________________
૨00
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૫૪૨/૨ સૂત્રાર્થ સ્પષ્ટ છે. હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે - • સૂત્ર ૧૫૪૩ થી ૧૫૪૬ -
(૧૧૪૩) પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
(૧૫૪૪) પૃવીકાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨૦૦૦ વર્ષ અને જધન્ય સ્થિતિ - આયુ અંતમુહુત કહેલ છે.
(૧૫૪૫) પ્રતીકાયિકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની, જધન્ય કાય સ્થિતિ અંતમુહૂર્ત છે. પૃથ્વીના શરીરને ન છોડીને નિરંતર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતા રહેવું તે ફાયસ્થિતિ છે.
(૧પ૪૬) પૃથ્વીના શરીરને એક વખત છોડીને ફરી પૃથ્વીના જ શરીરમાં ઉત્પન્ન થવામાં વચ્ચેનો અંતરકાળ જધન્ય અંતમહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
• વિવેચન - ૧૫૪૩ થી ૧૫૪૬ -
સંતતિ - પ્રવાહ, પ્રવાહથી ક્યારેય પણ અભાવનો અસંભવ હોવાથી તે અનાદિ અનંત છે. ભાવસ્થિતને આશ્રીને સાદિ સાંત છે. કેમકે બંનેમાં તેનું નિયત કાળપણું છે. - X- X- *
આયુ - જીવિત, તેની સ્થિતિ - અવસ્થાન. - x-x
કાય - પૃથવીકાય, તેમાં જે સ્થિતિ - તેમાથી ઉદ્વર્તન થયા વિના તેમાં જ રહેવું તે પૃથ્વી જીવોની કાયસ્થિતિ છે. પૃથ્વી રૂપ કાયાને ત્યજ્યા વિના જે સ્થિતિ છે તે - x*- હવે બીજા પ્રકારે અંતરકાળ કહે છે. તેમાં પૃથ્વી જીવોનું પોતાની જ કાયામાં ફરી ઉપજવું અર્થાત પૃથ્વીકાયથી ઉદ્વર્તીને જે ફરી વખત તે જ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવું તે.
આને જ ફરી ભાવથી કહે છે – • સૂત્ર - ૧૫૪૭ -
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તો પૂedીના પૃથ્વીના હજારો ભેદ કહેલા છે -
• વિવેચન - ૧૫૪૭ -
વર્ણાદિના ભાવરૂપcથી તેના સંખ્યાબેદના અભિધાનત્વ થકી આ ભાવ અભિધાયિતા છે. ઉપલક્ષણથી તે હજાર છે. વર્ષાદિના તારતમ્યથી ઘણાં ભેદપણાથી અસંખ્ય ભેદતા પણ સંભવે છે.
આ પ્રમાણે પૃથ્વી જીવોને બતાવીને હવે અપજીવો કહે છે - • સૂત્ર - ૧૫૪૮ થી ૧૫૫૫ -
(૧૫૪૮) અપકાય જીવના બે ભેદ છે - સુક્ષ્મ અને બાર તે બંનેના પણ બબ્બે ભેદ છે . પતિ અને અપતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org