________________
૨૦
૧૦/-/૯૭૮
૨૦૯ (૮) પાસત્યાદિ દોષ વર્જિતતાથી મૂલ-ઉત્તરગુણ વડે સંપન્નતાથી કરીને જે શોભન એવો સાધુ તે સુશ્રમણ તેનો ભાવ તે સુશ્રમણતા વડે.
(૯) પ્રકૃષ્ટ, પ્રશસ્ત કે પ્રગત વચન - આગમ તે પ્રવચન અર્થાત્ દ્વાદશાંગ અને તેના આધારભૂત સંઘ, તેની વત્સલતા - હિતકારિતા, પ્રત્યનીકવ આદિના નિરાસ વડે તે પ્રવચન વત્સલતા.
(૧૦) પ્રવચન-દ્વાદશાંગનું ઉદ્ભાવવું - પ્રભાવના કરવી, પાવચનિકપણું, ધર્મકથા, વાદાદિ લબ્ધિ વડે યશવાદ ઉત્પન્ન કરવો, તે પ્રવચનોભાવન, તે જ પ્રવચનોલ્ફાવન વડે... - આ આગામી ભદ્રતાના કારણોને કરનારાએ આશંસા પ્રયોગ ન કરવો જોઈએ, માટે તેને કહે છે
• સૂત્ર-૯૭૯ +
આશંસા પ્રયોગ દશ ભેદે છે – (૧) આલોક આશંસા પ્રયોગ, (૨) પરલોક આશંસા પ્રયોગ, (૩) દ્વિધાલોક આશંસાપયોગ, (૪) અવિનાશંસાપયોગ, (૫) મરણશંસા પ્રયોગ, (૬) કામ આશંસાપયોગ, () ભોગ આશંસાપયોગ. (૮) લોભાશંસાપયોગ, (૯) પૂજાશંસાપયોગ, (૧૦) સકારાશંસા પ્રયોગ
• વિવેચન-૯૭૯ :
આશંસવું તે આશંસા - ઈચ્છા, તેનો પ્રયોગ - વ્યાપાર અથવા આશંસા વડે જ પ્રયોગ તે આશંસાપયોગ. પ્રાકૃતપણાથી ‘સ' ઉપર અનુસ્વાર નથી. તેમાં - (૧)
• આ, પ્રજ્ઞાપક મનુષ્ય અપેક્ષાએ માનુષત્વપયયિમાં વતતો જે લોક-પ્રાણીવર્ગ તે. ઇહલોક અને તેનાથી જુદો તે પરલોક. તેમાં ઈહલોકની આશંસા આ રીતે - હું તપશ્ચરણના પ્રભાવે ચક્રવર્તી આદિ થાઉં એવી ઈચ્છા, તે ઈહલોકાશસાપયોગ. એ રીતે બધે વિગ્રહ કરવો.
(૨) પરલોકાશંસાપ્રયોગ - જેમ હું તપશ્ચરણથી ઈન્દ્રાદિ થાઉં.
(3) દ્વિઘાલોકાશંસાપયોગ - હું ઈન્દ્ર થાઉં અને પછી ચક્રવર્તી થાઉં અથવા આ ભવમાં કંઈક ઈચ્છા કરે અને પરભવમાં કંઈક ઈચ્છા કરે.
આ ત્રણ સામાન્યથી છે, બીજા સાત તેના વિશેષો છે. સામાન્ય અને વિશેષમાં વિવક્ષા ભેદ છે. તેથી કરીને આશંસાપ્રયોગનું દશવિધપણું વિરુદ્ધ થતું નથી. ••• (૪) જીવિત પ્રત્યે આશંસા - મારું જીવન દીધ થાઓ એવી ઈચ્છા તે જીવિતાશંસા પ્રયોગ.. (૫) મરણ પ્રત્યે આશંસા-મારું શીધ્ર મરણ થાઓ, એવી ઈચ્છા તે મરણાશંસા પ્રયોગ.
(૬) શબ્દ-રૂપ લક્ષણ કામ એ બંને મને મનોજ્ઞ મળે તેવી ઈચ્છા તે કામાશંસા પ્રયોગ... (2) ગંધરસ-સ્પર્શ લક્ષણ ભોગો મને મનોજ્ઞ મળે તે ઈચ્છા, તે ભોગાશંસાપ્રયોગ... (૮) કીર્તિ, શ્રુતાદિનો મને લાભ થાય તે ઈચ્છા, તે લાભાશંસા પ્રયોગ... (૯) પૂજા-પુષ્પાદિ વડે મારું પૂજન થાઓ એવી ઈચ્છા છે પૂજાશંસા પ્રયોગ... (૧૦) સકાર-પ્રવર વસ્ત્રાદિ વડે પૂજનરૂપ સત્કાર મને થાઓ એવી ઈચ્છા છે સકારાશંસા પ્રયોગ.
ઉકત લક્ષણ આશંસા પ્રયોગથી પણ કેટલાક ધર્મને આચરે છે માટે ધર્મને [7/14
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સામાન્યથી નિરુપણ કરતા કહે છે
• સૂગ-૯૮૦ :
ધર્મ દશ ભેદે હોય છે. તે આ - ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાખંડધામ, કુલદામ, ગણધર્મ, સંયધર્મ, કૃતધર્મ, ચાસ્ત્રિધર્મ, અસ્તિકાય.
• વિવેચન-૯૮૦ :
(૧) ગ્રામ-દેશના આશ્રયવાળા, તેનો કે તેમાં ધર્મ-આચાર, વ્યવસ્થા તે ગ્રામધર્મ, આ દરેક ગામમાં ભિન્ન હોય છે અથવા ગ્રામ - ઈન્દ્રિયનો સમૂહ, તેનો ધર્મ તે વિષયાભિલાષ લક્ષણ પ્રામધર્મ.
(૨) નગરધર્મ-નગર આચાર. તે પણ દરેક નગરમાં પ્રાયઃ ભિન્ન જ હોય છે... (3) રાષ્ટ્રધર્મ-દેશાચાર... (૪) પાખંડ ધર્મ-પાખંડીનો આચાર.. (૫) કુલધર્મ-ઉગ્રાદિ કુલાચાર અથવા જૈન મુનિઓના ગચ્છ સમૂહાત્મક ચાંદ્રાદિ કુલની સામાચારી રૂપ ધર્મ... (૬) ગણધર્મ-મલ આદિના ગણની વ્યવસ્થારૂપ અથવા જૈનોના કુલના સમુદાયરૂપ - કોટિક આદિ ગણ, તેની સામાચારીરૂપ ધર્મ... (3) સંઘધર્મ-ગોષ્ઠીનો આચાર - અથવા જૈનોના ગણ-સમુદાય રૂપ ચાતુર્વર્ણ સંઘધર્મ-આચાર.
(૮) શ્રુત-આચારાદિ, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરવાથી તે ધૃતધર્મ... (૯) સંચિત કરેલા કર્મને ખાલી કરવાથી ચા»િ, તે જ ધર્મ તે ચાસ્ત્રિધર્મ. (૧૦) પ્રદેશોનો શશિ તે અસ્તિકાય, તે જ ધર્મ-ગતિ પયય વડે જીવ અને પુદ્ગલ એ બંનેને ધરવાથી અસ્તિકાય ધર્મ છે.
આ ગ્રામધમદિ સ્થવિર વડે કરાયેલ હોવાથી સ્થવિરનું નિરૂપણ. • સૂત્ર-૯૮૧,૯૮૨ -
[૮૧ સ્થવિર દશ ભેદે કહ્યા – ગ્રામવિર, નગરસ્થવિર, રાષ્ટ્રસ્થવિર, પ્રશાસ્તૃસ્થવિર, કુલસ્થવિર ગણવિર, સંઘસ્થવિર, જાતિસ્થાવર, ચુતસ્થવિર, પચયિસ્થવિટ,
[] પુત્રો દશ ભેદે કહ્યા - આત્મજ, ક્ષોત્રજ દત્તક, વિનયિત, ઓરસ, મૌખર, શોંડીર, સંવર્ધિત, ઔપયાચિતક, ધમનિવાસી.
• વિવેચન-૯૮૧,૯૮૨ :
[૯૮૧ દુર્વ્યવસ્થિત લોકોને સન્માર્ગમાં સ્થિર કરે તે સ્થવિર. તેમાં -(૧,૨,૩) ગામ, નગર, રાષ્ટ્રમાં વ્યવસ્થા કરનાર, બુદ્ધિવાળા, આદેય, પ્રભાવવાળા તે સ્થવિરો... (૪) જે શિખવે છે તે પ્રશાસતાર-ધર્મોપદેશક, તે લોકોને સ્થિર કરવાથી પ્રશાસ્તૃસ્થવિરો.. (૫,૬,૭) જે લૌકિક કે લોકોત્તર કુલ, ગણ, સંઘની વ્યવસ્થા કરનારા અને તેનો ભંગ કરનાસ્તો નિગ્રહ કરૂારા તે કુલ-ગણ-સંઘ સ્થવિરો કહેવાય છે.
(૮) સાઠ વર્ષ પ્રમાણ, જન્મ પર્યાયવાળા તે જાતિ સ્થવિરો... (૯) સમવાયાદિ અંગને ધારણ કરનાર તે શ્રુતસ્થવિરો... (૧૦) વીશ વર્ષ પ્રમાણ પ્રવજ્યા પરિવાળા તે પયય સ્થવિરો.
[૯૮૨] સ્થવિરો આશ્રિતોને પુત્રની જેમ પરિપાલન કરે છે, માટે પુત્રનું નિરુપણ