________________
પ્રકીર્ણક સમવાય-૨૪૬
હે ગૌતમ ! પ્રમત્તસંયતને છે, અપમને નહીં. જો પ્રમત સંયતને છે તો ઋદ્ધિ પ્રાપ્તને કે ઋદ્ધિ પ્રાપ્તને ? હે ગૌતમ! ઋદ્ધિ પ્રાપ્તને છે, ઋદ્ધિ આપ્તને નહીં. એમ સંપૂર્ણ વયનો કહેવા.
તે આહાસ્ક શરીર સમચતુસ સંસ્થાન સંસ્થિત છે. તે આહારક શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી દેશઉણ એક હાથ, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ એક હાથની.
હે ભગવન્ ! તૈજસ શરીર કેટલાં પ્રકારે છે ? હૈ ગૌતમ ! તૈજસ શરીર પાંચ પ્રકારે છે, તે આ – એકેન્દ્રિય તૈજસશરીર, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય તૈજસશરીર. એ પ્રમાણે યાવત્ હે ભગવન્ ! ત્રૈવેયક દેવ મારણાંતિક સમુદ્દાત વડે હણાય, ત્યારે તેની શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? હે ગૌતમ !
૨૦૧
વિકભ-બાહાથી શરીર પ્રમાણ માત્ર જ છે અને આયામથી જઘન્યથી નીચે યાવત્ વિધાધર શ્રેણિ અને ઉત્કૃષ્ટથી અધોલોક ગ્રામ સુધી, ઉપર સ્વવિમાન ધ્વજા સુધી, તિર્કી મનુષ્યક્ષેત્ર સુધી, એ રીતે યાવત્ અનુત્તરોષપાતિક દેવસુધી જાણવું - - - એ પ્રમાણે કામણ શરીર સંબંધે કહેવું.
• વિવેચન-૨૪૬ :
સૂત્ર સુગમ છે. એકેન્દ્રિય ઔદાસ્કિ શરીર ઇત્યાદિમાં “યાવથી બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિય ઔદારિક શરીર, પૃથ્વી આદિ એકેન્દ્રિય અને જલચર આદિ પંચેન્દ્રિય ભેદથી પૂર્વે દશવિલ જીવરાશિ ક્રમે કહેવા. ક્યાં સુધી ? ગર્ભ વ્યુત્ક્રાંતિક ઇત્યાદિ સુધી... ઔદારિક આદિમાં ઉદાર એટલે તીર્થંકરાદિ શરીરને આશ્રીને અથવા કાન - વિસ્તારવાળું અર્થાત્ વિશાલ, વનસ્પતિ આદિનું શરીર ૧૦૦૦ યોજનથી કંઈક વધુ પ્રમાણવાળું છે તેને આશ્રીને અથવા શન એટલે થોડા પ્રદેશ વડે ઉપચિત હોવા છતાં પ્રમાણ વડે મોટું હોવાથી ભેંડની જેમ અથવા માંસ, અસ્થિ, પરુથી બંધાયેલ જે શરીર તે સિદ્ધાંતપરિભાષાથી ઉરાલ કહેવાય. આવું ઉરાલ શરીર પ્રાકૃતત્વથી ઓરાલિય શરીર કહ્યું.
જેને વિશે અવગાહના કરાય તે અવગાહના એટલે આધારભૂત ક્ષેત્ર, શરીની જે અવગાહના તે શરીરાવગાહના અથવા ઔદારિક શરીરવાળા જીવની જે ઔદારિક શરીરરૂપ અવગાહના તે હે ભગવન્! કેટલી મોટી છે? તેમાં જઘન્યથી પૃથ્વી આદિની અપેક્ષાએ અંગુલના અસંખ્યેય ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી બાદર વનસ્પતિ અપેક્ષાએ સાધિક ૧૦૦૦ યોજન કહી છે.
નાવ મનુસ્મ૰ ‘ચાવત્' શબ્દથી અવગાહના અને સંસ્થાન નામક “પ્રજ્ઞાપના”ના ૨૧માં પદમાં કહેલ સર્વ પાઠ અર્થથી જાણવો. તે આ પ્રમાણે – પ્રથમ એકેન્દ્રિય ઔદારિકનો પ્રશ્ન અને ઉત્તર કહ્યો છે તે જ જાણવો. તથા પૃથ્વી આદિ બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત એ ચારની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે, બાદર પર્યાપ્ત વનસ્પતિની અવગાહના ઉત્કૃષ્ટથી સાધિક ૧૦૦૦ યોજન છે. બાકીનાની અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે.
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
પર્યાપ્તા બે-ત્રણ-ચાર ઈન્દ્રિયની ઉત્કૃષ્ટથી અનુક્રમે ૧૨ યોજન, ૩ ગાઉ, ૪ ગાઉ છે. પંચેન્દ્રિય તિર્યંચમાં ગર્ભજ અને સંમૂર્ણિમ એ બંને પર્યાપ્તા જળચરની ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન છે, સંમૂર્છિમ પર્યાપ્તા ચતુષ્પદ સ્થળચરની અવગાહના ગદ્યૂત પૃથકત્વ
છે અને તે જ ગર્ભજ હોય તો તેની અવગાહના છ ગાઉ છે. ગર્ભજ ઉપરિસર્પની ૧૦૦૦ યોજનની અને સંમૂર્ત્તિમની યોજન પૃથકત્વ છે. ગર્ભજ ભુજ પરિસર્પની બેથી નવ ગાઉ સુધી છે. સંમૂર્ણિમની બે થી નવ ધનુષ્યની છે. ગર્ભજ અને સંમૂર્ણિમ ખેચરોની ધનુપ્ પૃથકત્વ તથા ગર્ભજ મનુષ્યોની ત્રણ ગાઉ છે. સંમૂર્ણિમ મનુષ્યોની અવગાહના અંગુલનો અસંખ્યાત ભાગે છે. અંગુલનો અસંખ્યાત ભાગ સર્વત્ર જઘન્ય
પદે અને અપર્યાપ્તપદે જાણવો.
૨૦૨
વિ૰ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે – વિવિધ કે વિશેષ પ્રકારે જે ક્રિયા તે વિક્રિયા, તેને વિશે થયેલ તે વૈક્રિય છે અથવા વિવિધ કે વિશિષ્ટને જે કરે તે વૈકુર્વિક કહેવાય. તેમાં એકેન્દ્રિય વૈક્રિય શરીર વાયુકાયને હોય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર નાકાદિને હોય છે. વં નાવ ઇત્યાદિ અતિદેશથી - હે ભગવન્ ! જો એકેન્દ્રિયને વૈક્રિય શરીર હોય તો શું વાયુકાય એકેન્દ્રિયને હોય કે અવાયુકાય એકેન્દ્રિયને ? હે ગૌતમ ! વાયુકાય એકેન્દ્રિયને હોય અવાયુકાય એકેન્દ્રિયને નહીં, ઈત્યાદિ અભિલાપથી આ અર્થ જાણવો. - જો વાયુકાયને વૈક્રિય શરીર હોય તો સૂક્ષ્મ વાયુકાયને કે બાદર વાયુકાયને હોય ? હે ગૌતમ ! બાદરને જ હોય છે. જો બાદરને હોય તો પર્યાપ્તાને કે અપર્યાપ્તાને ? હે ગૌતમ ! પર્યાપ્તાને જ હોય. જો પંચેન્દ્રિયને હોય તો નાકીને, પંચેન્દ્રિય તિર્યંચને, મનુષ્યને કે દેવને હોય ? હે ગૌતમ ! તે
ચારેને હોય.
– તેમાં સાતે નાડીના પર્યાપ્તા, અપર્યાપ્તા બંનેને હોય. હે ભગવન્ ! જો તિર્યંચને હોય તો સંમૂર્ણિમને કે ગર્ભજને ? હે ગૌતમ ! ગર્ભજને જ હોય. તે ગર્ભજ પણ સંખ્યાતા વર્ષાયુ પર્યાપ્તાને જ હોય છે. તે પણ જલચરાદિ ત્રણે ભેદવાળાને હોય છે. તથા મનુષ્યમાં ગર્ભજને જ હોય છે, તે પણ કર્મભૂમિજને જ, તે પણ સંખ્યાતા વર્ષાયુ પર્યાપ્તાને જ હોય છે. દેવ એટલે ભવનવાસી આદિને હોય છે. તેમાં દશ પ્રકારના અસુરાદિ પર્યાપ્તા અને અપર્યાપ્તા બંનેને હોય. એ પ્રમાણે આઠે વ્યંતરને અને પાંચે જ્યોતિષ્કને હોય છે હે ભગવન્ ! જો વૈમાનિકને હોય તો કલ્પોપપન્નને
હોય કે કલ્પાર્તીતને ? હે ગૌતમ ! તે બંનેને હોય - ૪ -
હે ભગવન્ ! વૈક્રિયશરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમજ નારકીને જઘન્યથી ભવધારણીય શરીરની અંગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુમ્ અવગાહના છે. આ અવગાહના સાતમી પૃથ્વીમાં જાણવી. છટ્ઠી આદિ પૃથ્વીમાં તો તે જ અવગાહના અર્ધ-અર્ધ હીન જાણવી. પણ ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના સાતેમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીસ્થી બમણી જાણવી.
પંચેન્દ્રિય તિર્યંચોને ઉત્કૃષ્ટથી યોજન શત પૃથકત્વ જાણવી. મનુષ્યોને ઉત્કૃષ્ટથી