SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ CIC-- | (3) સ્થાનાંગણ-૩/૨ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. અગિયાર અંગસૂત્રોમાં બીજું “સ્થાનાંગ" સૂત્ર છે. જેનું મૂળ નામ કાજ અને સંસ્કૃતમાં સ્થાન કહે છે. તેવા આ સ્થાનાંગ સૂગને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫, ૬, a] જેમાં આ છઠો ભાગ છે. સ્થાન-૧ થી 3નું વિવરણ ભાગ-૫-માં કરાયું. આ ભાગમાં સ્થાન [અધ્યયન) ૪ અને ૫નું વિવરણ છે. અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિયુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ મળેલ નથી. હાલ શ્રી અભયદેવસૂરિસ્કૃત વૃત્તિ [ટીકા] ઉપલબ્ધ છે. જેનો આ અનુવાદમાં સમાવેશ કરેલ છે. અહીં મળ સત્ર સાથે ટીકાનો અનુવાદ કરતાં કોઈ સંદર્ભો ઉમેરાયા પણ છે, તો વ્યાકરણ અને ન્યાયાદિ પ્રયોગ છોડી પણ દીધા છે. ત્યાં ત્યાં પ્રાયઃ - X - X - આવી નિશાની મૂકેલી છે. આ છઠો ભાગ, પાંચમાં ભાગના અનુસંધાન છે, કેમકે ઠાણાંગ સૂત્ર સાધ્યયન૧ થી 3 ત્યાં કહેવાઈ ગયા છે, તેની પ્રસ્તાવના પણ ત્યાંથી જોવી. ૬ ઠાણાંગ સૂત્ર - ટીકા સહિત અનુવાદ 9 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે સ્થાન-૪ - ઉદ્દેશો-૧ છે - X - X - X - X - X - • સૂત્ર-૨૪૯ - ચાર અંતક્રિયાઓ કહી છે. તેમાં પ્રથમ અંતક્રિયા આ :- કોઈ અકર્મી આત્મા મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડ થઈને ગૃહવાસ છોડી શણગારપણે પ્રવજિત થઈને ઉત્તમ સંયમ, ઉત્તમ સંતર, ઉત્તમ સમાધિવાળો થઈ, રાવૃત્તિ, પાર પામવાનો અર્થી, ઉપધાન તપ કરનારો, દુઃખાય કરતો તપસ્વી થાય છે, તેને ઘોર તપ કરવો પડતો નથી, ઘોર વેદના થતી નથી એવો પ્રશ્ય દીધયુ ભોગવી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે, સર્વે દુઃખોનો અંત કરે છે. જેમ ચાતુરંત ચક્રવર્તી ભરત, - આ પહેલી આંતક્રિયા. - હવે બીજી આંતક્રિયા - કોઈ જીd મહાકર્મી થઈને મનુષ્યભવમાં ઉતox થાય છે, તે મુંડ થઈ ઘરથી નીકળી અણગારપણે પતંજિત થઈને ઉત્તમ સંયમ, ઉત્તમ સંવર યાવતુ ઉપધાન તપ કરનારો, દુઃખ ક્ષય કરનારો, તપસ્વી થાય. તેને ઘોર તપ કરવો પડે, દુક્સહ વેદના સહેવી પડે, એવો પુરષ અલ્પકાળનો પયરય પાળીને સિદ્ધ થાય છે ચાવતુ અંત કરે છે. જેમ કે ગજસુકુમાલ અણગાર - આ બીજી અંતક્રિયા. હવે ત્રીજી અંતક્રિયા - મહાકર્મવાળો મનુષ્યત્વને યાવત્ પ્રાપ્ત કરે, મુંડ થઈને, ઘરથી નીકળી અણગાર પdજ્યા પામીને ઈત્યાદિ બીજી અંતક્રિયા મુજબ જણવું. વિશેષ એ કે - દીર્ધકાળની પ્રવજ્યા વડે સિદ્ધ થાય છે ચાવતું સર્વે દુ:ખોનો અંત કરે છે. જેમ સનકુમાર ચકી. આ ત્રીજી આંતક્રિયા. હવે ચોથી અંતક્રિયા - અભ કર્મવાળો મનુષ્યત્વને પામીને, મુંડ થઈને યાવ4 dજ્યા પામીને ઉત્તમ સંયમી યાવતું ઘોર તપ ન કરે, દુસહ વેદના ન વેદ, તેવો પણ અવાકાલીન પ્રવજ્યા વડે સિદ્ધ થાય યાવત સર્વ દુઃખોનો અંત કરે જેમ મરુદેવી ભગવતી. આ ચોથી અંતક્રિયા છે. • વિવેચન-૨૪૯ : આનો સંબંધ આ છે - પૂર્વના છેલ્લા સૂરમાં કર્મનો ચય આદિ કહ્યા. અહીં પણ કમ કે તેના કાર્યભૂત ભવનો અંત કરનારી કિયા કહેવાય છે. અથવા મેં સાંભળેલ છે કે આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે, તેથી તેમણે જે કહેવાયેલું કહ્યું તેમ આ બીજું પણ તેમનું કહેલું કહે છે, માટે આવા પ્રકારના આ સંબંધની વ્યાખ્યા કરાય છે. અંતક્રિયા એટલે ભવનો અંત કરવો. તેમાં (૧) - જેને તથાવિધ તપ નથી, તથાવિધ પરિષહજ વેદના નથી, પણ દીર્ધ પ્રવજયા પર્યાય વડે સિદ્ધિ થાય છે તે પહેલી અંતક્રિયા છે. (૨) જેને તથાવિધ તપ-વેદના છે, અા પ્રવજ્યા પર્યાય વડે સિદ્ધિ થાય તેને બીજી અંતક્રિયા છે. - (3) - જેને ઉત્કૃષ્ટ તપ-વેદના છે, દીર્ધ પ્રવજ્યા પર્યાય વડે સિદ્ધિ થાય તેને બીજી અંતક્રિયા છે. - (૪) - જેને તથાવિધ તપ-વેદના નથી, અથ સ્થાન-૪ છે - X - X - X — • ભૂમિકા : ત્રીજા અધ્યયન (સ્થાન] નું વ્યાખ્યાન કરાયું. હવે સંખ્યાના ક્રમ સંબંધથી “ચાર સ્થાન” નામક ચોથાનો આરંભ કરીએ છીએ. આનો પૂર્વની સાથે સંબંધ વિશેષ છે - સ્થાન-3માં વિવિધ જીવ-અજીવ દ્રવ્ય-પર્યાયિો કહ્યા, અહીં પણ તે જ કહે છે. આ સંબંધે આવેલા અધ્યયનના ચાર ઉદ્દેશકોમાંના પહેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર 6િ/2]
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy