SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર * ચૂલિકા-૨, સપ્તિકા-૨ “નિષિધિકા” ૬ આ ચારમાંથી કોઈ એક પ્રતિજ્ઞાને સ્વીકારીને યાવ4 બધાં પ્રત્યે સમાન ભાવ રાખી વિયરીશ. કોઈને કંઈ કહીશ નહીં એ જ સાધુ-સાધ્વીનો સમગ્ર આચાર છે, તેનું પાલન કરી સંયમમાં યતના રાખે. • વિવેચન પૂર્વોક્ત ભિક્ષ જો સ્થાનમાં રહેવા ઇચ્છે તો તે પ્રામાદિમાં પ્રવેશ કરે, પ્રવેશીને ઉર્થસ્થાનાદિ અર્થે સ્થાનને શોધે. તે જો ઇંડા યાવત્ કરોળીયાના જાળાવાળું પાસુક મળે તો પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે એ પ્રમાણે બીજી પણ સૂત્રો “શય્યા” માફક સમજી લેવા. * * * હવે પ્રતિજ્ઞાને આશ્રીને કહે છે, પૂર્વોક્ત અને હવે પછી કહેવાનાર દોષવાળા સ્થાનો છોડીને ચાર અભિગ્રહ વિશેષને ક્રમથી કહે છે પહેલી પ્રતિજ્ઞા • કોઈ ભિક્ષ એવો અભિગ્રહ છે કે હું અચિત સ્થાને રહીશ તથા કાયા વડે અયિત ભીંત આદિનો ટેકો લઈશ, પરિસ્પદ - હાથ-પગનું આકુંચનાદિ કરીશ, ત્યાં જ થોડા પગલા વિહસ્વા રૂપ સ્થાનનો આશ્રય કરીશ. બીજી પ્રતિજ્ઞામાં આકુંચન, પ્રસારણ આદિ ક્રિયા કરીશ ટેકો લઈશ પણ પાદ વિતરણ નહીં કરું. બીજી પ્રતિજ્ઞામાં આકુંચન પ્રસારણ કરીશ પણ પાદ વિહરણ કે ટેકો લેવાનું નહીં કરું. ચોથીમાં આ ત્રણે નહીં કરું. ચોથી પ્રતિજ્ઞાઘાક સાધુ આવો થાય પરિમિત કાલ માટે કાયાના મમત્વનો ત્યાગી, પોતાના વાળ, દાઢી-મૂછ, રોમ, નખ આદિના મમત્વનો ત્યાગી, સમ્યક્ નિરુદ્ધ સ્થાને રહીને કાયોત્સર્ગ કરતા મેરુ વતુ નિપ્રકંપ બને. કોઈ તેના વાળ વગેરે ખેંચે તો પણ સ્થાનથી ચલિત ન થાય. અન્ય પ્રતિમધારીને હલકો ન માને, પોતે અહંકારી ન બને કે તેવા કોઈ વચન ન બોલે. ચૂલિકા-૨, સપ્લિકા-૧ “સ્થાન”નો ટીકાસહિત અનુવાદ પૂણો o પહેલી કહીને હવે બીજી સપ્તિકા કહે છે. સંબંધ આ રીતે : પૂર્વની [સપ્તિકા) અધ્યયનમાં ‘સ્થાન' બતાવ્યું. તે કેવું હોય તો સ્વાધ્યાય યોગ્ય થાય ? તે સ્વાધ્યાય ભૂમિમાં શું કર્યું ? શું ન કરવું ? આ સંબંધે આ અધ્યયન આવેલું છે. એના ચાર અનુયોગદ્વાર છે. તેમાં નામ નિપજ્ઞ નિક્ષેપે “નિષિચિકા' એવું નામ છે, તેના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ છ પ્રકારે નિક્ષેપ છે. નામ, સ્થાપના પૂર્વવત્ છે. દ્રવ્ય નિપીયનો આગમચી જ્ઞ શરીર ભવ્યશરીર છોડીને જે દ્રવ્ય પ્રચ્છન્ન હોય તે છે. ફોગ નિશીય તે બ્રહ્મલોકના રિષ્ઠ વિમાનની પાસે કૃણરાજીઓ જે ફોમમાં છે કે, કાળનિશીય તે કૃષ્ણ રાત્રિ અથવા જે કાળ નિશીથનું વર્ણન ચાલે તે, ભાવનિશીથ તે નોઆગમથી આ અધ્યયન કેમકે તે આગમનો એક દેશ છે. • સૂગ-૪૯૮ : તે સાધુ-સાદની પાસુક સ્વાધ્યાય ભૂમિમાં જવા ઇચ્છે અને તે નિષિશિકા [સ્વાધ્યાય ભૂમિ) ને જાણે કે તે જીવજંતુ યુકત છે તો તેની ભૂમિને પાસુક જાણી ગ્રહણ ન કરે. પણ જે તે પ્રાણ, બીજ વાવતુ ગળા વગરની ભૂમિ જાણે તો પાસુક સમજી ગ્રહણ કરે. ઇત્યાદિ શસ્ત્રા અધ્યયન મુજબ ૩('Ivસૂત પત્તિ જાણી લેવું. સ્વાધ્યાય ભૂમિમાં ત્રણ ચાર કે પાંચના સમુહમાં સાધુઓ જવા ઇચ્છો તો, ત્યાં પરસ્પર કાયાને આલિંગન આદિ તથા ચુંબન કે દાંત અને નથી છેદન ન કરે. આ સાધુ સાધ્વીનો આચાર છે. જે સર્વ અર્થણી સહિત થઈ, સમિત થઈ, સદા પ્રયત્નપૂર્વક પાળે અને પોતાના માટે શ્રેયકર માને. તેમ હું કહું છું. • વિવેચન : તે ભાવભિક્ષુ જો વસતિની અયોગ્યતાને લીધે બીજી સ્વાધ્યાય ભૂમિમાં જવા છે, તે ભૂમિ જો જીવજંતુ યુક્ત જાણે તો પાક નખીને ગ્રહણ ન કરે ઇત્યાદિ * * * * * શસ્યા અધ્યયન મુજબ નવું. ત્યાં જઈને શું કરે ? તે વિધિ કહે છે - ત્યાં બે, ત્રણ કે વધુ સાધુ જાય પછી પરસ્પર માત્ર સંસ્પર્શ ન કરે, જેનાથી મોહ ઉદય પામે તેવી ચા ન કરે, કંદર્પપઘાત ઓઠ ચુંબનાદિ કિયા ન કરે. એ તે ભિક્ષુનો ભિક્ષુભાવ છે કે પરલોકના પ્રયોજન વડે યુક્ત તથા પાંય સમિતિથી જીવનપર્યન્ત સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે અને એ જ શ્રેયકર છે તેમ માને. એ પ્રમાણે હું કહું છું. ચૂલિકા-૨, સપ્તિકાર “નિષિધિકા” ટીકાસહિત અનુવાદ પૂર્ણ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy