SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૯ : સાધ્ય. ૨૭ ભૂમિકા છે અધ્યયન - ૨૭ “ખલંકીય” છે. ૦ છવ્વીસમું અધ્યયન કહ્યું, હવે સત્તાવીસમું કહે છે તેને આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં સામાચારી કહી. તે અશઠપણે જ પાળવી શક્યા છે. તેના વિપક્ષરૂપ શઠતા જ્ઞાન અને તેના વિવેકથી જ આ જણાય છે, તે આશયથી દષ્ટાંત વડે શઠતા સ્વરૂપ નિરૂપણ દ્વારથી અશઠતા જ આના વડે જણાવી દે છે, તે સંબંધે આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગ દ્વારા પ્રરૂપણા પૂર્વવત યાવત નામ નિષ્પન્ન નિક્ષેપે “ખલંકીય” એ નામ છે, તેથી “ખલુંક' શબ્દનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૪૧, ૪૯૨ + વિવેચન - ખલુંક' શબ્દનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે. યાવત જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત ત્રણ ભેદોનો આગમથી કહેલા છે. વિશેષ એ કે બળદના ગ્રહણથી અશ્વ આદિ પણ દૃષ્ટાંતમાં સમજી લેવા. બળદ આદિમાં ગળીયો બળદ આદિ લેવા, તે દ્રવ્યથી ખલુંક, તે સર્વે અથોમાં પ્રતિકૂળ છે. ભાવથી જ્ઞાનાદિમાં ખલુંક લેવા. તવ્યતિરિક્ત કહે છે - • નિર્યુક્તિ - ૩૯૩ થી ૪૫ + વિવેચન - અવદારે અર્થાત ગાડાનો કે સ્વામીનો વિનાશ કરે, ઉત્સસક - જે કંઈપણ જોઈને ત્રાસ પામે, યોગ-યુગનો વિનાશ કરે છે. તથા તોત્ર - પ્રાજનક - તેને ભાંગે છે, ઉન્માર્ગ અને વિરૂપ માર્ગ બંનેથી જવાના સ્વભાવવાળો છે. એવો વિશેષણ વાળો તે બળદ, અશ્વ આદિ હોય છે. આ જ વાત બીજા પ્રકારે કહે છે - જે કોઈ દારુ આદિ મધ્યમાં ધૂળપણાથી કુન્જ, તેના કઠિનપણાથી કર્કશ, અતિ નિચિત પુદગલપણાથી ગુટક, તેથી જ દુખે કરીને નમાવવા શક્ય હોય તે કરીકાષ્ઠવત, તે દ્રવ્યોમાં ખલુંક - અનુજુપણાથી ખલુંક, વિશિષ્ટ કૌટિલ્યયોગથી કુટિલ, ગાંઠો વડે વ્યાપ્ત છે. આજ વાત દષ્ટાંતથી કહે છે- ઘણો કાળ પણ વક્ર અને અવધારમ ફળપણાથી વક જ થાય છે, કદાપી બાજુ ભાવને અનુભવતા નથી. એક સ્વરૂપથી સરળ નથી, બીજો તેના કોઈ કાર્યમાં અનુપયોગથી કોઈ વડે અનૃજુ કરાય છે. કરમર્દી - તેવું લાકડું, ગજાંકુશ માફક વક્રપણાથી વૃત છે. અનેક પ્રકારે દ્રવ્યખલુંકનું અભિધાન છે. - *-. હવે સર્વ અર્થમાં ભાવથી ખલુંકને બતાવતા કહે છે - • નિર્યુક્તિ - ૪૯૬ : વિવેચન - દંશમશક સમાન - તુલ્ય, તે પણ જાતિ આદિથી તેની જેમ જ કરડે છે. જલકા કપિકચ્છક સમાન જે શિષ્યો છે, તે દોષગ્રાહીતાથી પ્રસ્તુત પૃચ્છાદિથી ઉઢેજકપણાથી તેવા હોય છે. જેમ વીંછી કાંટા વડે વીંધે છે, તેમ જે શિષ્યો ગુરુને વચનકંટક વડે વિંધે છે. તે આવા પ્રકારના ભાવખલુંક કહેવાય છે. તીક્ષ્ણ - અસહિષ્ણુ, મૃદુ - આળસથી કાર્ય, કારણ પ્રત્યે અદક્ષ, ચંડ • કોપપણાથી, માઈવિકા - સો વખત ગુરુ વડે પ્રેરાયા છતાં સમ્યમ્ અનુષ્ઠાન પ્રત્યે ના પ્રવર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy