SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/૧/૨૫૩ થી ૨૫૬ ૧૨૯ ૧૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • સૂત્ર-૨૫૩ થી ૨૫૬ : સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા અનેક ઉપાય કરે છે, પાસે આવીને કરુણ, વિનીત, મંજુલ ભાષા બોલે છે. ભોગ વશ જાણી હુકમો ચલાવે છે. જેમ શિકારી એકાકી, નિર્ભય વિચરતા સિંહને માંસના પ્રલોભનથી ફસાવે છે, તેમ સ્ત્રીઓ સંવૃત્ત એકલા સાધુને મોહજાળમાં ફસાવે છે. જેમ રથકાર અનુક્રમે પૈડાની પૂરીને નમાવે, તેમ છીઓ સાધુને ઝુકાવે છે. પાશમાં બંધાયેલ મૃગની માફક ફૂદવા છતાં મુક્ત થતો નથી. વિષ મિશ્રિત ખીર ખાનાર મનુષ્ય માફક પછી તે સાધુ પસ્તાય છે. આ રીતે વિવેક પ્રાપ્ત કરી દ્રવ્ય સાધુ શ્રી સહવાસ ન કરે. - વિવેચન-૨૫૩ થી ૫૬ ; જેના વડે મન બંધાય તેવા મંજુલ વચનો બોલવા, તેહદૈષ્ટિથી જોવું, ચાંગોપાંગ પ્રગટ કસ્વા. તે જ કહ્યું છે - હે નાથ ! પ્રિય કાંત સ્વામી દયિત ! તમે મારા જીવિતથી પણ વહાલા છો, તમે મારા શરીરના માલિક છો. ઇત્યાદિ અનેક પ્રપંચો વડે કરુણાલાપ અને વિનયપૂર્વક સમીપ આવીને મનોહર વયના વિશ્વાસ પમાડવા કે કામ વિકાર જગાડવા બોલે છે. કહ્યું છે . મિત મધુર રિભિત વચનોથી, થોડા કટાક્ષથી હસતી, વિકારો વડે મૃગનેના સ્ત્રીનું હદય ઢંકાયેલું છે. તથા રહસ્યાતાપ વડે મૈથુન સંબંધી, વચનો વડે સાધુનું ચિત્ત વશ કરી કાર્ય કરવા પ્રવર્તે છે અને સ્વ વશ જાણી, નોકરની માફક આજ્ઞા કરે છે - વળી - જેમ બંધન-વિધિજ્ઞ સિંહને માંસપેશીના પ્રલોભનથી નિર્ભય બનેલા, એકલા વિચરતાને ગલચંગાદિથી બાંધે, પછી ઘણી રીતે પજવે તેમ સ્ત્રીઓ વિવિધ ઉપાયોથી મધુર વયનાદિથી કોઈ તેવા મન-વચન-કાયાથી સંસ્કૃત સાધુને સ્વવશ કરે છે. સંસ્કૃત શબ્દ સ્ત્રીના સામર્થ્યને બતાવે છે. જો સંવૃત પણ બંધાય તો અસંવૃતનું શું ? વળી પોતાને વશ કર્યા પછી તે સ્ત્રી, સાધુને પોતાની ઇચ્છિત વસ્તુ તરફ નમાવે છે. જેમ સુતાર ચક્રના બાહ્ય ભાગને નમાવે છે, એમ સ્ત્રીઓ પણ સાધુને પોતાના અનુકૂળ કાર્યમાં પ્રવતવિ છે. તે સાધુ મૃગની જેમ પાશામાં બંધાઈ મોક્ષ માટે વર્તે, પણ મુક્ત થતો નથી. પછી મૃગની જેમ બદ્ધ તે સાધુ સ્ત્રીના ફંદામાં ફસાઈ કુટુંબ માટે રાત-દિવસ કલેશ પામતો પછી પસ્તાય છે. ગૃહસ્થના ઘેર આટલી બાબતો અવશ્ય સંભવે છે. જેમકે - કોણ ક્રોધી કે સમચિત છે? કોનું ધન લઉં, કોને આપું ? કોણે ઉઘાડ્યું - કોણ લઈ ગયું? કોણ પરણેલો કે કુંવારો છે? આ પ્રમાણે ચિંતામાં પડી જીવ પાપનો ભારો બાંધે છે. તથા મેં કુટુંબ માટે દારુણ કર્મો કર્યો, તેનાથી હું એકલો બળું છું. ફળ ભોગવનારા જતા રહ્યા. આ રીતે ઘણાં પ્રકારે મહા મોહથી કુટુંબ ફેંદામાં પડી પસ્તાય છે. આ વાત દેટાંતથી સ્પષ્ટ કરે છે - જેમ કોઈ વિષમિશ્રિત ભોજન જમીને પછી તેના આવેગથી આકુળ થઈને પસ્તાય છે કે - મેં પાપીએ વિના વિચારે, વર્તમાન સુખ [3/9] માટે રસિક બનીને કડવા ફળવાળું ભોજન ખાધું, તેમ તે સાધુ પુત્ર પૌત્ર દોહિત્ર જમાઈ આદિના ભોજન, વસ્ત્ર, પરિણયન, અલંકાર, જન્મ-મરણકર્મ, રોગ ચિકિત્સાની ચિંતામાં આકુળ બની, પોતાના શરીર કર્તવ્ય વીસરીને, આલોક-પરલોકના હિતના અનુષ્ઠાનનો નાશ કરીને, રોજ તે પ્રવૃત્તિમાં આકુળ બની પસ્તાય છે. એ રીતે ઉકત રીતે પોતાના અનુષ્ઠાનના વિપાકને પામીને અથવા વિવેક ગ્રહણ કરી, ચાસ્ત્રિમાં વિદનકારી સ્ત્રીઓ સાથે એક વસતિ કાતી નથી. કોઈ મુક્તિગમત યોગ્ય કે રાગદ્વેષરહિત સાધુને પણ સ્ત્રીઓ સાથેનો સહવાસ સદનુષ્ઠાન વિઘાતકારી છે. સ્ત્રી સંબંધી દોષો બતાવી હવે ઉપસંહાર કરે છે– • સૂગ-૨૫૩,૫૮ : આ સંસર્ગ વિશ્વલિત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વણ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશ દાતા, ત્યાગને ટકાવી ન શકે. જે સાધુ શ્રી સંસરૂપ નિંદનીય કર્મમાં આસકત છે, તે કુશીલ છે તેથી તે ઉત્તમ તપસ્વી સાધુ હોય તો પણ સ્ત્રી સાથે ન વિચરે. • વિવેચન-૫૩,૨૫૮ : સ્ત્રી સાથે સંપર્ક રાખવાથી જે કટુ વિપાક થાય છે, તે કારણથી સ્ત્રીઓ વર્જવી. તેની સાથે વાતો પણ ન કરવી. જેમ વિષ લગાવેલ કાંટો શરીરમાં ભાંગેલો હોય તો પીડા ઉત્પન્ન કરે છે, તેમ સ્ત્રીનું સ્મરણ પણ પીડા આપે છે. તેથી સ્ત્રીઓને વિષલિપ્ત કંટક સમાન જાણી ત્યાગ કરવો. કહ્યું છે - વિષ અને વિષયોમાં ઘણું અંતર છે. વિષ ખાવાથી મારે છે. વિષય મરણ માત્રથી મારે છે. વિષ ખાવું સારું પરંતુ વિષય ભોગ એક વખત પણ સારો નહીં. કેમકે વિષથી એકવાર મરે પણ વિષયના આસ્વાદુ નરકમાં પડે છે. તથા એકલો ગૃહસ્થને ઘેર જઈને સ્ત્રીનો વશવર્તી તેણે બોલાવેલા સમયે જઈ તેને અનુકળ વર્તતા ધર્મ કહે તો તે સમ્યક સાધુ નથી. કેમકે નિષિદ્ધ આચરણના સેવનથી અવશ્ય ત્યાં અપાય સંભવે છે. વળી કોઈ નિમિત્તથી કોઈ વૃદ્ધા આવવા સમર્થ ન હોય, ત્યારે બીજા સાધુની સહાય વિના એકલો જઈને બીજી સ્ત્રીઓ હોય અથવા કોઈ પુરુષ સાથે હોય ત્યારે સ્ત્રી-નિંદા અને વિષય-જુગુપ્સા પ્રધાન વૈરાગ્યજનક ઉપદેશ વિધિપૂર્વક કહેવો - વિધિપૂર્વક ધર્મકથન કરવું. • x • હવે કહે છે - જે મંદબુદ્ધિવાળા છે, સદ્ અનુષ્ઠાન વિચારીને વર્તમાન સુખને જોનારા છે, તેઓ પૂર્વે ધર્મ કહી, પછી તેમાં ગૃદ્ધ બનીને પાસત્થા કુશીલીયા અવસા સંસક્ત કે યથાશ્ચંદ માંના કંઈપણ થઈ આ સંબંધથી કે એકાકી અને ધર્મકથનાદિ વડે - નિંદનીક કથાથી આહાર લે છે. અથવા સ્ત્રી સાથે કથા કરનાર, દષ્ટિ મેળવનાર, પરિચય રાખનાર કે ભક્ત માનનાર રૂપ કુશીલીયા બને છે - દુરાચારી બને છે. તેરી વિકૃષ્ટ તપ કરી કાયા ગાળી નાખી હોય, તેવા સાધુ પણ આત્મહિતને માટે સમાધિમાં ગુરૂપ સ્ત્રીઓ સાથે વિચરે નહીં - રહે નહીં બળતા અંગારાના સમૂહ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy