SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૩/૧૯૯ ૨૦૫ તે ભેદો સંગ્રહ કરાય છે તે સંગ્રહ - સતા માનનો સ્વીકાર. (3) વ્યવહાર - જે અથવા જેના વડે વ્યવહાર કરાય છે તે વ્યવહાર અથવા વિશેષ વડે નિરાકરણ કરાય છે તે અથવા સામાન્ય જોવા લોકવ્યવહારને વિશે તત્પર તે વ્યવહાર વિશેષ માત્ર સ્વીકારવામાં તત્પર. આ નયમતો વડે જાણવું. (૪) ઋજુ - સરળ સન્મુખ, શ્રુત-શ્રુતજ્ઞાન જેને છે તે ઋજુસૂત્ર. અથવા હજુઅતીત, અનાગતરૂપ વકના ત્યાગથી ફક્ત વર્તમાન વસ્તુને જણાવે તે જુસૂત્ર પોતાની અને સાંપ્રત વસ્તુ માને છે, બીજી માનતો નથી. (૫) શauતે - જેના વડે કથન કહેવાય છે, તે શબ્દવાચક ધ્વનિ. અનેક ધમત્મક વસ્તુ છતાં બીજા ધર્મોનો નિષેધ કરીને ચોક્કસપણે એક ધર્મ વડે પરિચ્છેદ કરે છે. તે કયો શબ્દની મુખ્યતાવાળા જે નયો, તે શબ્દનયો. તે ત્રણ છે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. તેમાં બોલાવવું કે જે નામ પ્રત્યે બોલાવવું કે જેના વડે બોલાવાય તે શબ્દ. તે શબ્દ કથનના વિચારમાં તત્પર નય પણ શબ્દ છે. તે ભાવનિફોપરૂપ વર્તમાનકાલીન અભિન્ન લિંગવાચક અને બહુપયયિ પ્રત્યે પણ સ્વીકારે છે. (૬) વાચક-વાચક પ્રત્યે વાસ્થભેદનો આશ્રય કરે તે સમભિરૂઢ તે વિશે ઉક્ત વિશેષણયુક્ત વસ્તુને પણ શક અને પુરંદરાદિ વાચક ભેદ વડે ભેદને સ્વીકારે છે. - 1 - (૩) તેવા પ્રકારના સત્ય અર્થવાળો ઘટાદિ પણ અન્યથા નહીં એવી રીતે સ્વીકારવામાં જે તત્પર છે એવંભૂત નય છે. આ નય તો ભાવ નિક્ષેપાદિ વિશેષણ સહિત વ્યુત્પત્તિ અર્થવાળા અર્ચને જ ઇષ્ટ માને છે. તેમાં પહેલાં ત્રણ નયોનું અશુદ્ધપણાથી, પ્રાયઃ લોકવ્યવહારમાં તત્પર હોવાથી નરકાવાસોનું પૃથ્વીને આધારે રહેવાપણું છે એવો તેમનો મત છે. ચોથા નયનું શુદ્ધપણાથી અને આકાશનું રહેતા સર્વ ભાવોનું એકાંતિક આધારપણું હોવાથી અને પૃથ્વીનું અનેકાંતિકપણું હોવાથી આકાશ પ્રતિષ્ઠિવ છે. શબ્દ આદિ ત્રણે નયોનું વિશેષ શુદ્ધપણું હોવાથી અને સર્વભાવોનું સ્વભાવ લક્ષણના અંતરંગપણાથી તેમજ વ્યભિચાસ્પમાથી આત્મપ્રતિષ્ઠિવ છે. કેમકે પોતાના સ્વભાવને છોડીને બીજાની સ્વભાવમાં અધિકરણવાળા ભાવો કદાપી હોતા નથી •x - x નો મિથ્યાર્દષ્ટિ છે, માટે મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે • સૂત્ર-૨૦૦ - મિશ્રાવ ત્રણ પ્રકારે છે : અક્રિયા, અવિનય, અજ્ઞાન... અક્રિયા ત્રણ ભેદે છે . પ્રયોગક્રિયા, સમુદાનક્રિયા, અજ્ઞાનક્રિયા... પ્રયોગક્રિયા ત્રણ પ્રકારે છે . મન પ્રયોગક્રિયા, વચન પ્રયોગક્રિયા, કાય પ્રયોગક્યિા ... સમુદાન કિયા ત્રણ ભેદ : અનંતર સમુદાનક્રિયા, પરંપર સમુદાનક્રિયા, તદુભય સમુદા કિયા ... અજ્ઞાન ક્રિયા ત્રણ ભેદે છે - મતિજ્ઞાન ક્રિયા, શ્રુતજ્ઞાન ક્રિયા, વિભંગઅજ્ઞાન ક્રિયા...અવિનય ત્રણ ભેદે છે - દેશ ત્યાગી, નિરાલંબનતા, વિવિધ પ્રેમ-દ્વેષ... અજ્ઞાન ત્રણ ભેદે છે - દેશ અજ્ઞાન, સર્વ અજ્ઞાન, ભાવ અજ્ઞાન. ૨૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન-૨૦o : (૧) મિથ્યાત્વ ત્રણ ભેદ વગેરે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - મિથ્યાત્વ એટલે જે વિપરીત શ્રદ્ધાનરૂપ છે, તેની અહીં વિવક્ષા કરી નથી. કેમકે પ્રયોગક્રિયા આદિના કહેવાતા તેના ભેદોનો અસંબંધ છે, તેથી અહીં મિથ્યાવક્રિયા આદિનું યથાર્થરૂપપણું મિથ્યાદર્શન અને અનાભોગાદિથી થયેલ વિપયર દુષ્ટપણું અથાત્ અશોભનપણું એવો ભાવ જાણવો. વિજય અહીં ન શબ્દ ૩: શબ્દના અર્થમાં છે. જેમ અશીલ એટલે દુશીલ કહેવાય છે. તેથી અક્રિયા એટલે મિથ્યાત્વ આદિથી હણાયેલને મોક્ષસાધક અનુષ્ઠાન દુષ્ટક્રિયા છે, જેમ મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે તેમ જાણવું. એ રીતે અવિનય, અજ્ઞાન એટલે અસમ્યગ જ્ઞાન. (૨) અક્રિયા તે અશોભન ક્રિયા જ છે, તેથી અક્રિયા ત્રણ પ્રકારે કહીને પણ પ્રયોગ ઇત્યાદિ વડે ક્રિયા જ કહી છે. તેમાં વયન્તિરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલ વીર્ય દ્વારા આત્મા વડે જે વ્યાપાર કરાય તે પ્રયોગ - મન, વચન, કાય લક્ષાણની ક્રિયા - કરવું અર્થાત્ વ્યાપ્ત થયું તે પ્રયોગ ક્રિયા અથવા મન વગેરે પ્રયોગ વડે જે બંધાય છે તે પ્રયોગક્રિયા અર્થાત્ કર્મ, તે દુષ્ટવથી અક્રિયા અને અકિયા તે મિથ્યાત્વ છે એમ સર્વત્ર સંબંધ જોડવો. સમુવા પ્રયોગક્રિયા વડે એકરૂપપણે ગ્રહણ કરેલ કર્મવર્ગણાને સારી રીતે પ્રકૃતિ, બંધ આદિ ભેદ વડે દેશઘાતિ અને સર્વઘાતિરૂપપણાએ સ્વીકારવું તે સમુદાન, તે જ ક્રિયા તે સમુદાન કિયા. અજ્ઞાન વડે ચેષ્ટા કે કર્મ તે અજ્ઞાન ક્રિયા. (3) પ્રયોગ ક્રિયા ત્રણ પ્રકારના કહેલ અર્થવાળી છે - (૪) જેમાં અંતર નથી તે અનંતર, એવી જે સમુદાનક્રિયા અથતુ પ્રથમ સમયમાં વર્તનારી, બીજા વગેરે સમયમાં વર્તનારી તે પરંપર સમુદાન ક્રિયા, પ્રથમઅપ્રથમ સમયોપેક્ષાએ તદુભય-સમુદાન ક્રિયા જાણવી. (૫) મતિ અજ્ઞાન ક્રિયા - વિશેષ નહીં કરાયેલ તેમતિ જ છે અને સમ્યગુર્દષ્ટિને તે મતિજ્ઞાન રૂપ છે, મિથ્યાર્દષ્ટિને તે મતિઅજ્ઞાનરૂપ છે. શ્રુત પણ એમ જ જાણવું. મતિ અજ્ઞાનથી જેમ ક્રિયા કરવી તે મતિ અજ્ઞાન ક્રિયા, એ રીતે શ્રુત તથા વિલંગમાં પણ જાણવું. તેમાં મિથ્યાદૃષ્ટિનું જે અવધિ તે વિભંગઅજ્ઞાનરૂપ છે. (૬) અક્રિયા મિથ્યાત્વનું વિવેચન કર્યું, હવે અવિનય મિથ્યાત્વ કહે છે. અવિનય ઇત્યાદિ. • વિશિષ્ટ નય તે વિનય - પ્રતિપત્તિ વિશેષ. તેના પ્રતિષેધથી, અવિનય. જન્મ, ક્ષેત્ર આદિનો ત્યાગ તે દેશયાગ, સ્વામીને ગાળ દેવી વગેરે જે અવિનયમાં છે, તે દેશત્યાગી. ગચ્છ, કુટુંબ આદિના આશ્રયથી જે નીકળેલ છે તે નિરાલંબન, તેનો ભાવ તે નિરાલંબનતા અર્થાત્ આશ્રય કરવા યોગ્યની ઉપેક્ષા કરવી. અથવા પુષ્ટ આલંબનના અભાવે ઉચિત પ્રતિપત્તિ સ્વીકારનો નાશ છે. પ્રેમ અને દ્વેષ તે પ્રેમદ્રેષ, વિવિધ પ્રકારનો જે પ્રેમપ્લેપ તે નાનાપમદ્રેષ અવિનય, અહીં ભાવના આ પ્રમાણે - આરાધ્ય વિષય કે આરાધ્ય સંમત વિષયવાળો પ્રેમ, આરાધ્યને
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy