________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
(૧૭) યોગ - પુલાકાદિ બધાંને ત્રણે યોગો હોય છે, સ્નાતક સયોગી કે અયોગી હોય. (૧૮) ઉપયોગ - પુલાકાદિને મત્યાદિ ચારે ભેદથી સાકાર ઉપયોગ અને ચક્ષુ આદિ ત્રણ ભેદે અનાકાર ઉપયોગ હોય છે. સ્નાતકને કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગ હોય છે. (૧૯) કપાય - પુલાક, બકુશ અને પ્રતિસેવકોને સંજ્વલ કષાયો વડે ચાર કષાયો, કષાય કુશીલને ચારે સંજવલન ક્રોધાદિમાં ત્રણ, બે કે એક હોય, નિગ્રન્થો અકષાયી હોય પણ તે ઉપશમથી કે ક્ષયથી હોય. સ્નાતકો ક્ષીણકષાયી જ હોય.
૨૦૪
(૨૦) લેશ્યા - પુલાક, બકુશ, પ્રતિસેવકને પીત્, પદ્મ, શુકલ નામક ત્રણ લેશ્યા હોય. કષાય કુશીલને છ એ લેશ્યામાં હોય, નિગ્રન્થને શુકલ લેશ્યા હોય. સ્નાતકને તે જ લેશ્યા અતિશુદ્ધ હોય છે. (૨૧) પરિણામ - પુલાકાદિ ચારેને વર્લ્ડમાન, હીયમાન કે અવસ્થિત પરિણામ હોય છે, નિગ્રન્થ અને સ્નાતકોને વર્લ્ડમાન અને અવસ્થિત પરિણામો હોય. ઇત્યાદિ − x - x -
ને
(૨૨) બંધન - કર્મ બંધન, તેમાં આયુને વર્જીને સાત કર્મ પ્રકૃતિ ને પુલાક બાંધે છે. બકુશ અને પ્રતિસેવક. સાત કે આઠ કર્મો બાંધે. કષાય કુશીલ આઠ, સાત, છ બાંધે. નિગ્રન્થ એક જ સાતા વેદનીય બાંધે, સ્નાતક એ પ્રમાણે એક જ બાંધે અથવા કર્મના અબંધક હોય. (૨૩) ઉદય - કર્મોદય, પુલાકાદિ ચાર આઠે કર્મ વેદે છે. નિગ્રન્થ મોહને વર્જીને સાત કર્મો વેદે છે. સ્નાતક વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મો વેદે છે.
(૨૪) કર્મ ઉદીરણા - પુલાક આયુ અને વેદનીય વર્જીને છ કર્મ - પ્રકૃતિ ઉદીરે છે, બકુશ પ્રતિસેવકો આઠ, સાત કે છ વેદે. કષાય કુશીલ એ પ્રમાણે, આઠ, સાત, છ કે પાંચને ઉદીરે. નિર્પ્રન્થો પણ આ જ પાંચ કે બે ને ઉદીરે. સ્નાતકો આ બે જ ઉદીરે અથવા અનુદીરક હોય.
(૨૫) ઉપસંપદા - અન્યરૂપ પ્રતિપત્તિ, તે સ્વરૂપ પરિત્યાગથી ઉપસંપત્તાનં છે. તેમાં પુલાક પુલાકતાને ત્યજીને તેનો પરિત્યાગ કરતાં કષાય કુશીલત્વ કે અસંયમની ઉપસંપદા પામે છે. - X- બકુશ પણ બકુશતાને ત્યજીને પ્રતિસેવકત્વ, કષાય કુશીલત્વ, અસંયમ કે સંયમાસંયમને પામે છે. પ્રતિસેવના કુશીલ પ્રતિસેવના કુશીલત્વને ત્યજીને બકુશત્વ, કષાયકુશીલત્વ, અસંયમ, સંયમા સંયમને પામે છે. કષાય કુશીલ કષાય - કુશીલત્વને ત્યજીને પુલાકાદિ ત્રણ, નિગ્રન્થત્વ, અસંયમ, સંયમાસંયમને પામે છે. યાવત્ સ્નાતક સ્નાતકલ્પને ત્યજીને સિદ્ધિગતિને પામે છે.
(૨૬) સંજ્ઞા - પુલાક, નિગ્રન્થ, સ્નાતકોનો સંજ્ઞોપયુક્ત છે. બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ, સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત છે. (૨૭) આહાર - પુલાકાદિ નિન્થ પર્યન્ત આહારકો છે. સ્નાતકો આહારક કે અનાહારક હોય. (૨૮) ભવગ્રહણ પુલાકાદિ ચારે ધન્યથી એક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પુલાક એ નિગ્રન્થને ત્રણ, બકુશ અને બંને કુશીલને આઠ. સ્નાતકને એક જ હોય.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org