________________
૧૦-/૯૬૬ થી ૯૭૬
૧૯૩
• વિવેચન-૯૬૬ થી ૯૩૬ :
[૯૬૬] ગતાર્થ છે. વિશેષ એ - અહીં છાણ્ય, અતિશયરહિત જ સમજવો. અન્યથા અવધિજ્ઞાની પરમાણુ આદિને જાણે છે જ. સર્વ પ્રકાર વડે થતુ સ્પર્શ, રસ, ગંધ, રૂપલક્ષણ જ્ઞાન વડે ઘટની જેમ, ધમસ્તિકાયને, ચાવત્ શબ્દથી અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરમાં ન રહેલ જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધને. અહીં બે અધિક છે. તેમાં આ - પ્રત્યક્ષ જ્ઞાન વડે સાક્ષાત્કાર કરેલ કેવલી થશે કે નહીં આ નવમું તથા દશમું છે તે પ્રગટ છે. આ દશ સ્થાનો છડાસ્યોને જાણવા યોગ્ય નથી. સાતિશય જ્ઞાનાદિપણાથી જિન જાણે છે. • X - ચાવતુ શબ્દથી જિન, અહંતુ, કેવલી, સર્વજ્ઞ સર્વભાવથી જાણે છે - જુએ છે - x -
[૯૬૭] સર્વજ્ઞપણાથી જ જિન, જે અતીન્દ્રિય અર્થને બતાવનારા શ્રુત વિશેષોને કહેલ છે, તે દશ સ્થાનક અનુપાતી અને કહે છે - સ ર એ અગ્યાર સૂત્રો છે. તેમાં દશ સંસા, દશ અધિકારના અભિધાયકવ થકી દશા એ રીતે બહુવચનાંત સ્ત્રીલિંગી શાસ્ત્રનું નામ છે.
કર્મથી - અશુભ કર્મનો વિપાક-ફળ તે કર્મવિપાક. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનાત્મક હોવાથી દશા તે કર્મવિપાક દશા. વિપાકશ્રુતનો બીજો શ્રુતસ્કંધ પણ દશ અધ્યયનાત્મક જ છે. પણ તે અહીં અભિમત નથી. તેનું વર્ણન આગળ કરવામાં આવનાર છે. - સાધુઓને ઉપાસે છે - સેવે છે, તે ઉપાસક • શ્રાવક, તેના ક્રિયાના કલાપ વડે ગુંથાયેલી દશ અધ્યયન વડે ઓળખાતી દશા તે ઉપાસક દશા.
- સંતો - વિનાશ, તે કર્મનું અથવા તેના ફળભૂત સંસારનું કરેલ છે જેઓએ તે અંતકૃત, તે તીર્થકરાદિ, તેઓની દશા તે અંત50 દશા. અહીં આઠમાં અંગના પ્રથમ વર્ગના દશ અધ્યયનો છે માટે સંખ્યા વડે ઉપલક્ષિત હોવાથી દાંતઋતુ દશા કહેવાથી આઠમું અંગ કહ્યું.
ઉત્તર : પ્રધાન, નથી અને કોઈ ઉત્તર વિધમાન તે અનુત્તર, ઉપપતન તે ઉપપાત - જન્મ. અનુત્તર એવો ઉપરાંત તે અનુત્તરોપપાત, તે છે જેઓને તે અનુરોપપાતિકો અતિ સર્વાર્થસિદ્ધ આદિ પાંચ વિમાનમાં ઉત્પન્ન થનારા, તેની વક્તવ્યતાથી પ્રતિબદ્ધ જે દશાદશ અધ્યયન વડે ઓળખાયેલ તે અનુસરોપપાતિક દશા-નવમું અંગ સૂત્ર.
આચરવું તે આચાર-જ્ઞાનાદિ પાંચ પ્રકારે આચાર પ્રતિપાદનમાં તત્પર દશા - દશ અધ્યયનાત્મિકા તે આચારદશા, જે દશાશ્રુતસ્કંધ છે.
પ્રનો તે પૃચ્છા અને વ્યાકરણ તે નિર્વચનો અર્થાતુ પ્રશ્નોના ઉત્તરો તે પ્રશ્ન વ્યાકરણો. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનામિકા દશા તે પ્રશ્ન વ્યાકરણ દશા - દશમું અંગ સૂત્ર છે.
તથા બંધ દશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ધદશા, સંક્ષેપિક દશા અપ્રતીત છે. [૯૬૮] કર્મવિપાક દશાના અધ્યયન વિભાગને કહે છે. તે આ -
૧૯૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૯૬૯] મૃગા-મૃગ ગ્રામ નગરમાં વિજય રાજાની મૃગારાણીનો પુત્ર તે મૃગાપુત્ર. તે નગરમાં ગૌતમસ્વામીએ સમવસરણમાં આવેલ જન્માંધ પુરુષને જોઈને પૂછયું - હે ભદંત ! આ નગરમાં બીજો કોઈ જાત્યંધ છે. ભગવંતે જાતિ અંધ અને આકૃતિ રહિત મૃગાપુત્રનું કથન કર્યું. ગૌતમ સ્વામી કુતૂહલથી તેને જોવાને તેના ઘેર ગયા. મૃગાદેવીએ વંદન કરીને આગમનનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ કહ્યું કે – હું તારા પુત્રને જોવાને આવ્યો છું. ત્યારે મૃગાદેવીએ ભૂમિગૃહમાં રહેલ તેને, તેમાંથી ઉઘાડીને ગૌતમસ્વામી બતાવતી હતી. તેને અતિ ધૃણાસ્પદ જોઈને ગૌતમ સ્વામીએ ભગવંતને પૂછ્યું કે – આ મૃગાપુત્ર જન્માક્તરમાં કોણ હતો ?
- ભગવંતે કહ્યું - આ વિજયવર્ધમાનક નામના ખેટમાં મકાયી [ઈક્કાઈ] નામે હતો. લાંચ લેવી, ઉપચારોથી લોકોને સંતાપકારી રાષ્ટ્રકૂટ હતો. ત્યાંથી સોળ રોગચંતક વડે અભિભૂત થયો, મરીને નરકમાં ગયો. ત્યાંથી પાપકર્મના વિપાક વડે લોટઆકાર જેવો, અવ્યક્ત ઈન્દ્રિયવાળો અને દુર્ગધવાળો મૃગાપુત્ર થયો. અહીંથી મરીને નરકમાં જશે. તેનું પ્રતિપાદક પ્રથમ અધ્યયન મૃગાપુગ.
ગોગાસ. - ગાય આદિ પશુને ત્રાસ પમાડેલ તે ગોગાસ. હસ્તિનાપુર નગરમાં ભીમ નામે કુટગ્રાહની ઉ૫લા નામની ભાર્યાનો ગોગાસ નામે પુત્ર થયો. પ્રસવકાળે મહાપાપી આ જીવે ઘણી બૂમો પાડવા વડે પશુઓને ત્રાસ પમાડ્યો. યૌવનવયમાં આ અનેક પ્રકારના પશુઓના માંસને ખાતો હતો, તેથી મરીને નાક થયો. ત્યાંથી નીકળીને વાણિજ્યગ્રામમાં વિજય નામે સાર્થવાહ અને તેની ભદ્રા નામે ભાર્યાનો ઉઝિતક નામે પુત્ર થયો. તેને કામHજા ગણિકાને અર્થે રાજાએ તલતલ જેવડા માંસ છેદન વડે અને તેને ખવડાવવા વડે ચતુuથમાં વિડંબના કરાવીને નાશ કરાવ્યો. તે મરીને નકમાં ગયો એ રીતે ગોગાસની વક્તવ્યતા વડે પ્રસિદ્ધ અધ્યયન બીજું ‘ગોમાસ’ છે. જે વિપાક શ્રુગમાં ‘ઉઝિતક’ નામે કહેવાય છે.
• પુરિમતાલ નગરનો વાસી કૂકડા આદિ અનેક પ્રકારના ઈંડાના સમૂહનો વ્યવહાર કરનાર નિષ્ણક નામે વ્યાપારીના વિપાકને પ્રતિપાદન કરનારું અંદનામા અધ્યયન છે. તે નિક નરકમાં ગયો, ત્યાંથી નીકળીને અલગ્નસેન નામે પલ્લીપતિ થયો. તેની ઉપર નિરંતર દેશનું લુંટત કરવા વડે અતિ કોપ પામેલ પુરિમતાલ નગના રાજાએ વિશ્વાસ પમાડવા પૂર્વક તેને બોલાવીને નગરના પ્રત્યેક ચૌટામાં તેની આગળ તેના કાકા, કાકી વગેરે સ્વજન વર્ગને મારીને તલતલ જેટલા માંસનું છેદન અને લોહી-માંસના ભોજન કરાવવા વડે કર્થના કરીને મરાવ્યો. વિપાકશ્રુતમાં આ અધ્યયન અભગ્નસેન નામે કહેવાયું છે.
શદ - નામે અપર અધ્યયનમાં શાખાંજની નગરીમાં સુભદ્ર સાર્થવાહ અને તેની ભદ્રા નામે ભાર્યાનો શકટ નામે પુત્ર હતો. તેને સુષેણ નામે પ્રધાને સુદર્શના નામે ગણિકાના પ્રસંગમાં ગણિકા સહિત માંસ છેદનાદિ અત્યંત કદર્થના કરાવીને મરાવ્યો. તે પૂર્વજન્મમાં છગલપર નગરે છલિક નામે છોગલિક માંસ પ્રિય હતો. તે ચોથું અધ્યયન.
HTU - કોસાંબી નગરીમાં બૃહસ્પતિ દત્ત નામે બ્રાહ્મણ હતો. તેને અંતઃપુરના