SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૩/૫૦૪,૫૦૫ દેશવિસ્તારાનંતક.. સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક.. શાશ્વત અનંતક કેમકે અનંત સમય સ્થિતિક હોવાથી જીવાદિ દ્રવ્ય શાશ્વત અનંતક છે. આવા પદાર્થનો બોધ જ્ઞાનથી થાય, માટે જ્ઞાનનું સ્વરૂપ કહે છે—– • સૂત્ર-૫૦૬,૫૦૭ : ૨૧૯ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, [૫૬] જ્ઞાન પાંચ ભેદે કહ્યું, તે આ - અવધિજ્ઞાન, મન:પવિજ્ઞાન, કેવલજ્ઞાન... [૫૦૩] જ્ઞાનાવરણીય કર્મ પાંચ ભેદે કહ્યું, તે આ પ્રમાણે છે - આભિનિૌધિક જ્ઞાનાવરણીય યાવત્ કેવલજ્ઞાનાવરણીય. • વિવેચન-૫૦૬,૫૦૭ : [૫૦૬] પાંચ સંખ્યા ભેદો જેના છે તે પંચવિધ. જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે. જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન. તેના આવરણનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન - તદાવક ક્ષયોપશમ કે ક્ષય પરિણામ યુક્ત. જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષય ગ્રહણરૂપ હોવાથી અર્થથી તીર્થંકરોએ અને સૂત્રથી ગણધરોએ - પ્રરૂપેલ છે. કહ્યું છે - અરિહંતો અર્થને કહે છે, ગણધરો સૂત્રને ગુંથે છે. શાસનના હિત માટે, તેથી સૂત્ર પ્રવર્તે છે. અથવા તીર્થંકર કે પ્રાજ્ઞપુરુષ વડે કે પ્રજ્ઞા વડે આપ્ત-પ્રાપ્ત અથવા સ્વાધીન કરેલું તે પ્રાજ્ઞાપ્ત, પ્રજ્ઞાપ્ત, પ્રાજ્ઞાત્ત કે પ્રજ્ઞાત. તે આ રીતે - અવિપર્યય રૂપત્વથી અર્થને સન્મુખ, નિઃશંસયત્વથી નિયત. ચોધ - જાણવું તે અભિનિબોધ અથવા અભિનિબોધને વિશે થયેલ કે અભિનિબોધ વડે થયેલ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. જે અર્થને સન્મુખ કાર્યભૂતને નિશ્ચિત જાણે છે, તે આભિનિબોધિક - અવગ્રહાર્દિરૂપ મતિજ્ઞાન. તેનું સ્વસંવેદિતરૂપ હોવાથી ભેદના ઉપચારથી - ૪ - ૪ - તે આભિનિબોધિક. તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમ રૂપ છે. - ૪ - ૪ - X + X " - જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ. કેમકે ભાવદ્યુતનું કારણ હોવાથી કારણમાં કાર્યોપચાર કર્યો છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રુત અર્થાત્ તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્ય હોવાથી આત્મા જ સાંભળે છે, માટે આત્મા જ શ્રુત છે. શ્રુતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. - X - જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, નીચે નીચે વિસ્તારપૂર્વક જણાય તે અવધિ, અથવા મર્યાદા વડે જણાય તે અવધિ. અવધિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમકે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે અથવા જાણવું તે અવધિ - પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન. - ૪ - ૪ - પરિ - સર્વ પ્રકારે, અવન – અવ - અયન - જવું કે જાણવું તે પર્યાય. + અવ કે અવ કે થાય તે પર્યવ, પર્યય, પર્યાય. મનમાં કે મનનો પર્યવ, પર્યય કે પર્યાય તે મનઃપર્યવ, મન:પર્યય અથવા મનઃપર્યાય. સર્વતઃ મનનો બોધ. તે જ જ્ઞાન (110) E :WMaharaj Saheib\Adhayan-7\Book-7C\ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ તે મન:પર્યવજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અથવા મનના પર્યાય, મે૬ - ધર્મ અર્થાત્ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિશે જ્ઞાન, તે મનઃ પર્યાયજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન. - ૪ - વ્હેવત - મતિ આદિ જ્ઞાનાપેક્ષારહિત હોવાથી અસહાય અથવા આવરણ મલરૂપ કલંક રહિતતાથી શુદ્ધ અથવા સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂર્ણરૂપે ઉત્પન્ન થવાથી સકલ અથવા અનન્ય સર્દેશત્વથી અસાધારણ અથવા જ્ઞેયાનતત્વથી અનંત યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન, ભાવિભાવના સ્વભાવનું પ્રકાશક જ્ઞાન તે કેવલજ્ઞાન. કહ્યું છે - એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ, અનંત એવું જ્ઞાન તે કેવલજ્ઞાન. પ્રાયઃ આ જ્ઞાનશબ્દ જ્ઞાન સમાધિકરણ છે. મનઃ પર્યાય જ્ઞાનને વિશે તત્પુરુષ સમાસને બતાવેલ હોવાથી ‘પ્રાયઃ' છે. ૨૨૦ અહીં સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષત્વના સાધર્મ્સથી અને શેષ જ્ઞાનના સદ્ભાવથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તેથી કહે છે - જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનો છે. કેમકે જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. - x - સમકિતથી અપતિત જીવાપેક્ષા એ સાધિક ૬૬-સાગરોપમ કાળ છે. બંને જ્ઞાન ક્ષયોપશમહેતુક છે. બંને સામાન્યથી સર્વ દ્રવ્યાદિ વિષયવાળા છે, બંને જ્ઞાન પરોક્ષ છે. મતિશ્રુતજ્ઞાનનો ભાવ હોવાથી જ અવધિ આદિનો ભાવ છે. - - મતિપૂર્વક શ્રુત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશરૂપ હોવાથી શ્રુતની પહેલાં મતિ કહેલ છે. આ અર્થ જણાવતી એક ગાથા પણ છે. કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધર્મ્સથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહે છે, તે બતાવે છે. પ્રવાહની અપેક્ષાએ જેટલો મતિ, શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે તેના આધારભૂત સમતિથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો કાળ છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય જ્ઞાનમાં થાય છે એ રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાદૅષ્ટિને વિભંગજ્ઞાન રૂપ થાય છે. જે મતિશ્રુતનો સ્વામી છે, તે જ અવધિનો સ્વામી છે. વિભંગજ્ઞાની દેવાદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા એક સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે - કાળ, વિપર્યય, સ્વામીત્વ, લાભસામર્થ્ય વડે મતિ, શ્રુત પછી અવધિજ્ઞાન કહ્યું છે. તથા છાસ્થ, વિષય, ભાવ, પ્રત્યક્ષત્વના સાધર્મ્સથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહે છે જેમ અવધિજ્ઞાન છદ્મસ્થને હોય છે તેમ મનઃપર્યવજ્ઞાન પણ હોય છે, જેમ અવધિજ્ઞાનરૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ આ જ્ઞાન પણ છે. વળી અવધિની જેમ આ જ્ઞાન પણ ક્ષાયોપશમિક છે. બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કહ્યું છે કે - છાસ્થત્વ, વિષય, ભાવાદિના સાધર્મ્સથી અવધિજ્ઞાન પછી મનઃપર્યવજ્ઞાનનો ન્યાસ છે. મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપ્રમત્ત સાધુરૂપ સ્વામીના સાધર્મ્સથી તેનું બધા જ્ઞાનમાં ઉત્તમત્વ છે. તે આ પ્રમાણે - જેમ મનઃ પર્યવજ્ઞાન
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy