SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૦/-/૪૭૭ થી ૪૮૦ દીક્ષિત થઈ ફરી દીન અને પતિત બને છે, કોઈ પૂજા-પ્રશંસા કામી બને છે...નિકામ-અતિ આધાકર્મી આહારની ઇચ્છાથી વિચરે તે પતિત થાય છે. તે અજ્ઞાની સ્ત્રીમાં આસકત બની પરિગ્રહ કરતો પાપની વૃદ્ધિ કરે છે. • વિવેચન-૪૭૭ થી ૪૮૦ : ૨૧૯ [૪૭૭ પૂર્વોક્ત પ્રત્યેક-સાધારણમાં ઉપતાપ પામતા જીવોને અજ્ઞાની કે અજ્ઞાની નહીં તેવાઓ સંઘન, પરિતાપન, અપદ્રાવણાદિ કૃત્યોથી પ્રકર્ષથી પાપકર્મ કરતો તે જ પૃથ્વીકાયાદિમાં જન્મી અનંતવાર સંઘન, પરિતાપનાદિથી પીડાઈદુઃખી થાય છે. પાઠાંતર મુજબ-દૃષ્ટાંત આપે છે - જેમ ચોર કે પરસ્ત્રી લંપટ પોતાના અસત્ કાર્યો થકી હાથ-પગનું છેદાવું કે વધ-બંધનના દુઃખ અહીં જ ભોગવે છે. તેમ અનુમાનથી બીજા પાપકર્મકારી આ કે પરલોકમાં દુઃખી થાય છે. ક્યાંક કૃતિ પાઠ છે. તે મુજબ અશુભકર્મ વિપાકોને જોઈ-સાંભળી-જાણીને તે અસત્ અનુષ્ઠાનથી મુક્ત થાય. કેવા પાપસ્થાનોથી છૂટે? જીવહિંસા, જીવહત્યાના હેતુથી છૂટે. કેમકે તેનાથી અશુભ-જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે તથા બીજા નોકર આદિને જીવહિંસામાં રોકીને પાપકર્મ કરે છે. તુ શબ્દથી મૃષાવાદ આદિ કરતો કરાવતો પાપકર્મ બાંધે છે. [૪૭૮] મીન - બધી રીતે કરુણાવાળી, વૃત્તિ - અનુષ્ઠાન, ધંધો. જેમકે - કૃપણ, વનીપક આદિને આદીનવૃત્તિ છે, તો પણ પાપકર્મ કરે છે. પાઠાંતરથી ‘આદીનભોજી’ પણ પાપ કરે છે. કહ્યું છે કે - ટુકડા માટે પણ ભટકતો દુરાચારી નરકથી છૂટતો નથી. તેને કોઈ વખતે સારો આહાર ન મળે તો અજ્ઞાનતાથી આઈ-રૌદ્ર ધ્યાનથી સાતમી નકે પણ જાય. જેમકે - રાજગૃહીમાં ઉત્સવ માટે નીકળેલ લોકોને કોઈ ભીખારી વૈભારગિરિની શિલા મારવા તૈયાર થયો, પણ તે પડી જતા મર્યો, આ રીતે આદીનભોજી પણ પાપકર્મ કરે એમ વિચારી તીર્થંકર, ગણધર આદિએ અત્યંત એકાંત ભાવરૂપ જ્ઞાનાદિ સમાધિ સંસાર પાર ઉતરવા કહી છે. દ્રવ્ય સમાધિ સ્પર્શાદિ સુખ આપે તે અલ્પકાલીન અને અંતે અવશ્ય અસમાધિ આપનારી છે. તથા કહ્યું છે - જો કે સેવાતા વિષયો મનને સંતોષ આપે છે પણ પછી કિંપાક ફળની માફક દુઃખ દેનારા થાય છે. આ પ્રમાણે તત્ત્વ જાણતો તે જ્ઞાનાદિ ચારે પ્રકારની સમાધિમાં રહીને અથવા આહાર-ઉપકરણ-કષાય પરિત્યાગરૂપ દ્રવ્ય તથા ભાવમાં રત રહી કેવો થાય છે, તે બતાવે છે - દશ પ્રકારના પ્રાણોના વિનાશથી વિસ્ત રહી, જેનો આત્મા સમ્યગ્ માર્ગમાં રહેલો છે અથવા પાઠાંતરથી જેની લેશ્યા શુદ્ધ આત્મ વડે નિર્મળ છે તે. [એવો થાય છે.] [૪૭૯] ચ-અચર પ્રાણિસમૂહને સમપણે જોવાના આચારવાળો સમતાનુપ્રેક્ષી કે સમતાપશ્યક છે. કોઈનો પ્રિય કે અપ્રિય નથી. કહ્યું છે કે - બધા જીવોમાં તેનો કોઈ દ્વેષી કે પ્રિય નથી. તથા જેમ મને દુઃખ પ્રિય નથી ઇત્યાદિ. સમતાધારી કોઈનું પ્રિય કે અપ્રિય ન કરે. પણ નિઃસંગપણે વિચરે એ પ્રમાણે સંપૂર્ણ ભાવ સમાધિયુક્ત સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થાય. કોઈ ભાવસમાધિથી સભ્યતાયા દીક્ષા લઈ પરીષહ-ઉપસર્ગથી પીડાઈ દીનભાવ પામીને ફરી ખેદ કરે છે કે વિષયાર્થી બને. કોઈ ગૃહસ્થ થાય. રસ-સાતા ગારવ ગૃદ્ધ કે પૂજા સત્કારનો અભિલાષી થઈ, તેના અભાવે પાસસ્થો બની ખેદ પામે. કોઈ વસ્ત્રપાત્રાદિથી પૂજન ઇચ્છે. કોઈ પ્રશંસા ઈચ્છુક બની વ્યાકરણ, જ્યોતિષ, નિમિત્ત શાસ્ત્રો ભણે. ૨૨૦ [૪૮૦] વળી સાધુને ઉદ્દેશીને બનાવેલ-આધાકર્મી એવો આહાર, ઉપકરણાદિની જે અતિ પ્રાર્થના કરે તે નિામીણ કહેવાય. તથા અતિ ઇચ્છાથી આધાકર્માદિ કે તેના નિમિત્તે નિમંત્રણાદિથી જે જાય તે પાસત્યો, અવસન્ન, કુશીલોના સંયમ જેવા પતિત ભાવને ઇચ્છે છે અને સઅનુષ્ઠાનમાં સીદાઈને સંસાર-કાદવમાં ખૂંચે છે. સ્ત્રીમાં આસક્ત બની તેણીની વાણી, હાસ્ય, મુખ આદિ શરીર-અવ્યયોમાં રાગી બની વિવેક રહિત અજ્ઞ માફક તેણીનું મન મનાવવા દ્રવ્ય વિના તેની કાર્યસિદ્ધિ ન થાય માટે જેવા તેવા કોઈપણ વ્યાપાર વડે દ્રવ્ય સંગ્રહાર્થે પરિગ્રહ કરતો પાપકર્મોને બાંધે છે - તથા - • સૂત્ર-૪૮૧ થી ૪૮૪ : વૈરાનુવૃદ્ધ પુરુષ કર્મનો સંચય કરે છે, અહીંથી મરીને દુઃખરૂપ દુર્ગન પામે છે, તેથી મેધાવી ધર્મની સમીક્ષા કરી સર્વતઃ વિપમુકત થઈ વિચરે... લોકમાં જીવિતાર્થી ધન સંચય ન કરે, અનાસક્ત થઈ ઉધત થઈ વિચરે, નિશમ્યભાષી અને વિનીત ગૃદ્ધ થઈ હિંસાયુકત કથા ન કરે.. આધાકર્મીની ઇચ્છા ન કરે, ઇચ્છા કરનારનો સંસ્તવ ન કરે, અનુપેક્ષા પૂર્વક સ્થૂળ શરીરની પરવા કર્યા વિના તેને કૃશ કરે... એકત્વની પ્રાર્થના કરે, આ જ મોક્ષ છે, તે મિથ્યા નથી, આ મોક્ષ જ સત્ય અને શ્રેષ્ઠ છે, તે જુઓ. તેનાથી યુક્ત અક્રોધી, સત્યરત, તપવી બને છે. • વિવેચન-૪૮૧ થી ૪૮૪ : [૪૮૧] જેવા તેવા બીજાને ઉપતાપરૂપ કર્મ વડે વૈર બંધે છે, તે સેંકડો જન્મ સુધી સાથે જાય છે. તે વૈરમાં વૃદ્ધ પાઠાંતરથી આરંભમાં આસક્ત-દયા વગરનો દ્રવ્યસંચય કરી તે નિમિત્તે કર્મો બાંધે છે. આ રીતે વૈર બાંધી, કર્મનો સંચય કરીને, અહીંથી મરી બીજા ભવમાં જઈને નકાદિ યાતના સ્થાનરૂપ વિષમ સ્થાનોમાં જાય છે. તેથી વિવેકી કે મર્યાદાવાળો સાધુ સમાધિગુણને જાણતો શ્રુત અને ચાસ્ત્રિ નામક ધર્મની સમીક્ષા કરી-સ્વીકારી સાધુ બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત થઈ સર્વ સંયમાનુષ્ઠાનોને મોક્ષગમનના એક હેતુરૂપ માનીને આરાધે. સ્ત્રી તથા આરંભોથી મુક્ત બનીને અનિશ્રિત ભાવથી વિચરે. - વળી - [૪૮૨] આવક એટલે દ્રવ્યાદિનો લાભ અથવા દ્રવ્ય નિમિત્તે થતો આઠ પ્રકારના કર્મનો લાભ. આ લોકમાં ભોગપ્રધાન જીવનનો અર્ચી ન થાય અથવા આજીવિકાભયથી દ્રવ્યસંચય ન કરે. પાઠાંતથી - ૪ - ઇન્દ્રિયોનો સ્વવિષય અભિલાષ ન ઇચ્છે, તથા ગૃહ, પુત્ર, સ્ત્રી આદિનો મોહ ન કરતો ઉધુક્તવિહારી બને. તથા
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy