SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨/-/૬૩૦ ૧૪૯ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઇન્દ્ર-સામાનિક-કાયષ્ટિાંશ-લોકપાલઆત્મરક્ષક-પર્ષદા-પ્રકીર્ણ એવી વિવિધ સમૃદ્ધિને પામે છે. આભિયોગિક કે કિબિષિકાદિમાં ઉત્પન્ન થતા નથી. તેથી કહ્યું છે કે - x • મહાદ્ધિ આદિ સહિત દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે દેવો આવા પ્રકારના થાય છે, તે દશવિ છે– તે દેવો વિવિધ તપ-ચરણાદિ ઉપાર્જેલા શુભકર્મો વડે મહાગઠદ્ધિ આદિ ગુણોયુક્ત હોય છે, ઇત્યાદિ સામાન્ય ગુણ વર્ણન છે. તેમાં હારથી શોભતું વક્ષસ્થળ ઇત્યાદિ, આભરણ-વસ્ત્ર-પુષ્પવર્ણક, ફરી અતિશય બતાવવા માટે દિવ્યરૂપાદિના પ્રતિપાદના કરતા કહે છે - દિવ્યરૂપવાળા યાવત દિવ્ય દ્રવ્યલેશ્યાયુકત દશે દિશામાં ઉધોત કરતાં તથા પ્રભાસિત કરતા દેવલોકરૂપ શુભ ગતિ વડે શીઘરૂપ કે પ્રશસ્ત વિહાયોગતિરૂપ કલ્યાણકારી ગતિ અને ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિવાળા હોય છે. તથા આગામી ભવે ભદ્રક, શોભન મનુષ્યભવરૂપ સંપદા પામીને તથા સદ્ધમાં પામીને મોક્ષે જનારા થાય છે. આ સ્થાન આર્ય, એકાંતે સમ્ રૂપ-સુસાધુ છે એ રીતે બીજા ધર્મપક્ષ સ્થાનને કહ્યો. • સૂત્ર-૬૭૧ - હવે ત્રીજા મિશ્રાક્ષ સ્થાનનો વિભાગ કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશામાં કેટલાંક મનુષ્યો રહે છે. જેવા કે - અોછાવાળા, ભાભી, પરિગ્રહી, ધાર્મિક, ધમનુગ યાવન ધર્મ વડે જ જીવન ગુજારનારા હોય છે. તેઓ સુશીલ, સુવતી, સુપત્યાનંદી, સાધુ હોય છે. એક તરફ તેઓ નવજીવ પ્રાણાતિપાતથી વિરd, બીજી તરફ અવિરત ચાવતુ જે તેવા પ્રકારના સાવધ, અબોધિક, બીજાના પ્રાણોને પરિતાપકત છે માટે તેઓ ર્કિંચિત આપતિવિરત છે [અથતિ દેશવિરત-દેશઅવિરત છે.) કેટલાંક શ્રમણોપાસકો જીવ-અજીવ સ્વરૂપના જ્ઞાતા, પુણા-પાપને જાણતા, આસવ-સંવર-વેદના-નિર્જ-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષના જ્ઞાનમાં કુશળ હોય છે. તેઓ અસહાય હોવા છતાં દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંનસ, કિંધરા, ગરુડ, ગંધd, મહોરમ આદિ દેવગણોથી તેઓ નિર્થીિ પ્રવચનથી ચલિત કરાવાઈ શકાતા નથી. a શ્રાવકો નિગ્રન્થ પ્રવચનમાં નિઃશંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ હોય છે. તેઓ લધા, ગૃહિતાર્થ, પુચ્છિતાર્થ, વિનિશ્ચિતાર્થ અભિગતાણું, અસ્થિમજાવતું ધમનુિરાગી હોય છે. તેઓ કહે છે - નિન્જ પ્રવચન જ સાર્થક, પરમાર્થ છે, બાકી અનક છે. તેઓ સ્ફટિકવત સ્વચ્છ હોય છે. તેમના દ્વાર ખુલ્લા રહે છે, અંતર કે પગૃહ પ્રવેશના ત્યાગી છે, ચૌદશ-આઠપૂનમ-અમાસમાં પ્રતિપૂર્ણ પૌષદને સમ્યફ પાળનારા, શ્રમણ-નિગ્રન્થોને પ્રસુક ઔષણીય આશન, પાત, મધ, વાધ વડે, વસ્ત્ર, પw, કંબલ, પાદપોંછનક, ઔષધ, મૈસજ, પીઠફલક, શરણા, સંથર વડે પ્રતિલાભિત કરતા ઘણાં શીલ-વ્રત-ગુણત્યાગ-ચકખાણ-પૌષધોપવાસ વડે સ્વીકૃત તપોકમ વડે આત્માને ભાવતા વિચરે છે. ૧૫૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેઓ આવા પ્રકારનું જીવન જીવતા ઘણાં વર્ષો શ્રાવકપચિ બળે છે, પાળીને બાધા ઉત્પન્ન થાય કે ન થાય ઘણાં ભાપચ્ચકખાણ કરે છે, કરીને અનરાન વડે ઘણાં ભોજનનો છેદ કરે છે. છેદીને આલોચના તથા પ્રતિક્રમણથી સમાધિ પામીને મૃત્યુ અવસરે મરીને કોઈ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે. તે આ રીતે - મહાકહિત, મહાધુતિ ચાવત મહાસુખ પામે છે. યાવતું બધું પૂર્વવત્ જાણવું. આ સ્થાન આર્ય ચાવતુ એકાંત શ્રેષ્ઠ છે. આ બીજ મિશ્રસ્થાનનો વિભાગ કહ્યો. અવિરતિને આશ્રીને “બાલ' કહે છે, વિરતિ આશ્રિત “પંડિત’ કહેવાય છે. વિરતાવિરત આશ્રિત “બાલપંડિત’ કહેવાય છે. તેમાં જે સર્વથા અવિરતિ છે, તે સ્થાન આરંભસ્થાન, અનાર્ય, યાવત અસર્વદુ:ખ પક્ષીણમાર્ગ છે, એકાંતમિથ્યા, અશોભન છે. તેમાં જે સર્વથા પાપોથી વિરત છે તે સ્થાન નારંભ, આર્ય ચાવતું સર્વ દુઃખ નયનો માર્ગ છે, એકાંત સમ્યફ છે. તેમાં જે વિસ્તાવિરત (દેશવિરd] સ્થાન છે તે આરંભ-નોઆરંભ સ્થાન છે. આ સ્થાન પણ આર્ય છે યાવતું સર્વ દુઃખ ક્ષયનો માર્ગ છે તે એકાંત સમ્યફ અને ઉત્તમ છે. • વિવેચન-૬૩૧ : હવે ત્રીજા ‘મિશ્ર’ નામના સ્થાનનો વિભાગ કહે છે - અહીં જો કે મિશ્રપણાને કારણે ધર્મ-અધર્મ બંનેનો સમાવેશ છે, તો પણ ધર્મના વિશેષપણાથી ધાર્મિકપક્ષમાં તેનો સમાવેશ થાય છે. [સ૬૬૬ કરતા આ વ્યાખ્યા ભિન્ન જણાય છે, તે વિચારવું કેમકે જેમાં ઘણાં ગુણો છે, તેમાં અય દોષ હોય તો બધાંને દૂષિત કરી શકતો નથી. જેમ ચંદ્રની ચાંદનીમાં કલંક વિત કરતું નથી, ઘણાં પાણી મળે મૃચ્છક પાણીને કલુષિત નથી કરતો તેમ અધર્મ પણ થોડો હોય તો ધર્મપક્ષ દુષિત ન થાય. આ જગતમાં પૂર્વાદિ દિશામાં કેટલાક શુભકર્મી મનુષ્યો છે. જેવા કે - જેમને થોડા પરિગ્રહ-આરંભમાં અંત:કરણની પ્રવૃત્તિ છે, તેવા ધાર્મિકવૃતિવાળા પ્રાયઃ સુશીલ, સુવતી, સુપાનંદી, સાધુ હોય છે. તેઓ ચૂળનો સંકલ્પ લઈ પ્રતિનિવૃત્ત થાય છે અને સૂક્ષ્મ આરંભ આદિથી અવિરત રહે છે. આ રીતે બધાં વ્રતો સમજી લેવા. (જેમકે - સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત ઇત્યાદિ]. - આ રીતે સામાન્યથી નિવૃત્ત કહ્યા તેના વિશેષ ગુણો કહે છે - કોઈ સાવધનકાદિગમન હેતુરૂપ કર્મસમારંભોથી, કોઈ યંગપીલન, નિલછિન, ખેતી આદિથી નિવૃત્ત અને કય-વિષયથી અનિવૃત હોય છે. તેને વિશેષથી દશવિવા કહે છે. જેઓ વિશિષ્ટ ઉપદેશાર્થે શ્રમણોની ઉપાસના કરે છે, તે શ્રમણોપાસક છે, તેઓ શ્રમણોની ઉપાસનાથી જીવાજીવ સ્વભાવના જ્ઞાતા તથા પુન્ય-પાપનું સ્વરૂપ સમજનારા છે. [અહીં ફૂમની પ્રતિમાં વિવિધ સૂો દેખાય છે. પૂર્વની ટીકા સાથે મળતા બધાં ફૂષ પાઠો જ હોવાથી અમે એક સુઝપાઠને આધારે ટીકા લખી છે - તેમ ટીકાકાર elliાંકાચાર્યજી જણાવે છે.) તે શ્રાવકો બંધ-મોક્ષના સ્વરૂપના જ્ઞાતા હોવાથી ધર્મથી ચલિત ન થતાં, મેરુ જેવા નિશ્ચલ અને આહ દર્શનમાં દેઢ હતા. આ વિષય સહેલાઈથી સમજાય તે માટે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy