________________
૧/૧/૬/ભૂમિકા
૧૦૩
૧૦૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રસજ, સંવેદજ સંમૂર્છાિમ, ઉદ્ભિજ્જ અને ઔપાતિક. આ (ત્રસજીવોનું ક્ષેત્ર જ) સંસાર કહેવાય.
• વિવેચન :
આનો અનંતપરંપર સંબંધ પૂર્વવત જાણવો. જે મેં ભગવંતના મુખકમળમાંથી નીકળેલ વાણી વઘારેલી છે, તેનાથી પ્રાપ્ત થયેલ તવ તમને કહું છું. બેઇન્દ્રિયાદિ બસ જીવો છે. તેના કેટલા ભેદો કયા પ્રકારે છે - તે ભગવંતે કહ્યા મુજબ કહું છું
૧. અંડજ - જે ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. પક્ષી, ગીરોળી વગેરે. ૨. પોતજ - પોત સાથે જન્મે છે, હાથી, ગીદડ, જળો વગેરે. 3. જરાયુજ - જરાયુથી વીંટાયેલા હોય છે, ગાય, ભેંસ, બકરા, મનુષ્ય
વગેરે.
જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે થી નવ લાખ સાગરોપમ જાણવા.
હવે નિકમણ અને પ્રવેશ કહે છે - જઘન્યથી એક, બે ત્રણ અથવા ઉત્કૃષ્ટ પરિમાણથી પ્રતરના અસંખ્યય ભાગ પરિમાણવાળા છે.
હવે નિરંતર પ્રવેશ અને નિર્ગમ સંખ્યા
[નિ.૧૫૯] જઘન્ય પરિમાણથી નિરંત૫ણે પ્રસકાયમાં ઉત્પત્તિ અને નિષ્ક્રમણ એક સમયે બે કે ત્રણ થાય. ઉત્કૃષ્ટથી આવલીકાનો અસંચેય ભાગ મગ કાળ સુધી નિરંતર નિકમ-પ્રવેશ હોય. એક જીવની અપેક્ષાઓ સકાયમાં નિરંતર રહેવાનો કાળ જઘન્યથી અંતમુહૂતકાળ અથ િદતમુહૂર્ત રહીને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી ૨૦૦૦ સાગરોપમકાળ બસ ભાવે નિરંતર રહે છે.
પ્રમાણ દ્વાર પૂરું. હવે ઉપભોગ, શસ્ત્ર અને વેદના એ ત્રણ દ્વારો કહે છે
[નિ.૧૬] માંસ, ચામડી, વાળ, રોમ, નખ, પીછાં, નાડી, હાડકાં, શીંગડા આદિમાં ત્રસકાયના અંગોનો ઉપભોગ થાય છે. ખગ, તોમર, છરી, પાણી, અગ્નિ આદિ ત્રસકાયના શા છે તે અનેક પ્રકારે છે. તે સ્વકાય, પસ્કાય, મિશ્ર તથા દ્રવ્ય, ભાવ ભેદથી અનેક પ્રકારે છે. પ્રસંગોપાત્ તેની વેદના જણાવે છે - વેદના બે પ્રકારે - શરીરથી અને મનથી.
શરીરની વેદના શલ્ય, સળી વગેરે વાગવાથી થાય. મનની વેદના પ્રિયનો વિયોગ અને પ્રતિકૂળ સંયોગ આદિથી થાય. અનેક પ્રકારના તાવ, અતિસાર, ખાંસી, શાસ, ભગંદર, માથાનો રોગ, શૂલ, મસા વગેરેથી ઉત્પન્ન થયેલી તીવ્ર હોય.
હવે વિસ્તારથી ઉપભોગનું સ્વરૂપ કહે છે–
[નિ.૧૬૧,૧૬૨] માંસને માટે હરણ, સૂઅર આદિ મરાય છે, ચામડી માટે ચિનક આદિ, વાળ માટે ઉંદર આદિ, પીંછા માટે મોર, ગીધ, કપિચર આદિ, પુચ્છને માટે ચમરી ગાય આદિ અને દાંતને માટે હાથી, વરાહ આદિનો વધ થાય છે. અહીં કેટલાક પૂર્વે કહેલા પ્રયોજનથી હણે છે અને કેટલાંક પ્રયોજન વિના માત્ર ક્રીડાર્થે હણે છે. કેટલાક પ્રસંગ દોષથી હણાય છે. જેમકે મૃગને તાકીને મારેલા બાણથી વરસે આવેલા કપોત, કપિલ, પોપટ, કોયલ, મેના વગેરેને હણે છે તથા કર્મ તે ખેતી વગેરે અનેક પ્રકારના છે. તેમાં પ્રવૃત્ત કે આસકત ઘણાં બસકાયને હણે છે. જેમકે દોરડાથી મારે, ચાબુક તથા લાકડીથી તાડન કરે, તેનો જીવથી વિયોગ કરાવે ઇત્યાદિ. આ પ્રમાણે દ્વારોને કહીને હવે ઉપસંહાર માટે કહે છે
[નિ.૧૬૩] જે દ્વારો કહ્યા તે સિવાયના બાકીના દ્વારે પૃથ્વીકાય જેવાં જ સમજવા. પૃથ્વીકાયના સ્વરૂપને જણાવવા કહેલ ગાથા ત્રસકાયના ઉદ્દેશામાં જાણવી.
હવે સૂત્રાનુગમમાં ખલિતાદિ ગુણયુક્ત સૂત્રને કહે છે
સૂત્ર-૪૯ - હું કહું છું - આ બધા પ્રસ પાણી છે. જેમકે - અંડજ, પોતજ, જરાયુજ,
૪. રસજ - ઓસામણ, કાંજી દૂધ, દહીં આદિમાં સથી જે ઉત્પન્ન થાય છે. પાયુકૃમિ આકૃતિવાળા અત્યંત સૂક્ષ્મ જીવો રસજ છે.
૫. સંસ્વેદન - પરસેવાથી ઉત્પન્ન થાય છે. માંકડ, જુ, શતપદિકા વગેરે. ૬. સંપૂર્ઝનજ - પતંગીયા, કીડી, માખી વગેરે.
છે. ઉદ્ભિજ્જ • ઉભેદનથી ઉત્પન્ન થાય છે. પતંગીયા, ખંજરી, પારીપ્લવ વગેરે.
૮. ઔપપાતિક - ઉપાતથી ઉત્પન્ન થનારા નારક અને દેવ.
આ પ્રમાણે સંસારી જીવોના આઠ જ ભેદ છે. આ આઠ જ પ્રકારે સંસારી જીવોનો જન્મ થાય છે. તેવાર્થ સૂમના અધ્યાય-૨, સૂગ-૩૨ માં પણ કહ્યું છે. (૧) સંમૂર્ધનજ - રસજ, સ્વેદ, ઉભેદજ. (૨) ગર્ભજ - અંડજ, પોતજ, જરાયુજ, (3) ઉપપાતજ - દેવ, નાક આ ત્રણ જ પ્રકારે જન્મ કહ્યો છે. અહીં તેના ઉત્તભેદ સહિત કથન છે.
આ આઠ પ્રકારમાં સર્વે સંસારી ત્રસ જીવો સમાય છે. તેના સિવાય કોઈ અન્ય નથી. આ ત્રસ જીવો આઠ પ્રકારની યોનિ પામે છે. જે બાળક, શ્રી આદિને પ્રત્યક્ષ જ છે. ‘ત્તિ 'શબ્દથી ત્રસ જીવોનું ત્રણે કાળમાં અસ્તિત્વ સિદ્ધ થાય છે. સંસારજગતુ ક્યારેય ત્રસજીવથી હિત ન હોય. આ અંડજ આદિ પ્રાણિનો સમૂહ જ સંસાર છે. એમ કહીને ત્રસકાયોનો ઉત્પત્તિ પ્રકાર આ સિવાય બીજું કોઈ નથી તેમ બતાવ્યું.
હવે આ આઠ પ્રકારના ત્રસ જીવોમાં કોણ કોણ જીવ ઉત્પન્ન થાય તે કહે છે
સૂત્ર-પ૦ :મંદ અને અજ્ઞાની જીવને આ સંસાર હોય છે. • વિવેચન :
મંદના બે ભેદ છે - (૧) દ્રવ્યમંદ - અતિ ચૂળ કે અતિ દુર્બળ. (૨) ભાવમંદ • મંદ બુદ્ધિવાળો બાલ અને કુશાસ્ત્ર વાસિત બુદ્ધિવાળો, આ પણ બુદ્ધિના અભાવે બાલ જ છે. અહીં ભાવ-મંદનો અધિકાર છે. હિ-અહિતને ન જાણનારો, વિશેષ સમજના અભાવે તે બાલ છે. આવા બાલજીવને જ સંસારમાં પરિભ્રમણ રહે