________________
૧/૧/૩/૬૮
પ્રલાપમાત્ર છે.
ઇંડામાંથી લોક ઉત્પન્ન થયો તેમ કહેવું પણ અયોગ્ય છે, કેમકે જો પાણીમાંથી ઇંડુ ઉત્પન્ન થયું તો પાણી ઇંડા વિના ઉત્પન્ન થયું, એ રીતે લોક ઉત્પત્તિ પણ માનો તો શો વાંધો ? જો બ્રહ્મા ઇંડુ ચે તો લોક કેમ ન રચે ? આવી કષ્ટવાળી અયુક્તિથી
ઇંડાની કલ્પના શા માટે કરવી ? જો એમ જ હોય તો કેટલાંક કહે છે - બ્રહ્માના મુખથી બ્રાહ્મણ ઉપજ્યા, ભુજામાંથી ક્ષત્રિય ઇત્યાદિ, એ પણ અયુક્તિ જ છે. કેમકે મુખાદિથી કોઈની ઉત્પત્તિ સંભવની નથી. કદાચ થાય તો પણ એકમાંથી ઉત્પન્ન
થયેલમાં વર્ણોનો ભેદ ન સંભવે તથા બ્રાહ્મણોના પેટા ભેદો ન થાય, જનોઈનો સદ્ભાવ ન થાય, ભાઈ-બહેનને પરણે તેવું નક્કી થાય. આવી અસત્ કલ્પના ન માનવી.
૬૩
જૈનદર્શન પ્રમાણે લોક-અનાદિ, અનંત, ઉર્ધ્વ-અધો ૧૪ રાજ પ્રમાણ, વૈશાખ સંસ્થાન-કેડે બે હાથ દઈ, પગ પહોળા કરી ઉભેલા પુરુષ જેવો, અધો મુખ મલ્લકાકાર સાત પૃથ્વીમય, થાળી આકારે અસંખ્ય દ્વીપસમુદ્રાત્મક મધ્યલોક, ઉપર-નીચે બે
દાબડાના આકારે ઉર્ધ્વ લોક છે. તે ધર્માદિ દ્રવ્યાર્ચથી નિત્ય અને પર્યાયથી ક્ષણક્ષી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે રાત્, અનાદિ જીવ-કર્મ સંબંધથી અનેક ભવપ્રપંચથી વિસ્તારવાળો અને આઠકર્મરહિત લોકાંત યુક્ત છે, પણ તત્વથી અજાણવાદી જૂઠું બોલે છે - હવે તેમના અજ્ઞાનનું ફળ કહે છે–
• સૂત્ર-૬૯ :
અશુભ અનુષ્ઠાનથી દુઃખ ઉત્પન્ન થાય છે, તેમ જાણવું. જે દુ:ખની
ઉત્પત્તિ નથી જાણતા તે નિવારવાનો ઉપાય કઈ રીતે જાણે ?
• વિવેચન-૬૯ :
મનને અનુકૂળ તે મનોજ્ઞ-શોભન અનુષ્ઠાન. અમનોજ્ઞ-અસત્ અનુષ્ઠાન, જે દુઃખનો ઉત્પાદ છે તેને ન જાણતાં તેઓ ઈશ્વર આદિ ઉપર દુઃખની ઉત્પત્તિ મુકે છે. કહ્યું છે કે - સ્વકૃત્ અસત્ અનુષ્ઠાનથી જ દુઃખનો ઉદ્ભવ થાય છે, બીજાથી નહીં, છતાં ઉક્તવાદીઓ ઈશ્વરાદિથી દુઃખનું ઉત્પાદન બતાવે છે, તેઓ કઈ રીતે દુઃખ નિવારણનો હેતુ જાણે ? નિદાનના ઉચ્છેદ વિના નિદાનીનો ઉચ્છેદ ન થાય. તેઓ નિદાનને જ જાણતા નથી, તો દુઃખના ઉચ્છેદ માટે કઈ રીતે પ્રયત્ન કરે? કરે તો પણ દુઃખ દૂર ન થાય પણ જન્મ-જરા-મરણરૂપ દુઃખદાયી સંસારમાં વારંવાર ભટકે છે. હવે બીજી રીતે કૃતવાદીમતને બતાવે છે–
• સૂત્ર-૭૦,૭૧ :
કોઈ વાદી કહે છે - આત્મા શુદ્ધ અને પાપરહિત છે, પણ ક્રીડા અને પદ્વેષને કારણે તે જ અપરાધ કરે છે...આ મનુષ્યભવમાં જે મુની સંવૃત્ત રહે છે, પછી પાપરહિત થાય છે, જેમ વિકટ જળ નિરજ, સરજ થાય છે.
• વિવેચન-૩૦,૭૧ ૩
આ કૃતવાદીના પ્રસ્તાવમાં ઐરાશિક-ગોશાલકના મતાનુસાર જેઓમાં ૨૧
૬૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સૂત્રો પૂર્વગત ત્રિરાશિક સૂત્ર પરિપાટીએ માનેલા છે, તે કહે છે કે - આ આત્મા મનુષ્યભવમાં જ શુદ્ધાચારી થઈ, બધો મેલ છોડીને અકલંક થઈ મોક્ષમાં સર્વ કર્મરહિત થાય છે. એવું ગોશાલકમતીઓ કહે છે. વળી આ આત્મા શુદ્ધત્વ તથા અકર્મકત્વ એ બે અવસ્થાવાળો થઈ ક્રીડા કે દ્વેષથી તે મોક્ષમાં રહેલો ફરી રજથી
લેપાય છે. કહ્યું ચે કે - પોતાના શાસનની પૂજા અને બીજાનો પરાભવ જોઈને હર્ષ થાય છે, ઉલટું થતાં દ્વેષ થાય છે. આ ક્રીડા અને દ્વેષથી ક્ત થયેલ આત્મા જેમ રજરહિત વસ્ત્ર મેલું થાય તેમ આ જીવ મોક્ષમાં મલીન થઈને કર્મના ભારથી ફરી સંસારમાં અવતરે છે, આ અવસ્થામાં તે સકર્મક થઈ ત્રીજી રાશિ અવસ્થાવાળો થાય છે.
વળી આ મનુષ્યભાવ પામીને દીક્ષા લઈ સંવૃત્ત આત્મા થઈ પછી અપાપક થાય છે - સર્વ કર્મકલંકરહિત થાય છે. ફરી - ૪ - મુક્તિમાં જાય છે. ફરી - ૪ - રાગદ્વેષનો ઉદય થતાં મલીનાત્મા બની જેમ રજરહિત પાણી રજમુક્ત બને તેમ આ આત્મા અનંતકાળે સંસારના ઉદ્વેગથી શુદ્ધાચાર બનીને મોક્ષ પામી કર્મરહિત થાય છે. ફરી નવા કર્મોથી બંધાય છે. આ ત્રિરાશિક મત થયો. કર્મરહિત-કર્મસહિતકર્મરહિત ત્રણ અવસ્થા છે.
કહ્યું છે કે - બળેલ લાકડું પાછું સળગે, તેમ ભવને પ્રમથન કરીને નિર્વાણને પણ અનિશ્ચિત - ૪ - માને છે, મુક્ત થઈને પરાર્થમાં શૂર બની તારું શાસન ત્યજનાર માટે આ મોહરાજ્ય છે.
• સૂત્ર-૭૨,૭૩ -
મેધાવી પુરુષ આ વાદોનો વિચાર કરીને બ્રહ્મચર્યમાં વાસ કરે. બધાં વાદીઓ પોત-પોતાના દર્શનોનું આખ્યાન કરે છે...મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, અન્યથા નહીં, વશેન્દ્રિયને આ લોકમાં સર્વ ઇષ્ટ કામભોગની પ્રાપ્તિ થાય છે.
• વિવેચન-૭૨,૭૩ :
ઉક્ત વાદીઓને વિચારીને બુદ્ધિમાન કે મર્યાદા વ્યવસ્થિત સાધુ એમ ચિંતવે કે આ ત્રિરાશિક અને ઈશ્વરકૃત્ લોકવાદી બ્રહ્મચર્ય કે સંયમ અનુષ્ઠાનમાં ન રહે કેમકે તેમનો આ અભિપ્રાય છે કે સ્વદર્શન પૂજા કે તિરસ્કારથી કર્મબંધ થાય છે. - ૪ - રાગદ્વેષ થતાં શુદ્ધિનો અભાવ થતાં મોક્ષનો અભાવ થાય છે. [વાસ્તવિક રીતે આ વાત ખોટી છે] કેમકે સર્વથા કર્મકલંકરહિત, યથાવસ્થિત વસ્તુ તત્ત્વના જ્ઞાતા, સ્તુતિ કે નિંદામાં સમભાવ રાખી, રાગ-દ્વેષના અનુસંગના અભાવે કર્મબંધ થાય કઈ રીતે? કર્મબંધના અભાવે સંસારમાં અવતરણ કેમ થાય?
તેઓ કંઈક અંશે દ્રવ્ય બ્રહ્મચર્ય પાળે છતાં સમ્યગ્ જ્ઞાન અભાવે સમ્યગ્ અનુષ્ઠાન ન કરે. વળી તે બધાં વાદીઓ પોત-પોતાના દર્શનના અનુરાગથી વખાણનારા હોય, તેમાં વિવેકીએ આસ્થા ન કરવી.
હવે બીજી રીતે કૃતવાદીનો મત કહે છે - તે શૈવ, એકદંડી આદિ કૃતવાદી