SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-/૩/૨૨૪ આચરણો કર્યા? ગૌતમ ! પૂર્વ ભવે બાંધ્યુ અને પૂર્વ ભવે આચરણ કર્યા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્ ! જે જીવ, જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય, તે જીવ, તે યોનિનું આયુ બાંધે ? જેમકે - નૈરસિકાયુ ચાવત્ દેવાયુ ? હા, ગૌતમ ! જે જીવ જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય તેનું આયુ બાંધે, તે આ – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવાયુ. જો નકનું આયુ બાંધે તો સાત પ્રકારે બાંધે - રત્નપભા અથવા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકાયુ. તિર્યંચયોનિકાયુ બાંધતો પાંચ પ્રકારે બાંધે - એકેન્દ્રિય તિર્યંચ યોનિકાયુ આદિ બધાં ભેદો કહેવા. મનુષ્યાયુ બે ભેદે. દેવાયુ ચાર ભેદે. ભગવન્ ! એમ જ છે. • વિવેચન-૨૨૪ : ૩૧ ભગવન્ ! તે કયા ભવમાં બાંધ્યુ ? કયા ભવે તદ્વેતુક આચરણો આચર્યા ? • જે યોનિમાં જે જીવ ઉપજવા યોગ્ય હોય. મનુષ્ય-સંમૂર્ત્તિમ, ગર્ભજ. દેવ-ભવનપતિ. * શતક-૫, ઉદ્દેશો-૪, 'શબ્દ'' જી — * — * - * — * - ૦ ઉદ્દેશા-૩માં અન્યતીર્થિકની છાસ્થ મનુષ્ય વક્તવ્યતા કહી, અહીં છદ્મસ્થ અને કેવલિ મનુષ્યોની વક્તવ્યતા છે – • સૂત્ર-૨૨૫ - ભગવન્ ! છારણ મનુષ્ય વગાડાતા શબ્દોને સાંભળે છે, તે આ શંખ, શ્રૃંગ, શંખલી, ખરમુખી, કાહલી, પરિપિરિય, પ્રણવ પટહ, ભંભા, હોરંભ, ભેરી, ઝલ્લરી અને દુંદુભિના શબ્દોને, તત-વિતત-ધન-ઝુસીર શબ્દોને ? હા, ગૌતમ ! છાસ્થ્ય મનુષ્યો તે સાંભળે છે. - ભગવન્ ! તે પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્પૃષ્ટ શબ્દોને ? ગૌતમ ! પૃષ્ટને સાંભળે, અપૃષ્ટને નહીં યાવત્ નિયમા છ દિશાથી— ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય આગત શબ્દોને સાંભળે કે પારંગત શબ્દોને ? ગૌતમ ! તે આગત શબ્દો સાંભળે, પરગતને નહીં. ભગવન્ ! જો છાસ્ય મનુષ્ય આરગત શબ્દો સાંભળે, પારગત શબ્દો નહીં, તો કેવલિ મનુષ્ય આરગત શબ્દ સાંભળે કે પારગત ? ગૌતમ ! કેવલી આરગત, પારગત, સર્વે દૂર કે નીકટના અનંત શબ્દોને જાણે અને જુએ. - - કેવલિ આ સર્વેને જાણે અને જુએ એમ કેમ કહ્યું ? ગૌતમ ! પૂર્વ દિશાની મિત અને અમિત વસ્તુને પણ જાણે છે. એ રીતે દક્ષિણપશ્ચિમ-ઉત્તર-ઉર્ધ્વ-અધો દિશાની પણ મિત અને અમિત વસ્તુને સર્વ જાણે છે. કેવલિ બધું જુએ છે અને બધું જાણે છે. સર્વકાલે અને સર્વભાવે બધું જુએ છે અને જાણે છે કેવલિને અનંત જ્ઞાન, અનંત દર્શન છે. કેવલિના જ્ઞાન, દર્શન નિરાવરણ છે, તેથી કહ્યું કે યાવત્ જુએ છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • વિવેચન-૨૨૫ ઃ આજીિનમાળ - મુખ, હાથ, દંડાદિ સાથે શંખ, ઢોલ, ઝાલર આદિ વાધવિશેષના સંયોગથી જે શબ્દો ઉત્પન્ન થાય તે. આવા શબ્દો છાસ્થ સાંભળે છે. અથવા પરસ્પર અથડાતાં શબ્દદ્રવ્યો સાંભળે છે. ૩૨ સંધિય - શંખિકા, ઘરમુત્તિ - કાહલિ, પોચા - મોટી કાહલિ, પત્તિપિરિય - સુવરના ચામડાથી મઢેલ એક વાધ, પાવ - નાનો ઢોલ, પ૪ - મોટો ઢોલ, શં 2551, મેત્તિ - મોટી ઢક્કા, પિત - ઝાલર, હવે કહેલ, નહીં કહેલ વાધના સંગ્રહ માટે કહે છે - ૪ - ૪ - વીણાદિ તત, પટહાદિ વિતત, કાંશ્યતાલાદિ ઘન, વંશાદિ - શુષિર વાધો. પુકારૂં મુળૅફ - આદિની વ્યાખ્યા શતક-૧થી જાણવી. આર્શત- ઈન્દ્રિયોથી ગ્રાહય, પારગત - ઈન્દ્રિયોથી અગ્રાહ્ય. સર્વથા દૂર રહેલ અને તદ્દન નજીક રહેલ શબ્દને, ઋતિ - એટલે બહુ દૂર નહીં અને બહુ પાસે નહીં તેવા અથવા અનાદિ અને અંત વિનાના શબ્દોને (સાંભળે). મિત - ગર્ભજ મનુષ્ય અને જીવદ્રવ્ય, પિત - અનંત કે અસંખ્ય વનસ્પતિ, પૃથ્વીજીવ દ્રવ્યાદિ અપેક્ષાથી જાણે. કેમકે કૈવલિને અનંતાર્થવિષયપણાથી અનંત જ્ઞાન છે. ક્ષાયિક હોવાથી આ જ્ઞાન નિરાવરણ-શુદ્ધ છે. વાચનાંતરમાં નિવૃત્ત, નાશ થયેલ આવરણવાળું, વિશુદ્ધ કહ્યું છે – ફરી છાસ્થમનુષ્ય આશ્રીને • સૂત્ર-૨૨૬ : ભગવન્ ! છાસ્થ્ય મનુષ્ય હશે તથા ઉત્સુક થાય ? ગૌતમ ! હા, તેમ થાય. - - ભગવન્ ! જેમ છદ્મસ્થ મનુષ્ય હો અને ઉત્સુક થાય, તેમ કેવલી હો અને ઉત્સુક થાય ? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું કે કૈવલિ ન થાય? ગૌતમ ! જીવો ચાત્રિ મોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક થાય છે. પણ કેવલિને આ કર્મનો ઉદય નથી, માટે એમ કહ્યું કે – કેવલિ હશે કે ઉત્સુક ન થાય. ભગવન્ ! હસતો કે ઉત્સુક થતો જીવ કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ? ગૌતમ ! સાત કે આઠ પ્રકારે બાંધે. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી સમજવું. ઘણાં જીવોને આશ્રીને આ પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કમબંધસંબંધી ત્રણ ભાંગા આવે, પણ ત્યાં જીવ, એકેન્દ્રિય ન લેવા. ભગવન્ ! છા મનુષ્ય નિદ્રા કે પાલા નિદ્રા લે? ગૌતમ ! હા, તેમ કરે. હરાવા આદિમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ – દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા કે પ્રચલાનિદ્રા હોય. તે કેવલિને નથી. બાકી પૂર્વવત્ ભગવન્ ! નિદ્રા કે પ્રચલા લેતો જીવ કેટલા કર્મ બાંધે ? ગૌતમ ! સાત કે આઠ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. બહુવચન સૂત્રમાં જીવ, એકેન્દ્રિયને વર્જીને ત્રણ ભંગ કહેવા. -- • વિવેચન-૨૨૬ : કમ્ભુવાન - વિષય આદાન માટે ઉતાવળ કરવી તે. ખન્નનીય - જે કારણે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy