SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧ /૫ રાણી હતાં. ૨૫ • વિવેચન-૫ : - હવે આ કઈ રીતે નિશ્ચિત થઈ શકે કે સુધર્માસ્વામીએ જંબુસ્વામી પ્રતિ આ સંબંધગ્રંથ કહ્યો છે ? સુધર્માસ્વામીની વાચના જ અનુવર્તેલી છે. કહે છે “સુધર્માસ્વામીથી તીર્થ પ્રવર્ત્ય, બાકીના ગણધરો શિષ્યરહિત હતા. વળી જંબૂસ્વામી, સુધર્માસ્વામીના મુખ્ય શિષ્ય હતા. તેથી તેને આશ્રીને વાચના પ્રવર્તેલી છે. તથા છટ્ઠા અંગમાં ઉપોદ્ઘાત આ પ્રમાણે દેખાય છે. - જેમકે - જંબૂ, સુધર્માસ્વામીને કહે છે - હે ભગવન્ જો ભગવતી નામક પાંચમાં અંગનો આ અર્થ ભગવંત મહાવીરે કહ્યો, તો છટ્ઠા અંગનો શો અર્થ છે ? તેથી જંબૂ પ્રત્યે સુધર્માસ્વામીએ જરૂર ઉપોદ્ઘાત કહેલો હોવો જોઈએ. મૂલની ટીકા કરનારે આ ઉપોદ્ઘાત ગ્રંથ વ્યાખ્યાન આખા શાસ્ત્રને ઉદ્દેશીને કરેલ છે, અમે તે માત્ર આ ઉદ્દેશા પરત્વે કર્યુ છે, કેમકે શાસ્ત્રમાં અનેક પ્રકારે ઉપોદ્ઘાત થયેલો છે. અહીં પૂર્વે કહેલ નમસ્કારાદિ ગ્રંથની કોઈ પણ કારણે વૃત્તિકારે વ્યાખ્યા કરી નથી. તે નગર હતું - ૪ - ૪ - કાળ - આ અવસર્પિણીના ચોથા ભાગ રૂપ, તેમાં જ્યાં આ ભગવત્ ધર્મકથા કરતા હતા. સમય-કાળનો વિશિષ્ટ વિભાગ. - ૪ - તે કાળે, તે સમયે કે હેતુભૂત તે કાળે - તે સમયે. રાજગૃહ નગર હતું. - x - [શંકા] હમણાં પણ તે નગર છે, છતાં હતું કેમ કહ્યું ? [સમાધાન] નગરના વર્ણન ગ્રંથમાં યુક્ત વિભૂતિ ત્યારે જ હતી, સુધર્માસ્વામી વાચના દેતા હતા તે કાળે નહીં. કેમકે અવસર્પિણીપણાને લીધે, કાળના અશુભભાવથી સારા પદાર્થોની હાનિ થવાથી, તેમ કહ્યું. વળો - અહીં નગરનું વર્ણન કહેવું. ગ્રંથ ગૌરવભયથી અહીં તે લખેલ નથી. તે આ રીતે - પુરના ભવનાદિ વડે મોટું, સ્વ ચક્રાદિ ભયરહિત હોવાથી સ્થિર, ધન ધાન્યાદિથી સમૃદ્ધ. - x - પ્રમોદ કારણ વસ્તુના સદ્ભાવથી આનંદિત નગરજનો ઇત્યાદિ ઉવવાઈથી જાણવું. તે રાજગૃહનગરની બહાર ઈશાન ખૂણામાં - દિશા ભાગમાં કે ગગનમંડલના દિગ્રુપ ભાગમાં ગુણશિલક ચૈત્ય હતું. લેય્યાદિ વસ્તુના ચયનને ‘ચિતિ' કહે છે, તેનું ચિતિપણું કે ચિતિનું કર્મ તે ચૈત્ય. તે સંજ્ઞા શબ્દ હોવાથી ચૈત્ય એટલે દેવપ્રતિમા કે તેના આશ્રયત્વથી દેવગૃહ. અહીં વ્યંતરાયન અર્થ લેવો પણ અર્હત્ ચૈત્યઆયતન નહીં. અહીં ન કહેવાયેલ શબ્દો પ્રાયઃ સુગમ હોવાથી કહ્યા નથી. - સૂત્ર-૬ : તે કાળે, તે સમયે આદિકર, તિર્થંકર, સહસંબદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહિત, લોકોતમ, લોકનાથ, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર, અભયદાતા, સમુદાતા, માર્ગદાતા, શરણદાતા, ધર્મદેશક, ધર્મસારથી, ધર્મવરચાતુરંત ચક્રવર્તી, અપતિહત વર જ્ઞાનદર્શનધર, છાતારહિત, જિનજ્ઞાપક, બુદ્ધ-બોધક, મુકત-મોચક, સર્વજ્ઞ, સર્વદર્શી, શિવ-અચલ-મરુત-અનંત ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અક્ષય-અવ્યાબાધ-પુનરાવર્તક સિદ્ધિ-ગતિ નામક સ્થાનની પ્રાપ્તિની ઈચ્છાવાળા યાવત્ સમોસરણ, એવા શ્રમણ ભગવંત મહાવીર હતા. • વિવેચન-૬ : ૨૬ શ્રમ અને ખેદ અર્થવાળા ‘ મ્' ધાતુથી જે તપ કરે તે શ્રમણ. અથવા શોભન મનથી વર્તે તે સમન, સ્તવ ના પ્રસ્તાવથી મનનું શોભનપણું કહેવું. અથવા મનોમાત્ર સત્વનું અસ્તવપણાથી, સંગત એટલે જેવું હોય તેવું બોલે, અથવા સર્વ પ્રાણીમાં તુલ્ય પ્રવર્તે તે, શ્રમણ છે. મળવત્ - ઐશ્વર્યાદિયુક્ત, પૂજ્ય.. મહાવીર - શૂર અને વીર ધાતુ ઉપરથી શત્રુનું નિરાકરણ કરવામાં વિક્રાંત. તે તો ચક્રવર્તી આદિ પણ હોય, તેથી વિશેષથી કહે છે - મહાન એવા દુય એવા અંતર્શત્રુના નિરાકરણથી વીર એટલે મહાવીર. આ ગુણનિષ્પન્ન નામ દેવે કરેલું છે કહ્યું છે – ભય, ભૈવમાં અચલ અને પરિષહ, ઉપસર્ગોમાં ક્ષાંતિક્ષમ હોવાથી દેવોએ આ નામ કર્યું – “શ્રમણ ભગવંત મહાવીર.” માવિષ્ઠ - પ્રથમથી આચારાદિ ગ્રંથરૂપ શ્રુત ધર્મના અર્થના પ્રણયનશીલ હોવાથી ‘આદિકર' છે. આદિકર હોવાથી તીર્થંકર - જે વડે સંસાર સમુદ્ર તરાય તે તીર્થ અર્થાત્ પ્રવચન, તેનાથી અભિન્ન હોવાથી ‘સંઘ' તીર્થ કહેવાય. તેને કરનાર હોવાથી તીર્થંકર કહ્યા. તેમનું તીર્થંકરત્વ અન્યના ઉપદેશપૂર્વક નથી, માટે કહે છે – સહસંબુદ્ધ - અન્યના ઉપદેશ વિના આત્માની જ સાથે હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વસ્તુ તત્વને યથાવત્ જાણે તે સહસંબુદ્ધ, તેમનું સહસંબુદ્ધત્વ પુરુષોત્તમત્વથી છે— પુરુષોત્તમ - પુરુષો મધ્યે તે તે રૂપાદિ અતિશયોથી ઉચ્ચ હોવાથી ઉત્તમ હોય તે પુરુષોત્તમ કહેવાય. તેમનું પુરુષોત્તમત્વ સિંહ આદિ ત્રણ ઉપમાઓ વડે સમર્થન કરતા કહે છે સિંહ સમાન પુરુષરૂપ જે સિંહ તે પુરુષસિંહ અર્થાત્ શૌર્યાદિ ગુણો વડે સિંહામાન. શૌર્યને લીધે સિંહની ઉપમા આપી. બાલ્યપણામાં શત્રુ દેવે બીવડાવ્યા છતાં ડર્યા નહીં, દેવના મોટા થતાં જતાં શરીરને વજ્ર સમાન મુષ્ટિ પ્રહારથી કુબ્જ કરી દીધું હતું. વરપુત્તુરી - પ્રધાન ધવલ સહસપત્ર. પુરુષ સમાન વપુંડરીક તે પુરુષવર પુંડરીક, ભગવંતનું વલત્વ સર્વ અશુભ મલરહિત હોવાથી અને સર્વ શુભાનુભાવથી શુદ્ધ હોવાથી અથવા પુરુષ એટલે પોતાના સેવકરૂપ જીવો, તેના સંતાપરૂપ તાપને નિવારવામાં સમર્થ હોવાથી તથા શોભાનું કારણ હોવાથી પુરુષવરપુંડરીક, તથા પુરુષ માફક વરગંધહસ્તી તે પુરુષવર ગંધહસ્તી જેમ ગંધહસ્તીની ગંધ વડે બીજા બધાં હાથી નાશી જાય છે, તેમ ભગવંતના તે દેશોના વિહાર વડે ઈતિ, પરચક્ર, દુર્ભિક્ષ, ડમર, મરકી આદિ દુરિતો નષ્ટ થાય છે, માટે ભગવંત પણ પુરુષવર ગંધહસ્તિ કહેવાય. 1 તે માત્ર પુરુષોત્તમ જ નથી. પરંતુ લોકના નાથ હોવાથી લોકમાં પણ ઉત્તમ છે, માટે કહે છે – સંજ્ઞી ભવ્ય પ્રાણીઓના સ્વામી, યોગ અને ક્ષેમ કરનાર તે નાથ” એ વચનથી લોકનાય. અપ્રાપ્ત જે સમ્યક્ દર્શનાદિ, તેની પ્રાપ્તિ તથા તેના પરિપાલનથી લોકનાથત્વ છે. તે લોકનાથત્વ યથાવસ્થિત વસ્તુ સમૂહને પ્રદીપના કરવાથી જ છે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy