SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ el-/૯/૩૩૧ યુગલોને સ્વીકારીને વિકુવણા કરે ? - યાવત્ અમ રહેલ પુગલને સ્વીકારીને વિકુવા કરતા નથી. • વિવેચન-૩૭૧ - નવૃત્ત • પ્રમત. ફૂદાઇ - અહીં પ્રગ્નકત ગૌતમની અપેક્ષાએ ઇ' શબ્દ કહેવો • મનુષ્ય લોક. તત્થરાઈ - વિક્ર્વને જ્યાં જવાનું છે, તે સ્થળ. અત્રW TU - ઉકત બંને સ્થાન છોડીને અન્ય સ્થાન. વિશેષ આઅહીં રહેલ શણગાર એટલે અહીં રહેલ પુદ્ગલ કહેવા. ત્યાં એટલે દેવલોક. પુદ્ગલ પરિણામ કહ્યા. હવે તે સંગ્રામમાં વિશેષ હોય, માટે સંગ્રામ કથન – • સૂત્ર-૩૩૨ - અહૌ જાણ્યું છે, અહસ્તે પ્રત્યક્ષ કર્યું છે, અહa વિશે જાણ્યું છે કે – મહાશિલાકંટક નામે સંગ્રામ છે – ભગવન્! મહાશિલાકંટક સંગ્રામ ચાલતો હતો, તેમાં કોણ જય પામ્યું? ગૌતમ! વજી, વિદેહ પુત્ર (કોણિક) જય પામ્યો, નવમલ્લકી, નવ લેચ્છકી, કાશી કોશલ ૧૮-ગણ રાજાઓ પરાજય પામ્યા. ત્યારે તે કોણિક રાજ મહાશિલાકંટક સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણીને કૌટુંબિક પુરુષને બોલાવીને એમ કહ્યું - હે દેવાનુપિયો ! તમે જલ્દીથી ઉદાયી હતિરાજને તૈયાર કરો, ઘોડા-હાથી-ર-યોદ્ધા સહિતની ચતુરંગિણિ સેના તૈયાર કરો, કરીને મારી આ આજ્ઞા જલ્દી પાછી આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો, કોણિક રાજાઓ એમ કહેતા હર્ષિત-તુષ્ટ થઈને યાવત અંજલિ કરીને હે સ્વામી “જેની આજ્ઞા' કહી, તેમની આજ્ઞા વચનોને વિનયપૂર્વક સ્વીકારીને, નિપુણ આચાર્યોના ઉપદેશથી પ્રશિક્ષિત અને તીણ બુદ્ધિના સુનિપુણ વિકલ્પોથી યુક્ત તથા જેમ “ઉવવાd' સુગમાં ભીમ સંગ્રામને યોગ્ય ઉદાયી હસ્તિરાજને સુસજ્જિત કર્યો, કરીને જ્યાં કૂણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત કૂણિક રાજાની તે આજ્ઞા પાછી સોળે છે. [આજ્ઞાનુસાર કાર્ય થયાનું જણાવે છે.] ત્યારપછી તે કૂણિક રાજા જ્યાં નાનગૃહ છે. ત્યાં આવ્યો, આવીને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને સ્નાન કર્યું બલિકર્મ કર્યું, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કયાં, સવલિંકારથી વિભૂષિત થઈ, લોહકવચ ધારણ કર્યું, વળેલા ધનુદંડને લીધું. ડોકમાં આભુષણ પહેરી, ઉત્તમોત્તમ ચિહપણ બાંધી, આયુધ-પ્રહણ ધારણ કરી, કોરંટક પુષ્પોની માળા સહિતનું છત્ર ધારણ કરીને, તેની ચાર તફ ચાર ચામર ઢોળવા લાગ્યા. લોકોએ મંગલ-જય શબ્દો કર્યા, એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યા મુજબ ચાવતું ઉદાયી હાથી પર બેઠો. ત્યારે તે કોણિક રાજા, હારથી આચ્છાદિત વક્ષ:સ્થળવાળો, ‘ઉવવાઈ' સુમાં કહા મુજબ શેત ચામર વડે વિંઝાતો-વિંઝાતો, ઘોડા-હાથી--પ્રવરયોદ્ધા યુકત ચાતુરંગિણી સેના સાથે પરિવરેલો, મહાન સુભટોના વિસ્તર્ણ સમૂહથી વ્યાપ્ત. જ્યાં મહાશિલા કંટક સંગ્રામ હતો, ત્યાં આવ્યો, આવીને મહાશિલા ૧૨૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કંટક સંગ્રામમાં ઉતર્યો. આગળ દેવેન્દ્ર દેવરાજ શક એક મહા અભેદ કવચવજ પ્રતિરૂપક વિમુવીને ઉભો રહ્યો. એ પ્રમાણે બે ઈન્દ્રો સંગ્રામ કરવા લાગ્યા - દેવેન્દ્ર અને મનુજેન્દ્ર. કૂણિક રાજ કેવલ એક હાથી વડે પણ શિડ્યુરોનાને પરાજિત કરવા સમર્થ થયો. ત્યારપછી તે કૂણિક રાજા મહાશિલાકંટક સંગ્રામ કરતો એવો નવમલ્લકી, નવ લેચ્છવિ, કાશી-કોશલના ૧૮ ગણરાજ. તેમના પવરવીર યોદ્ધાઓને હાથમથિત કયાં, નષ્ટ કર્યા. તેમના ચિન્હ, વજાપતાકા પાડી દીધી, તેમના પ્રાણ સંકટમાં પડી ગયા, દશે દિશામાં ભાગી ગયા. ભગવન તે મહાશિલાકંટક સંગ્રામ કેમ કહેવાય છે ? ગૌતમ ! મહાશિલાર્કંટક સંગ્રામ થતો હતો ત્યારે, તેમાં જે હાથી, ઘોડા, યોદ્ધા, સારથીઓ વ્રણ, મ, કાષ્ઠ, કંથી આહત થતા હતાં, તે બધાં એવું અનુભવતા હતા કે અમે મહાશિવાથી હણાઈ રહ્યા છીએ. તેથી તે મહાશિલા કહેવાય છે. ભગવાન મહાશિલાકંટક સંગમ થતો હતો ત્યારે તેમાં કેટલાં લાખ મનુષ્ય માર્યા ગયા ? ગૌતમ! ૮૪ લાખ મનુષ્યો માં. ભગવન! તે મનુષ્યો શીલરહિત ચાવતું પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ રહિત, રોષિત, પરિકુપિત, યુદ્ધમાં ઘાયલ, અનુપશાંત, કાળ માસે કાળ કરી ક્યાં ગયા, ક્યાં ઉતપન્ન થયા ? ગૌતમ! પ્રાયઃ નરક અને તિચિગતિમાં.. • વિવેચન-39ર : ભગવંત મહાવીરે સર્વજ્ઞત્વથી સામાન્યથી જાણે છે. મૃત - સ્પષ્ટ પ્રતિભાસ ભાવથી જોયું છે. વિશેષથી જાણ્યું છે – મહાશિલા માફક કંટક, જીવિતનો નાશ કરનાર તે મહાશિલા કંટક. જેમાં તૃણ, સળી આદિ વડે પણ હણેલ અશ્વ, હરિ આદિને મહાશિલાકંટક વડે હસ્યા એવી વેદના થાય, તેવો સંગ્રામ. આ સંગ્રામ આ રીતે થયો - ચંપામાં કૃણિક રાજા થયો, તેના નાના ભાઈ હલ્લ, વિહલ્લ નામે હતા. તેઓ સેચનક હાથી પર બેસી, દિવ્યકુંડલ-દિવ્યવો-દિવ્ય હાર ધારણ કરી, વિલસતા જોઈને કોણિક રાજાની પાવતી નામે સણી ઈર્ષ્યાથી રાજાને તે વસ્તુ હરી લેવા પ્રેરે છે. તેથી રાજાએ તેની યાચના કરી બંને ભાઈઓ ત્યાંથી નીકળી વૈશાલી નગરી પોતાના દાદા ચેટક રાજા પાસે હસ્તિ અને અંતઃપુર લઈને ચાલ્યા ગયા. કોણિકે દૂત મોકલી તે વસ્તુઓ માંગી, તેમણે ન મોકલી, ત્યારે કોણિકે કહ્યું - જો તમે વસ્તુ ન મોકલો તો યુદ્ધ માટે સજ્જ થાઓ. તેઓએ પણ કહ્યું - અમે સજ્જ છીએ. ત્યારે કોણિકે ‘કાલ' આદિ પોતાની બીજી માતાના પુત્રો એવા ભાઈઓને ચેટક રાજા સાથે સંગ્રામ કરવા બોલાવ્યા. તે પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ હજાર હાથી હતા. એ પ્રમાણે રથો હતા. પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ કરોડ મનુષ્ય યોદ્ધા હતા, કોણિક પાસે તેટલું જ હતું. આ વ્યતિકર જાણીને ચેટક રાજાએ પણ ૧૮-ગણરાજાને એકઠા કર્યા, તેઓ અને ચેટકરાજા પાસે પણ પ્રત્યેક પાસે એ પ્રમાણે હાથી આદિ પરિમાણ હતું.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy