SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-/૮/૬૮૩,૬૮૪ અથવા એકેન્દ્રિય પ્રદેશો, અનિન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો, એ પહેલો ભંગ ન કહેવો. કેમકે બેઈન્દ્રિય પ્રદેશનો અસંભવ છે. - ૪ - x - અજીવો. દશમશતકમાં કહેલ તમા દિશા મુજબ કહેવા. - ૪ - ૪ - ર્યા તમા દિશા આશ્રીત કચન અહીં ઉપતિન ચરમાંતને આશ્રીને કહેવું. તે આ રીતે - જે અજીવો છે તે બે ભેદે છે - રૂપી અજીવ, અરૂપી અજીવ. રૂપી અજીવ ચાર ભેદે - સ્કંધાદિ. અરૂપી અજીવ છ ભેદે - નોધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશો, એ રીતે અધર્મ, આકાશના છે. ભગવન્ ! લોકના અધઃસ્તન આદિ. પૂર્વ ચરમાંતવત્ ભંગો કહેવા. - ૪ - તેમાં મધ્યમ ભંગ વર્ણવો. - x - x - દેશભંગકો કહ્યા. હવે પ્રદેશભંગકને બતાવવા માટે કહે છે પ્રદેશ વિચારણામાં પહેલા ભંગરહિત પ્રદેશો કહેવા. પહેલા ભંગમાં એક વયનાંત પ્રદેશ શબ્દ લીધો છે, તે પ્રદેશોના અધઃચરમાંતે પણ બહુપણાથી સંભવતો નથી. પણ આ સંભવે છે - અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો - ૪ - ૪ - ૪ - ઉપતિન, દશમ શતકની વિમલા દિશા માફક કહેવા. અર્થાત્ દશમાં શતકમાં જેમ વિમલા દિશા કહી, તેમ રત્નપ્રભાનો ઉપરિતન ચરમાંત સંપૂર્ણ કહેવો. - ૪ - x - ૪ - રત્નપ્રભામાં બેઈન્દ્રિયને આશ્રીને, તે એકેન્દ્રિય અપેક્ષાએ ઘણાં થોડા છે, તેથી ઉપરિતન ચરમાંતે તેમાં કદાચિત્ દેશ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિયાદિથી અનિન્દ્રિયાંતમાં, એ રીતે - જે જીવ પ્રદેશો તે નિયમા એકેન્દ્રિય પ્રદેશો છે અથવા એકેન્દ્રિય પ્રદેશો પણ છે, બેઈન્દ્રિય પ્રદેશો છે (૧) અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો (૨). એ પ્રમાણે તેઈન્દ્રિયાદિથી અનિન્દ્રિયાંતમાં છે. ૧૪૩ - X + X + X + X - જેમ લોકનો અધઃચરમાંત કહ્યો, એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનો પણ આ છે, તે અનંતરોક્ત જ. વિશેષમાં આ પ્રમાણે - લોકના અધાન ચરમાંતમાં બેઈન્દ્રિયાદિના દેશ ભંગક ત્રણ, મધ્યમ ભંગરહિત કહ્યા, અહીં રત્નપ્રભાના અધઃસ્તાન ચરમાંતમાં પંચેન્દ્રિયોના પરિપૂર્ણ જ તે કહેવા. બાકીના બેઈન્દ્રિયાદિના મધ્યમ ભંગરહિત જ કહેવા. - ૪ - ૪ - બેઈન્દ્રિયોના રત્નપ્રભાના અધતન ચરમાંતમાં મારણાંતિક સમુદ્ઘાતથી જતા હોવાથી તેમાં ‘દેશ' જ સંભવે છે, ‘દેશો' નહીં. તેના એક પ્રતર રૂપત્વથી એક દેશ હેતુપણાથી તેઓને તેમાં મધ્યમ ભંગરહિત છે. - x - દત્તરિ ઘરમાંત - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર રૂપ છે. - ૪ - શર્કરપ્રભાના ઉપરિતન, અધસ્તન ચરમાંતો, રત્નપ્રભાના ઉપતિન-અધસ્તન ચરમાંતવત્ કહેવા. બેઈન્દ્રિયાદિમાં પૂર્વોક્ત યુક્ત મધ્યમ ભંગરહિત, પંચેન્દ્રિયમાં પરિપૂર્ણ ત્રણે દેશભંગક. પ્રદેશ વિચારણામાં બેઈન્દ્રિયાદિમાં બધે આધ ભંગરહિત બે ભંગો કહેવા. અજીવની વિચારણામાં ચારરૂપી, છ અરૂપી કહેવા. હવે શર્કરપ્રભાના અતિદેશથી બાકીની પૃથ્વીના સૌધર્માદિ દેવલોક અને ત્રૈવેયક વિમાનની, વક્તવ્યતા સૂત્રકારે કહી છે. ત્રૈવેયક વિમાનમાં જે વિશેષ છે, તે બતાવે છે - નવરું ઈત્યાદિ. અચ્યુતાંત દેવલોકોમાં દેવ પંચેન્દ્રિયોના ગમનાગમન સદ્ભાવથી ઉપસ્તિન-અધસ્તન ચરમાંતમાં પંચેન્દ્રિયમાં દેશને આશ્રીને ત્રણ ભંગ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સંભવે. ત્રૈવેયકમાં તેમ ન હોવાથી, બેઈન્દ્રિયાદિ માફક પંચેન્દ્રિયમાં પણ મધ્યમ ભંગરહિત, તેના શેષ ભંગરહિત બે ભંગ સંભવે છે. ૧૪૪ ચરમ અધિકારથી આ કહે છે – પરમાણુનું ગમન સામર્થ્ય તથા સ્વભાવત્વથી છે, એમ માનવું. - - - અનંતર પરમાણુની ક્રિયા વિશેષ કહી, તેથી હવે ક્રિયાધિકાર – • સૂત્ર-૬૮૫ ઃ ભગવન્ ! વર્ષા વરસો છે કે નથી વરસતી એ જાણવા કોઈ પુરુષ હાથ, પગ, બાહુ કે ઉરુને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! - ૪ - તે પુરુષને કાયિકી યાવત્ પાંચે ક્રિયા સ્પર્શે. * વિવેરાન-૬૮૫ ઃ વાસં વાસરૂં - મેઘ વર્ષે છે કે નહીં, તે જાણવાને. અચક્ષુથી આકાશમાં વર્ષાન જાણવા હાય આદિના પ્રસારણથી જ જણાશે, તેમ માની હાથ આદિને સંકોચે કે પ્રસારે. - - સંકોચના પ્રસ્તાવથી કહે છે – • સૂત્ર-૬૬ ઃ ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસૌખ્ય દેવ લોકાંત રહીને અલોકમાં હાથ યાવત્ ઉરુને સંકોચવા કે પસારવાને સમર્થ છે ? ના, તે અર્થ સમર્થ નથી. - ભગવન્ ! એમ કેમ કહો છો - x - યાવત્ સમર્થ નથી ? જીવોને આહારૌપચિતશરીરોપચિત-કલેવરોપચિત પુદ્ગલો હોય છે. પુદ્ગલોને આશ્રીને જીવો કે અજીવોની ગતિપર્યાય કહેલ છે. અલોકે જીવ નથી કે પુદ્ગલ નથી, તેથી એમ કહ્યું. ભગવન્ ! તે એમ જ છે (ર). • વિવેચન-૬૮૬ ઃ નીવાનાં - જીવાનુગત, આછોપશ્ર્વિત - આહારરૂપે ઉપચિત યાવિત્તિયા - અવ્યક્ત અવયવ શરીરરૂપપણે ચિત, દેવરત્રિયા શરીર રૂપપણે ચિત, ઉપલક્ષણથી ઉચ્છ્વાસપણે ચિત પુદ્ગલો પણ જાણવા. આના વડે આમ કહે છે જીવોને અનુગામી સ્વભાવવાળા પુદ્ગલો હોય છે. તેથી જે ક્ષેત્રમાં જીવ હોય, તે ક્ષેત્રમાં પુદ્ગલોની ગતિ હોય તથા પુદ્ગલોને આશ્રીને જીવો અને પુદ્ગલોનો ગતિધર્મ કહ્યો છે. અર્થાત્ જ્યાં પુદ્ગલ હોય. જ્યાં જ જીવો અને પુદ્ગલોની ગતિ હોય. અલોકમાં જીવ કે પુદ્ગલ નથી. તેથી ત્યાં જીવ અને પુદ્ગલોની ગતિ નથી. તેના અભાવે દેવ હાય આદિ પ્રસારી ન શકે. - શતક-૧૬, ઉદ્દેશો--“બલીન્દ્ર” — * — * - * — * - * — * - દેવ વક્તવ્યતા કહી. અહીં દેવ વિશેષ બલિ વિશેષને કહે છે - • સૂત્ર-૬૮૭ : ભગવન્! ટૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્માંસભા ક્યાં છે? ગૌતમ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે તિર્થા અસંખ્ય યોજન ગયા પછી જેમ સમરની યાવત્ ૪૨,૦૦૦ યોજન ગયા પછી ત્યાં બલીનો ચકેન્દ્ર નામે ઉત્પાત્ પર્વત
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy