________________
૧૫/-/-/૬૫૫ થી ૬૫૭
રૈવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશુદ્ધિથી યાવત્ દાનથી સીંહ અણગારને પતિલાભિત કરતાં દેવાયુ બાંધ્યું, જેમ વિજ્ય ગાથાપતિ યાવત્ રેવતી ગાથાપત્નીનો જન્મ અને જીવિત સફળ છે (૨),
ત્યારે તે સીંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘેરથી નીકળ્યા. નીકળીને મેઢિક ગ્રામનગરની વચ્ચોવચથી નીકળ્યા, નીકળીને ગૌતમરવામીની માફક યાવત્ ભોજન-પાન દેખાડ્યા. દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરના હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અમૂર્છિત યાવત્ અનાસકત રહીને જેમ બિલમાં સર્પ પ્રવેશે તેમ તે આહારને પોતાના શરીરરૂપી કોઠામાં પ્રક્ષેપ્યો. ત્યારે ભગવંતને તે આહાર કર્યા પછી તે વિપુલ રોગાતંક જલ્દીથી ઉપશાંત થઈ ગયો. તેઓ હર્ષિત યાવત્ રોગરહિત, બલિષ્ઠ શરીરી થઈ ગયા. તેનાથી શ્રમણો સંતુષ્ટ થયા, શ્રમણીઓ સંતુષ્ટ થયા, શ્રાવક-શ્રાવિકાઓ સંતુષ્ટ થયા, દેવ-દેવીઓ સંતુષ્ટ થયા. દેવ-મનુષ્ય અસુર સહિત લોક સંતુષ્ટ, હર્ષિત થયો. કેમકે ભગવંત
હટ થયા.
૧૧૧
[૬૫૬] ભગવન્! એમ સંબોધન કરી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને કહ્યું – હે દેવાનુપિય! આપના શિષ્ય પ્રાચીન જાનપદી સવનુિભૂતિ નામક અણગાર જે પ્રકૃતિ ભદ્રક યાવત્ વિનિત હતા, હે ભગવનાં તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી ભશ્મરાશિ કરાયા પછી ક્યાં ગયા? કયાં ઉત્પન્ન થયા?
હે ગૌતમ! મારા શિષ્ય પ્રાચીન જાનપદી, સર્વાનુભૂતિ નામે અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે ત્યારે ગોશાળા દ્વારા ભમરાશિ કરાયા પછી, ઉંચે ચંદ્ર-સૂર્ય સાવદ્ બ્રહાલોક-લાંતક-મહાશુક્ર કલ્પ ઓળંગીને સહસાર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાંક દેવોની ૧૮ સાગરોપમ સ્થિતિ છે, ત્યાં રાવનુિભૂતિની દેવની પણ ૧૮ સાગરોપમ સ્થિતિ છે. તે સર્વાનુભૂતિ દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય પછી ચાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખોનો અંત કરશે.
એ પ્રમાણે આપ દેવાનુપ્રિયના શિષ્ય કૌશલ જાનપદી સુનક્ષત્ર નામક અણગાર જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા. હે ભગવન્! તે ત્યારે ગૌશાલક મંખલિપુત્રના તપથી પરિતાપિત થઈને કાળમાસે કાળ કરીને કયાં ગયા? ક્યાં
ઉત્પન્ન થયા?
હે ગૌતમ ! મારા શિષ્ય સુનક્ષત્ર અણગાર - x - હતા. તે ગૌશાળાના તપ તેજથી પરિતાપિત થઈને મારી પાસે આવ્યા. આવીને વાંદી, નમીને સ્વયં જ પાંચ મહાવ્રત આરોપી, પછી શ્રમણ-શ્રમણીને ખમાવીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ કાળ માટે કાળ કરી ઉંચે ચંદ્ર-સૂર્ય યાવત્ આનતપાણત આરણ કલ્પને ઓળંગીને અચ્યુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ કહી છે, ત્યાં સુનક્ષત્ર દેવની પણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ બાવીશ સાગરોપમ સ્થિતિ હતી. બાકી સર્વાનુભૂતિ યાવત્ અંત કરશે. [૬૫] એ પ્રમાણે આપ દેવાનુપિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર હતો હે ભગવન્ ! તે ગોશાલક કાળ માટે કાળા કરીને કયાં ગયો ? કાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલ નામક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળમારો કાળ કરી ચંદ્રથી ઉપર યાવત્ અચ્યુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ છે, ગોશાલક દેવની પણ ત્યાં બાવીશ સાગરોપમની સ્થિતિ થઈ.
૧૧૨
ભગવના તે ગોશાલક દેવ તે દેવલોકથી આયુક્ષાદિ પછી ચાવત્ કાં ઉપજશે? ગૌતમ! આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદમૂલમાં પુંડ જનપદમાં શતદ્વાર નગરમાં સંમુતિ રાજાની ભદ્રા નામે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ માસ પતિપૂર્ણ થતાં યાવત્ વીત્યા બાદ યાવત્ સુરુષ બાળકરૂપે જન્મ લેશે. જે રાત્રિએ તે બાળક જન્મશે, તે રાત્રિએ શતદ્વાર નગરમાં અંદર અને બહાર ભાર પ્રમાણ, કુંભ પ્રમાણ પત્ર અને રત્નોની વર્ષા થશે.
ત્યારે તે બાળકના માતા-પિતા ૧૧મો દિવસ વીત્યા પછી યાવત્ બારમાં દિવસે આવા પ્રકારે ગૌણ, ગુણ નિષ્પન્ન નામ કરશે. જ્યારેથી આ બાળકનો જન્મ થયો, શતદ્વાર નગરની અંદર-બહાર સાવત્ રત્નોની વૃષ્ટિ થઈ, તેથી
અમારા આ બાળકનું નામ મહાપા થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ મહાપદ્મ રાખ્યું. ત્યારે તે મહાપડા બાળકના માતાપિતાએ સાતિરેક આઠ વર્ષનો થયેલો જાણીને શોભન તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્તમાં ઘણાં મોટા રાજ્યાભિષેકથી અભિષિક્ત કરશે તે ત્યાં રાજા થશે, તે મહાહિમવંતાદિ રાજા થઈ યાવત્ વિચારશે.
ત્યારે તે મહાપા રાજા અન્ય કોઈ દિવસે મહકિ યાવત્ મહારૌખ્ય બે દેવો સેનાકર્મ કરશે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર
તે જોઈને શતદ્વાર નગરના ઘણાં રાજા, ઈશ્વર, તલવર વત્ મહારૌખ્ય દેવ સેનાકર્મ કરે છે. (તે જોઈને) યાવત્ સાર્થવાહ આદિ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિયો ! જે કારણથી આપણા મહાપદ્મ રાજાને મહર્ષિક એવા બે દેવો યાવત્ સેનાકર્મ કરે છે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપડા રાજાનું બીજું નામ દેવસેન થાઓ.
ત્યારે મહાપદ્મ રાજાનું બીજું નામ “દેવસેન' થશે.
ત્યારે તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે શંખતલ સમાન વિમલ, સાર દાંતવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા તે શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈને શતદ્વાર નગરની વચ્ચોવચી વારંવાર આવશે-જશે ત્યારે શતદ્વાર નગરમાં ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સર્વે એકબીજાને બોલાવીને પરસ્પર કહેશે કે હે દેવાનુપિયો ! જેથી આપણો દેવરોન રાજા શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપિયો ! આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ, ત્યારથી
-