________________
૧/૧/૧/૧૩
અમૂર્ત હોવાથી આકાશની માફક તેનું નિષ્ક્રિયપણું છે. તથા કહ્યું છે કે આત્મા અકર્તા, નિર્ગુણ, ભોક્તા છે. એમ સાંખ્ય મતમાં કહ્યું છે. આ પ્રમાણે આત્મા અકાસ્ક છે. તે સાંખ્યમતવાળા તેનાથી પણ વિશેષ ધૃષ્ટતા ધરીને વારંવાર કહે છે. પ્રકૃતિ કરે છે તે પુરુષ ભોગવે છે. બુદ્ધિથી નિશ્ચય કરાયેલો અર્થ પુરુષ સમજે છે. આ અકાકવાદીનો મત છે. હવે તે જીવ-તે શરીર અને અકાકવાદી મતનું ખંડન કરે છે—
૩૯
• સૂત્ર-૧૪ :
જે લોકો આત્માને અકર્તા કહે છે, તેમના મતે આ લોક કઈ રીતે સિદ્ધ થશે ? તે પ્રમત્ત અને આરંભમાં આસક્ત લોકો એક અજ્ઞાન અંધકારમાંથી બીજા અજ્ઞાન-અંધકારમાં જાય છે.
• વિવેચન :
હવે પૂર્વોક્ત તે જીવ - તે શરીરવાદી, ભૂતોથી અવ્યતિક્તિ આત્મા એ મતનું નિરાકરણ કરે છે—
તેઓ કહે છે - “શરીસ્થી આત્મા ભિન્ન નથી' એ અયોગ્ય છે, કેમકે તેનું સાધક પ્રમાણ છે, તે આ પ્રમાણે - [વૃત્તિનો સાર રજૂ કરેલ છે– જેનો આકાર પ્રતિનિયત છે, તેનો કર્તા વિધમાન છે. જેમકે ઘડો, તેનો કર્તા કુંભાર છે. જેનો કર્તા અવિધમાન છે, તેનો આકાર પ્રતિનિયત નથી. જેમકે - આકાશ, દંડ, ચક્ર વગેરેનો અધિષ્ઠાતા છે અને અધિષ્ઠાતા સિવાય કરણપણાની ઉપપત્તિ નથી. ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા આત્મ છે, તે આત્મા ઇન્દ્રિયોથી જુદો છે. વળી જ્યાં જ્યાં આદાન-આદેય સદ્ભાવ ત્યાં ત્યાં વિધમાન આદાતા [ગ્રાહક] જણાય છે. જેમકે - સાણસો અને લોઢાનો પિંડ, એ બંનેથી જુદો ‘લુહાર' છે. તેમ ઇન્દ્રિયો એ કરણ છે, તેના વડે વિષયોનો ગ્રાહક તે તેનાથી ભિન્ન આત્મા છે. વિધમાન ભોગવવા યોગ્ય શરીર છે.
વળી તમે “સત્વો ઉપપાતિક નથી' એમ કહો છો, તે પણ અયુક્ત છે કેમકે તે જ દિવસે જન્મેલો બાળક સ્તનપાન કરવાને ઇચ્છે છે - ૪ - તે બાળક જ્યાં સુધી સ્તનનો નિશ્ચય ન કરે ત્યાં સુધી રોવાનું છોડતો નથી, પછી સ્તનમાં મુખ લગાડે છે, તેથી સિદ્ધ થાય છે કે બાળકમાં વિજ્ઞાન છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે અને તે વિજ્ઞાન એ પૂર્વભવનું જ્ઞાન છે. તેથી સત્વ ઉપપાતિક [જન્મ લેનાર છે, વળી તમે કહો છો–
વિજ્ઞાન ધન વ તેયા નો અર્થ પણ આવો છે.
વિજ્ઞાનના સમૂહરૂપ આત્મા, પૂર્વકર્મ વશ તેવા કાય આકાર રૂપે પરિણત ભૂત સમુદાયમાં પૂર્વકર્મ ફળ ભોગવીને, પછી તેનો વિનાશ થતાં આત્મા પણ તે કાય આકારે વિનાશ પામીને બીજા પર્યાય વડે ઉત્પન્ન થાય છે, પણ [શરીર નાશ પામતા]
તેની સાથે આત્મા વિનાશ પામતો નથી.
વળી તમે કહ્યું કે - ધર્મી [આત્મા] ના અભાવથી ધર્મ અર્થાત્ પૂન્ય-પાપનો પણ અભાવ છે, તે પણ અયોગ્ય છે. કેમકે ધર્મી અર્થાત્ આત્મા પૂર્વે બતાવ્યા પ્રમાણે સિદ્ધ કર્યો છે, તે સિદ્ધ થતાં તેના ધર્મો એવા પૂન્ય-પાપ પણ સિદ્ધ જ છે, કેમકે
४०
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
જગમાં તેવું વૈચિત્ર્ય દેખાય જ છે.
વળી તમે સ્વભાવને આશ્રીને પત્થરનું દૃષ્ટાંત આપ્યું. તે પણ તેના ભોગવનારના કર્મના વશથી જ તે તે પ્રમાણે સંવૃત્ત છે તેથી પૂન્ય અને પાપનો સદ્ભાવ નિવારી શકાય તેમ નથી. [પૂન્ય, પાપ છે.] - ૪ - ૪ - ભૂતોથી વ્યતિક્તિ અને પરલોકગામી આત્મા સિદ્ધ કરેલો હોવાથી તમે જે દૃષ્ટાંતો આપો છો તે વ્યર્થ બકવાસ જ છે.
ભૂતોથી અલગ આત્મા નથી તેમ કહેનારા ચતુર્ગતિરૂપ સંસારમાં ભવ-ભ્રમણ કરનારા છે, તે પૂર્વે બતાવ્યું છે - સુભગ, દુર્ભાગ, સુરૂપ કુરૂપ, ધની, નિર્ધન આદિ કારણે જગત્ વિચિત્ર લક્ષણો આ લોક છે. આત્માને ન સ્વીકારવાથી આવો લોક કઈ રીતે થાય? કઈ રીતે ઘટી શકે ?
તે નાસ્તિકો પરલોકગામી જીવ ન માનવાથી પૂન્ય-પાપનો અભાવ માની વ્યર્થ અજ્ઞાનરૂપ અંધકારમાંથી બીજા અંધકારમાં જાય છે અને ફરી પણ જ્ઞાનાવરણીયાદિ રૂપ મહા અંધકારને એકઠો કરે છે. અથવા દુઃખસમૂહ વડે સત્-અસત્ વિવેક નાશ થવાથી યાતના સ્થાનથી વિશેષ અંધકારવાળા સ્થાને અર્થાત્ સાતમી નસ્કપૃથ્વીમાં રીવ, મહારૌરવ, કાલ, મહાકાલ, અપ્રતિષ્ઠાન નરકાવાસમાં જાય છે.
તે જડ-મૂર્ષો, આત્મા સિદ્ધ હોવા છતાં અસઆગ્રહથી આત્માનો અભાવ માનીને જેને વિવેકીજનો એ નિંદેલ છે તેવા જીવ-ઘાતક આરંભમાં નિશ્ચયથી-નિત્ય સંબદ્ધ થઈને પૂન્ય-પાપનો અભાવ માની, પરલોકનો અભાવ માની આરંભમાં અતિ રક્ત બને છે.
તથા તે જીવ-તે શરીરવાદીના મતનું નિર્યુક્તિકારે પણ નિર્યુક્તિ-૩૩માં ખંડન કર્યું છે. હવે અકારવાદીના મતને ફરી કહે છે–
જે આ અકારવાદી આત્માના અમૂર્તત્વ, નિત્યત્વ, સર્વવ્યાપીત્વ હેતુઓથી નિષ્ક્રિયપણું માની બેઠા છે તેઓના આ જરા-મરણ-શોકાદિ લક્ષણવાળો, નકાદિ
ચાર ગતિરૂપ જે લોક છે - x - ૪ - તે કઈ રીતે સિદ્ધ થાય ? - X - તેથી તેઓ પૂર્વોક્ત નકાદિ યાતના સ્થાનમાં જાય છે. કેમકે તે જડ લોકો પ્રાણીને દુઃખ દેનારા આરંભમાં રક્ત છે.
હવે નિયુક્તિકાર અકારવાદી મતનું ખંડન કરવા કહે છે–
[નિ.૩૪] આત્માનું અકતૃત્વ હોવાથી [આત્માએ] કર્યું નથી, ત્યારે ન કરેલાનું વેદન કોણ કરે ? વળી અક્રિયપણામાં વેદન ક્રિયા પણ ન ઘટે તથા ન કરેલાનું પણ અનુભવેલ માનો તો ન કરેલાનું આવવું અને કરેલાનો નાશ એવી આપત્તિ આવશે. તેનાથી એકે કરેલ પાપને બધાં પ્રાણીએ ભોગવવાનો વખત આવશે અને પૂન્યથી સુખ આવશે. પણ આવી વાત દેખાતી નથી તથા આત્માના વ્યાપિત્વ અને નિત્યત્વ ચકી આત્માની નક, તિર્યંચ, દેવ, મનુષ્ય, મોક્ષ પાંચ ગતિ છે, તે પણ નહીં થાય. તેથી તમારા સાંખ્યમતીને કષાય વસ્ત્રો, શિરમુંડન, દંડધારણ, ભિક્ષાભોજન આદિ અનુષ્ઠાન - ૪ - ૪ - ઇત્યાદિ સર્વે નિષ્ફળ થશે.
વળી - દેવ, મનુષ્યાદિ ગતિ - આગતિ નહીં થાય કેમકે આત્માનું તમે