - જીવ ઉત્તમ ગુણ સ્થાનેથી હીનતર ગુણસ્થાનને પામે. વાનવીર્યતા - મિથ્યાત્વ મોહના ઉદયે સમ્યકત્વથી, સંયમથી, દેશસંયમથી પાછો વળી મિથ્યાર્દષ્ટિ થાય. પંડિતતાથી પ્રધાનતર ગુણ સ્થાનકે હોવાથી પંડિતવીર્ય વડે પાછો વળે નહીં. કદાચિત ચાસ્ત્રિ મોહનીયનો ઉદય હોય તો સંયમથી પતિત થઈને બાલપંડિતવીર્યથી દેશવિરત થાય. વાચનાંતરમાં તો બાલપંડિત વીર્ય વડે પણ અપક્રમણ ન પામે તેમ કહેલું છે. ઉદીર્ણનો વિપક્ષ ઉપશાંત છે. હવે ઉપશાંત સંબંધે બે સૂત્ર કહે છે – અર્થ પૂર્વવત, વિશેષ એ - પ્રથમ આલાપકમાં જ્યારે મોહનીય કર્મ તદ્દન ઉપશાંત થાય છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્યારે પંડિતવીર્યથી ક્રિયામાં ઉપસ્થાન કરે કેમકે ઉપશાંત મોહાવસ્થામાં પંડિત વીર્ય જ હોય. બીજા બે ન હોય. વૃદ્ધોએ કોઈ વ્યાખ્યાનને આશ્રીને આમ કહ્યું છે - મોહનીય ઉપશાંત થતા મિથ્યાદેષ્ટિ ન થાય, પણ સાધુ કે શ્રાવક થાય. બીજી આલાપકમાં • મોહનીય ઉપશાંત થતા બાલપંડિતવીર્ય વડે સંગતતાથી પાછો ખસી દેશ સંમત થાય છે. કેમકે તેનો મોહોપશમ અમુક ભાણે છે. પણ મિથ્યાદેષ્ટિ ન થાય, કેમકે મોહના ઉદયે જ મિથ્યાર્દષ્ટિવ છે અને અહીં મોહોપશમ સંબંધી અધિકાર છે. ‘અપકમે છે' એમ જે કહ્યું, તે સંબંધે સામાન્યથી પ્રશ્ન કરે છે - એ જીવ આત્મા વડે છે કે અનાત્મા વડે અર્થાત પર વડે અપક્રમે અર્થાતુ પહેલા પંડિતત્વરચિ થઈને પછી મિશ્રરુચિ કે મિથ્યાચિ થાય તે આત્માથી કે પરથી ? તે કયો જીવ ? મિથ્યાત્વ કે ચારિત્ર મોહનીયને વેદનો અર્થાત્ મોહનો ઉદયવર્તી. મોહનીયને વેદતા જીવનું અપકમણ કયા પ્રકારે થાય ? અપક્રમણ પૂર્વે આ અપકમણકારી જીવ જિનોના કહ્યા પ્રમાણે જીવાદિ કે અહિંસાદિ વસ્તુ પ્રત્યે રુચિ-શ્રદ્ધા રાખે છે - કરે છે. મોહનીય ઉદયકાળ એ જ જીવ જીવાદિ કે અહિંસાદિમાં રચિ-શ્રદ્ધા રાખતો નથી, તેમ કરતો નથી. એ કારણે મોહનીયના વેદનમાં અપક્રમણ થાય. મોહનીય કમધિકારથી હવે સામાન્ય કર્મને વિચારે છે – • સૂત્ર-૪૯ : ભગવાન ! નસ્ક, તિચિ, મનુષ્ય કે દેવે જે પાપકર્મ કર્યું છે, તેને વેધ વિના શું મોક્ષ નથી ? હા, ગૌતમ! કરેલ પાપકર્મ વેધા વિના નૈરયિકાદિનો મોક્ષ નથી. ભગવન્! એવું કેમ કહો છો કે - યાવત મોક્ષ નથી ? ગૌતમ! નિશ્ચિતપણે મેં કર્મના બે પ્રકાર કહ્યા છે પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. તેમાં જે પ્રદેશ કમ છે, તે નિયમા વેદવું પડે, જે અનુભાગકમ છે તેમાં કેટલુંક વેદાય છે, કેટલુંક નથી વેદાતુ. અરહંત દ્વારા એ જ્ઞાન છે, મૃત છે, વિાત છે કે આ જીવ આ કર્મને અપગમિક વેદના વડે વેદશે. આ જીવ આ કમને ઔપક્રમિક વેદનાથી વેદશે. તે કમને અનુસરે નિકરણોને અનુસરે જે-જે રીતે ભગવંત જોયેલ છે, તે - તે રીતે તે વિપરિણમશે. માટે હે ગૌતમ ! એમ કહ્યું કે . યાવત્ કૃતકર્મ વેધા વિના નૈરયિકાદિને મોક્ષ નથી. • વિવેચન-૪૯ : નૈરયિક આદિનો મોક્ષ નથી. તેઓએ જે અશુભ-નરકાગતિ આદિ પાપકર્મ બાંધ્યું છે, તે સર્વે મોઢા વ્યાઘાત હેતવણી પાપ છે, તે પાપકર્મને ભોગવ્યા વિના મોક્ષ નથી ?] હવે કહેવાશે એ પ્રકારે. મેં કહ્યું છે. આ સૂત્ર વડે પોતાના સર્વાપણાથી વસ્તુ પ્રતિપાદનમાં પોતાની સ્વતંત્રતા દર્શાવી છે. જીવના પ્રદેશોમાં જે કપુદ્ગલો તદ્રુપ છે, તે પ્રદેશકમ. અનુભાગ એટલે તે જ કર્મપ્રદેશોનો અનુભવાતો સ, તદ્રુપ જે કર્મ તે અનુભાગ કર્મ. તેમાં પ્રદેશ કર્મ નિયમા વેદાય છે. તેનો વિપાક અનુભવાતો નથી, તો પણ કર્મપ્રદેશનો ક્ષય અવશ્ય થાય છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy