SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરે, પણ કંટાળીને વિરૂપ ન આચરે એ રીતે સર્વકમ ફાય થાય ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં તત્પર રહે. • x • અધ્યયન-3 “ઉપસર્ગપરિજ્ઞા” ઉદ્દેશા-3નો મુની દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧/૩/૩/૨૨૦,૨૨૧ ૧૫ સંસારગમનમાં વક અને બંધ મોક્ષમાં નિપુણ એવો એક જણનારો પ્રમાણભૂત છે. આ પ્રમાણે રાગ-પ્રીતિ લક્ષણ, દ્વેષ અપીતિ લક્ષણ છે. તે બંનેથી હણાયેલ સામાવાળા અાદશીનીઓ તા વિપરીત બોધડે અdવ અયવસાયરૂપ મિથ્યાત્વની વ્યાપ્ત સતયુતિ વડે વાદ કસ્વા અસમર્સ કોધવશ થઈને અસંખ્ય વચતરૂપ કોશ તથા દંડ, મુષ્ટિ આદિ વડે મારવા તૈયાર થાય છે. તે માટે દષ્ટાંત કહે છે - જેમ સ્વેચ્છ ટંકણો દુર્જય છે છતાં બળવાન બુ વડે યુદ્ધમાં હારી જાય તો પર્વતનું શરણ લે છે, તેમ વાદમાં પરાજિત કુતીચિંકો વાદમાં હારતા આકોશનું શરણ લે છે. પણ તેથી જૈન સાધુએ સામે આક્રોશ ન કરવો. કહ્યું છે કે - આકોશ, હનન, મારણ એ ધર્મભટ બાળકને સુલભ છે પણ ધીરપુરુષ મૌનમાં વધુ લાભ માને છે. • સૂત્ર-૨૨૨ થી ૨૨૪ - વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે અને બીજા મનુષ્યો તેના વિરોધી ન બને તેવા આચરણથી પોતાનો પક્ષ રજૂ કરે. કાશ્યપ મહાવીરસ્વામીએ કહેલ આ ધમને ગ્રહણ કરીને પ્રસન્ન ચિતે, અપ્લાનભાવે મુનિ શ્વાન સાધુની સેવા કરે.. સમ્યગુર્દષ્ટિ, શાંતમુનિ મોdદાયી એવા ઉત્તમ ધમનિ જાણીને ઉપસર્ગોને સહન કરીને મોક્ષ પ્રાતિ પર્યન્ત સંયમ અનુષ્ઠાન કરે. • તે હું કહું છું. • વિવેચન-૨૨૨ થી ૨૨૪ : વધે TUT; સ્વપક્ષ સિદ્ધિ અને પરદોષ બતાવવા વગેરેમાં કે માધ્યચ્ય આદિનો આભામાં પ્રાદુભવિ જે અનુષ્ઠાનમાં થાય તે બહુ ગુણ કહે છે - પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય, નિગમન આદિ કે માધ્યસ્થ વયનવાળા અનુષ્ઠાનો સાધુએ વાદ કરતા કે અન્યદા યોજવા જોઈએ. તે જ કહે છે ચિત સ્વાચ્ય રૂપ સમાધિ જેને છે તે આત્મસમાધિક છે, કહ્યું છે કેજે જે હેતુ ટાંત સ્થાપવા વડે આત્મસમાધિ થાય અથતિ માધ્યસ્થ વયન વડે સ્વપક્ષ સિદ્ધિ કે પર અનુપઘાત થાય તેમ વાદ કરે તથા જે અનુષ્ઠાન કે વચનથી ધર્મશ્રવણ આદિ કે અન્ય પ્રવૃત્તિમાં અન્યતીર્ચેિ વિરોધ ન કરે તેમ વર્તવું. બીજાને વિરોધ ન થાય તેવું અનુષ્ઠાન કે વચન સાધુએ કરવું. આ પ્રમાણે પરમતનું નિરાકરણ કરી ઉપસંહાર વડે સ્વમત સ્થાપનાર્થે કહે છે - દુર્ગતિમાં ઘાવાથી ઘર્મ છે, તે શ્રી મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાન થયા પછી દેવ, મનુષ્યોની સભામાં યયાવસ્થિત અર્ય નિરૂપણ કરીને કહ્યો છે અને પરમતનું નિરાકરણ કર્યું છે તે સમજીને સાધુ બીજા માંઘ સાધુની વૈયાવચ્ચ કરે. કઈ રીતે કરે ? પોતાની શકિત મુજબ સમાધિ રહે તે રીતે અતિ જે રીતે આત્માને સમાધિ રહે અને પોતાના યોગો ન સીદાય તે રીતે તે ગ્લાનને સમાધિ ઉપજે તે માટે ગૌચરી આદિ લાવીને આપે. શું કસ્વાથી આ ચઈ શકે? આ ધર્મ સર્વજ્ઞપણીત, શ્રુતામિ નામક ભેદવાળો, પ્રાણીઓની અહિંસારૂપ સંદર, પ્રીતિના કારણરૂપ છે તેમ જાણીને. - સભૂત પદાર્થમાં રહેલ દેષ્ટિ તે સમ્યગ્દર્શન જેતે છે તે યથાર્થ વસ્તુને જાણનાર તથા સગ-દ્વેષ દૂર થવાથી શાંતિરૂપ છે, તે ધર્મને સુંદર સમજી અનુકૂળ * અધ્યયન-3 ઉદ્દેશો-૪ ક ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કહ્યા. તે ઉપસર્ગોથી કદાચ કોઈ સાધુ શીલથી ભ્રષ્ટ થાય, તેવા સાધુને આ ઉદ્દેશામાં બોધ આપે છે. • x • હવે સૂ • સૂત્ર-૨૨૫ થી ૨૨૮ : પૂર્વે ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ સિયિd] જળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ સાંભળી મંદ સાધુ વિષાદ પામે છે...વૈદેહી નમિરાજ આહાર ન કરીને રામગુપ્ત ભોજન કરતા, બાહુકે સચિવ જળથી, નારાયણે અચિવ જળની સિદ્ધિ પ્રાપ્ત કરી છે...મહર્ષિ-આસિલ, દેવિલ, દ્વૈપાયન અને ધારાસરે સચિત જળ-બીજ અને વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે... પૂર્વે આ મહાપરો પ્રખ્યાત અને માન્ય હતા. તેઓએ સાિત જળ અને બીજનો ઉપયોગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી એવું મેં પરંપરાએ સાંભળેલ છે. - વિવેચન-૨૫ થી ૨૨૮ : [૨૨૫-] કેટલાક પરમાર્થને ન જાણનારા કહે છે કે - મહાતુ પુરષો એવા વકલગીરી, તારાગણ કષિ વગેરે પૂર્વકાળે તપ કQાથી તપોધન હતા • તેમણે પંચાગ્નિ આદિ તપ વિશેષથી કાયાને ઘણી તપાવેલી, તેઓ કાણું પાણી પીને, ઉપલક્ષણથી કંદ-મૂલ-ક્લાદિ ઉપભોગવી કાયા પાણીના પરિભોગવી સિદ્ધિમાં ગયા. આવું સાંભળીને, તેમાં સદ્ભાવના આવેશથી અજ્ઞાની સાધુ અસ્નાનનો ત્યાગ કરીને, કાચા પાણીના પરિભોગમાં મગ્ન બની સંયમાનુષ્ઠાનમાં વિષાદ પામે છે અથવા તે કાયું પાણી પીએવાપરે-તહાય વગેરે ઉપયોગ કરે છે, પણ તે બિચારો એમ ન વિચારે કે તે તાપસ આદિ વ્રતવાળા કોઈક જાતિસ્મરણ આદિ નિમિતથી સમ્યગુદર્શન પામીને જિન કથિત ભાવ સંયમ સ્વીકારી જ્ઞાનાવરણીય આદિ કર્મ દૂર કરીને ભરતાદિ માફક મોટ્ટો ગયા છે. * * * રિર૬] કેટલાંક કુતીર્થિ સાધુને ઠગવા આમ કહે છે અથવા શીથીલ એવા જૈન સાધુ આવું કહે છે કે, વિદેહ જનપદમાં યુરોલ નમી સજા •x• ફક્ત ભોજન ન કરવાથી મોક્ષે ગયા. તથા સમગુપ્ત રાજર્ષિ આહારદિ વાપરીને મોક્ષે ગયા. બાહુક કાયું પાણી વાપરીને અને નારાયણમહર્ષિ પરિણતજળના પરિભોગથી સિદ્ધ થયા. રિર મહર્ષિ એવા આસિલ, દેવિલ, દ્વૈપાયન તથા પારાશર સયિત પાણી, બીજ, વનસ્પતિના પસ્મિોગથી સિદ્ધ થયા એવું સંભળાય છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy