SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧/૪/૮,૭૯ ૬૮ • સૂત્ર-૩૮,૭૯ : કોઈ વાદી કહે છે - પરિગ્રહી અને આરંભી મોક્ષ મેળવે છે. પણ ભાવભિક્ષ પરિગ્રહ અને આરંભરહિતને શરણે જાય...વિદ્વાન મુનિ શુદ્ધ આહારની ગવેષણા કરે અને આપેલ આહાર જ ગ્રહણ કરે. આહારમાં અમૃદ્ધ અને નિલભી બનીને અપમાનનું વર્જન કરે • વિવેચન-૭૮,૩૯ : તેઓ પરિગ્રહ - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ સહિત વર્તે છે, તેના ભાવે પણ શરીર, ઉપકરણાદિમાં મૂછવાળા રહી જીવોને દુ:ખ દેનારા વ્યાપારમાં વર્તે છે. તેના અભાવે પણ ઓશિકાદિ ખાઈને અન્યતીચિંક આદિ પરિગ્રહ અને આરંભ વડે જ મોક્ષમાર્ગને બતાવે છે - પરલોક ચિંતામાં કોઈ કહે છે - આ શિર કે મુખ મંડનાદિથી શો લાભ? ગરના અનુગ્રહથી પરમ અક્ષની પ્રાપ્તિ કે દીક્ષા પ્રાપ્તિ થાય તો મોક્ષ થાય એવું બોલનાર રક્ષણ માટે થતાં નથી. • x • ધમપકરણ પણ શરીરના ઉપભોગને માટે જ રાખનાર સ્વલા પરિગ્રહી તથા સાવધ આરંભથી રહિત, કર્મબોજથી લકા, ઉતમ નાવ સમાન, સંસાર મહોદધિચી પ્રાણીઓને તારવામાં સમર્થ છે. ઓશિક આદિના અપરિભોજી તે ભિક્ષને શરણે જા. હવે પરિગ્રહ - આરંભરહિત કેમ રહેવું તે બતાવે છે - ગૃહસ્થ • x • પોતા માટે જ ભાત વગેરે રાંધે છે તે પરસ્કૃત - x - તે ઉદ્ગમ દોષરહિત આહારને યાચે. તથા સંયમકરણમાં નિપુણ, બીજાની આશંસાના દોષથી રહિત, નિઃશ્રેયસ બુદ્ધિ વડે અપાયેલ - x • ઉત્પાદન દોષરહિત - દૂતિ, ધબી આદિ દોષ હિત આહાર લે તે ભિક્ષા ગ્રહણપણા વડે રહે - અર્થાત્ એષણા દોષ પણ પરિહરે. તથા તે આહારમાં મૂર્ષિત થયા વિના રાગ-દોષથી મુક્ત થઈ - ગૌચરીના પાંચ દોષરહિત વાપરે. તે ભિઠ્ઠા બીજાનું અપમાન ન કરે તથા તપ અને જ્ઞાન મદ ન કરે, ઉદ્દેશાનો અર્વાધિકાર કહ્યો, હવે પરવાદી મતને બતાવે છે– • સૂત્ર-૮૦,૮૧ - કોઈ વાદી કહે છે - લોકવાદને સાંભળો જોઈએ, પણ લોકવાદ વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલ છે, તેમાં બીજાની વાતનું અનુસરણ માત્ર છે...લોક અનંત, નિત્ય, શાશ્વત, અવિનાશી છે ધીરપુરષો નિત્ય લોકને અંતતાનું જુએ છે. • વિવેચન-૮૦,૮૧ - લોકવાદ-પાખંડી કે પૌરાણિકોનો મત ચયારૂં અભિપ્રાયથી કે અન્યથા બતાવે તે જાણે, એ બતાવે છે - આ સંસારમાં કોઈ એમ કહે છે - પરમાર્થથી ઉલટી પ્રજ્ઞાથી ઉત્પન્ન-dવ વિપર્યસ્ત બુદ્ધિ વડે ચેલું છે તે સિવાય બીજા અવિવેકીઓએ કહેલું તથા તેની પાછળ દોરાવું. જેમ અર્થ હોય તેથી વિપરીત ચાલનારાનું જે મંતવ્ય છે, તેની પાછળ જવું. હવે તે વિપર્યસ્ત બુદ્ધિ વડે ચેલ લોકવાદ બતાવે છે . જેનો અંત નથી તે અનંત, અન્વયરહિત નાશ વડે નાશ ન થાય એવું જે કહેલું છે તે બતાવે છે . જે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેવો આ ભવમાં હોય તેવો પભવમાં થાય છે, પુરુષ પુરુષ જ થાય ઇત્યાદિ. અથવા અનંત એટલે અપરિમિત અવધિરહિત. નિત્ય એટલે ચપટુત-અનુત્પન્ન-સ્થિર એક સ્વભાવી લોક છે. તથા નિરંતર છે માટે શાશ્વત છે - તે બે અણુ આદિ કાર્યદ્રવ્ય અપેક્ષા વડે અશાશ્વત છતાં કારણ દ્રવ્ય પરમાણુવનો ત્યાગ કરતો નથી તથા દિશાદિ અપેક્ષાઓ વિનાશ પામતો નથી. વળી તેનો અંત હોવાથી તે અંતવાનું લોક છે, તેઓ તેને સાતદ્વીપ પરિમાણ કહે છે તે પરિમાણવાળો નિત્ય છે, એવું કોઈ સાહસિક બીજી રીતે અર્થનું પ્રતિપાદન કરવાથી ઉલટું દેખે છે. આ પ્રમાણે અનેક ભેદ ભિન્ન લોકવાદને સાંભળે. તથા અને લોક નથી, બ્રાહ્મણ દેવતા છે ઇત્યાદિ નિયુક્તિક લોકવાદને જાણે. - વળી - • સૂમ-૮૨,૮૩ - કોઈ કહે છે - લોક અપરિમિત જાણી શકાય છે, પણ પીયુષ તેને સર્વત્ર પરિમિત જુએ છે. શાસ્ત્રકાર કહે છે-] આ લોકમાં ત્રણ કે સ્થાવર જેટલા પણ પ્રાણી છે, તે તેમનો પર્યાય છે. જેથી તે ત્રસ કે સ્થાવરપણે [અચાન્ય) ઉત્પન્ન થાય છે.. • વિવેચન-૮૨,૮૩ - ક્ષેત્રથી કે કાળથી જેનું પરિમાણ નથી તે ‘અપરિમાણ’ કોઈ તીર્થિક એવું માને છે. અાથવુિ અપરિમિતજ્ઞ એવો અતીન્દ્રિય દૈટા, તે સર્વજ્ઞ નથી. અથવા અભિપ્રેત અર્થ અતીન્દ્રિયદર્શી. તેઓ કહે છે - બધું જુઓ કે ન જુઓ, પણ ઇષ્ટ અર્થને જરૂર જુઓ કેમકે કીડાની સંખ્યાનું પરિજ્ઞાન આપણે શા કામનું ? આ લોકમાં સર્વજ્ઞાને ઉડાવનાર વાદીનો આ મત છે તથા સર્વ ક્ષેત્ર અને કાળને આશ્રીને જાણવા યોગ્ય કમપણાને પામેલ પરિમાણની સાથે સપરિમાણ થાય તે સપરિચ્છેદ બુદ્ધિ. તેના વડે શોભે તે ધીર, * * * * * ઇત્યાદિ અનેક પ્રકારે લોકવાદ પ્રવર્યો છે. તેનો ઉત્તર જૈનાચાર્યો આપે છે - ત્રાસ પામે તે બસ-બેઇન્દ્રિયાદિ. પ્રાણી તે સવ, ત્રસવને પામે છે. સ્થાવસ્થાવર નામકર્મના ઉદયથી પૃથ્વીકાય આદિ છે. જો તેમનો લોકવાદ સત્ય હોય, તો જે આ જન્મમાં મનુષ્યાદિ હોય તે અન્ય જન્મમાં પણ તેવો જ થાય. તેથી સ્થાવર અને બસના તાËશવને લીધે દાન, અધ્યયન, જપ, તપ આદિ સર્વે અનર્થક છે. લોકમાં પણ અન્યથાપણું કહ્યું છે. જેમકે - વિષ્ટા સહિત બાળેલ, મરીને શિયાળ થાય છે. તેથી સિદ્ધ થયું કે સ્થાવર કે બસનું પોતાના કર્મ અનુસાર પરસ્પર સંક્રમણાદિ અનિવારિત છે. તથા અનંત અને નિત્ય લોક છે, તેમ કહ્યું તે જો પોતાની જાતિને ન ઉચ્છેદવા વડે નિત્યતા કહો તો અમારા ઇચ્છા મુજબ પરિણામનું અનિત્યત્વ સિદ્ધ થયું, પણ અપટુત્વ, અનુત્પન્ન આદિથી નિત્યસ્વ માનો તો તે ન ઘટે. કેમકે જે પ્રત્યક્ષ છે તેને બાઘા પહોંચે ઇત્યાદિ * * * * * તમારું કહેવું અસતુ છે. કેમકે બધું જ ઉત્પાદ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy