SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૧/ગ-૪૦૩ થી ૪૦૬ ૧૮૯ જેને જેવું પ્રિય લાગે તેવું તેને કહે છે - અનુભાષણ કરે છે. પડઘા માફક અથવા સેવક માફક જેમ રાજા આદિ બોલે, તેમ તેના હજુરીયાઓ બોલે છે, એ જ રીતે સાધુ દાતાને સેવતો-અનુસરતો આહારમાં વૃદ્ધ બનેલો હજુરીયા માફક બધું જ કરે છે. તે આવો ખુશામતખોર (સાધુ) સદાચાર ભ્રષ્ટ પાર્થસ્થ ભાવને જ પામે છે અને કુશીલતાયુકત થાય છે. તથા જેમાંથી ચાસ્ત્રિ નામનો સાર ચાલ્યો ગયો છે, તે વિસ્તાર છે અથવા જેમાંથી સાર નીકળી ગયો છે, તે વિસ્તાર છે. નિઃસારપણું જેમાં વિધમાન છે, તે નિઃસારવાનું છે. જેમ ફોતરામાં દાણા ન હોય, તેમ આ સંયમાનુષ્ઠાનને નિઃસાર બનાવે છે. એવો તે માત્ર સાધુનો વેશ રાખે છે. તેથી સ્વજુથના જૈિન સાધુમાંના] ઘણાં સાધુમાં તિરસ્કારને પામે છે અને પશ્લોકમાં પણ અત્યંત પીડા સ્થાનો એવા નિરકાદિ] સ્થાનોને પામે છે. કુશીલો કહ્યા, હવે સુશીલોને કહે છે. • સૂત્ર-૪૦૭ થી ૪૧૦ : મુનિ અજ્ઞાત કુળના આહારથી નિવહિ કરે, તપથી પૂજાની આકાંક્ષા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ કામભોગોની વૃદ્ધિ દૂર કરે. ધીર મુનિ બધાં સંબંધોને છોડીને, બધાં દુઃખોને સહન કરીને બિલ, અમૃદ્ધ, અનિકેતચારી, ભયંકર, અકલુષિત આત્મા બને. મુનિ સંયમની રક્ષા કરવા આહાર કરે, પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. દુઃખ દૂર કરવા સંયમને સાચવે, સંગ્રામશષ બની કામનાઓને દમે. પરીષહાદિથી પીડાતા સાધુ બંને બાજુથી છોલાતા પાટિયા માફક રાગદ્વેષ ન કરતા મૃત્યુની પ્રતિક્ષા કરે. આ રીતે કર્મક્ષય કરતાં જેમ ધરી તુટતા ગાડું ન ચાલે, તેમ કમ તુટતા સંસાર ચાલતો નથી - તેમ હું કહું છું. • વિવેચન-૪૦૩ થી ૪૧૦ : [૪૦] અજ્ઞાત પિંડ એટલે અંતપ્રાંત અથવા પહેલાના કે પછીની ઓળખાણ કાઢ્યા વિના આહાર લેવો તે અજ્ઞાત પિંડ છે. તેવો આહાર ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત કરીને પોતાને પાળે-જીવન વીતાવે. એવું કહે છે કે - સંતપ્રાંત આહાર મળે કે આહાર ઓછા-વતો મળે તો પણ દીનતા ન કરે. જો ઉત્કૃષ્ટ આહાર મળે તો મદ ન કરે. તપ વડે પૂજા-સકાર ન ઇચ્છે-પૂજા સત્કાર માટે તપ ન કરે. જો પૂજા સરકારના નિમિતથી તપ કરે તો તેવા પ્રકારના અર્થીપણાથી મોટા સાધુ પણ મુકિતહેતુક કરાયેલ કોઈપણ તપને તિસાર ન કરે. તે જ કહ્યું છે કે - પરલોકમાં શ્રેષ્ઠ સ્થાન અપાવનાર તપ અને શ્રુત એ બે છે. તેનાથી સંસારી વાંછા કરવાથી તેમાંથી સાર નાશ પામે છે અને ઘાસના તણખલા માફક તે તપ-શ્રુત થાય છે. જેમ રસમાં આસક્તિ ન કરે, તેમ શબ્દાદિમાં પણ ન કરે, તે કહે છે - વેણુ, વિણા આદિના શબ્દો સાંભળીને તેમાં આસક્તિ ન કરે, કર્કશવયનોમાં દ્વેષ ન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં રાગ-દ્વેષ ન કરે. એ રીતે બધાં કામ વિકારોમાં વૃદ્ધિ છોડીને સંયમનું પાલન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં સર્વથા રાગ-દ્વેષ ન કરે. તે જ કહે છે - શબ્દો સુંદર કે ખરાબ હોય, તે કાનના વિષયમાં પ્રાપ્ત થતા સાધુએ તેમાં ખુશ કે નાખુશ ન થવું. રૂપ સુંદર કે ખરાબ દૈષ્ટિ સન્મુખ આવે ત્યારે સાધુએ હર્ષ કે રોષ ન કરવો. નાકના વિષયમાં આવેલ સુગંધ કે દુર્ગધમાં સાધુ કદી તુષ્ટ કે રુટ ન થાય. રસનાના વિષયમાં મનોજ્ઞ કે અમનોજ્ઞ ભોજન પ્રાપ્ત થતા સાધુ કદી ખુશ કે નાખુશ ન થાય. સ્પર્શના વિષયમાં પ્રાપ્ત સ્પર્શ ભદ્રક હોય કે અભદ્રક, સાધુ તેનાથી રતિ કે અતિ ન પામે. [૪૮] જેવી રીતે ઇન્દ્રિયોનો વિરોધ કરે, તે રીતે બીજાના સંગનો પણ વિરોધ કરે તે બતાવે છે - સર્વે સંબંધો, અંતરથી સ્નેહલાણ અને બાહ્યથી દ્રવ્ય પરિગ્રહ લક્ષણ. તે બંનેનો છોડીને વિવેકી સાધુ શરીર-મનનાં પરીષહ-ઉપસર્ગ જનિત દુ:ખોની ઉપેક્ષા કરીને સમ્યક રીતે સહેતો જ્ઞાન-દર્શનચાસ્ત્રિ વડે સંપૂર્ણ બને છે તથા કામભોગમાં આસકત ન બનીને અપ્રતિબદ્ધવિહારી બને તથા જીવોને અભય કરનારો, ભિક્ષણશીલ ભિક્ષુ-સાધુ એ રીતે વિષય-કષાયથી આકુળ ન બનતાં આત્માને સ્થિર રાખીને અનાવિલ આત્મા બની સંયમમાં અનુવર્તે. [૪૯] સંયમભાર યાત્રા અર્થાત્ પંચ મહાવ્રતના ભારના નિવહિને માટે ત્રણ કાળને જાણનાર મુનિ આહાર ગ્રહણ કરે. તથા પૂર્વે આરિત કર્મો - અશુભ કર્મોને પૃથક્ કરવા • વિનાશ માટે આકાંક્ષા કરે. વળી તે ભિક્ષુ દુ:થતુ પરીષહઉપસર્ગજનિત પીડાથી વ્યાપ્ત થઈ સંયમ કે મોક્ષને ગ્રહણ કરે - (તેમાં ધ્યાન રાખે જેમ કોઈ સુભટ કોઈ યુદ્ધમાં મોખરે ઉભો હોય, શત્રુઓથી પીડાતો હોય, તો પણ શત્રુઓનું દમન કરે છે, એ રીતે સાધુ પરીષહ-ઉપસર્ગોથી પીડાવા છતાં પણ કમણુઓનું દમન કરે. [૪૧] પરીષહ-ઉપગોંથી હણાવા છતાં • પીડા પામવા છતાં સતયા સહન કરે - કોની માફક? પાટિયાની માફક. જેમ સુતાર પાટિયાને બંને પડખેથી. છોલીને પાતળું તથા સરખું કરે છે, પણ તે રાગ-દ્વેષ કરતું નથી તેમ આ સાધુ પણ બાહ્ય અને અત્યંતર તપસહિત, પોતાના દેહને ખૂબ તપાવવાથી દુર્બળ શરીરવાળો થાય તો પણ રાગ-દ્વેષ ન કરે અને મૃત્યુની પ્રાપ્તિની અભિલાષા કરે. આ પ્રમાણે આઠ પ્રકારના કમોંને દૂર કરીને, ફરી જન્મ, વૃદ્ધત્વ, મરણ, શોક આદિ પ્રપંચો નટ માફક જેમાં ફેલાય તે સંસાર છે, તેને પામતો નથી. જેમ અક્ષ-ધરી, તેનો વિનાશ થતાં ગાડું વગેરે સમ-વિષમ માર્ગે ધરીના આધાર વિના ચાલી ન શકે. તેમ સંસારના ઉપખંભના કારણોના અભાવે સંસાર ચાલી શકતો નથી. કેમકે સાધુને આઠ પ્રકારની કર્મનો ક્ષય થતા સંસારરૂપી પ્રપંચ પ્રાપ્ત ન થાય. અનુગમ પુરો થયો. નયો પૂર્વવત્ જાણવા. કૃતિ શબ્દ અધ્યયનની સમાપ્તિ સૂચવે છે, ત્રવામિ શબ્દ પૂર્વવત્ જાણવો. શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૭, “કુશીલપરિભાષિત”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy